મનપા, લોકસભાની જેમ વિધાનસભામાં પણ ભાજપનું શાસન હોય તો સરકાર અને પ્રજા વચ્ચે સંકલનનો સેતુ સજ્જડ બને, વિકાસ કાર્ય અટકે નહીં
આવતીકાલે રાજકોટવાસીઓએ ભાજપના ચારેય ઉમેદવારોને ખોબલેખોબલે મત આપી કોંગ્રેસ અને આપને તેમનું સ્થાન બતાવી દેવાનો દિવસ
- Advertisement -
ભાજપને મત એટલે રાજકોટની પ્રગતિ અને ઉન્નતિને મત, રાજકોટવાસીઓની સુખ, શાંતિ, સલામતીને મત : જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વિધાનસભા મત વિસ્તારના મતદારોને ભાજપને વિક્રમજનક વિજય અપાવવાની અપીલ કરતા શહેર ભાજપ પ્રમુખ અને વિધાનસભા -69 ના ચુંટણી ઇન્ચાર્જ કમલેશ મીરાણી, શહેર ભાજપ મહામંત્રી અને વિધાનસભા -70 ના ચુંટણી ઇન્ચાર્જ જીતુભાઈ કોઠારી, શહેર મહામંત્રી અને વિધાનસભા -68 ના ચુંટણી ઇન્ચાર્જ કિશોરભાઈ રાઠોડ, શહેર મહામંત્રી અને વિધાનસભા -69 ના ચુંટણી સહઇન્ચાર્જ નરેન્દ્રસિંહ ઠાકુરની એક સયુંકત યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટના વિકાસમાં ભરોસાની ભાજપ સરકારનો ફાળો બહુમુલ્ય રહ્યો છે. રાજકોટના અવિરત વિકાસ માટે ફરી એકવાર ભાજપ સરકારનું ચૂંટાઈ આવું જરૂરી છે આથી તમામ મતદારો ભાજપ તરફી પ્રચંડ મતદાન કરીને ફિર એક બાર ભરોસાની સરકારનાં નિર્માણમાં પોતાની જન ભાગીદારી નોંધાવે એ જરૂરી છે. રાજકોટ વિધાનસભા પૂર્વના ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડ, પશ્ચિમના ભાજપ ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહ, દક્ષિણના ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળા અને ગ્રામ્યના ભાજપ ઉમેદવાર ભાનુબેન બાબરીયાને મત આપી ભાજપને ભવ્યાતિભવ્ય વિજય અપાવો.
દેશ-દુનિયાના લોકોમાં અનન્ય લોકપ્રિયતા હાંસલ કરનાર ગુજરાતી સપૂત, વિકાસ-પુરૂષ નરેન્દ્રભાઈ મોદી સવાસો કરોડ દેશવાસીઓની સુખાકારી માટે દિવસ-રાત એક કરી રહ્યા છે એટલું જ નહીં, સાડા છ કરોડ ગુજરાતીઓ માટે દિવસ-રાત અનેક લોકકલ્યાણકારી યોજનાઓ ઘડી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ દુનિયાભરમાં ગુજરાતીઓનું શિર ગર્વથી ઊંચું કર્યું છે અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. બીજી તરફ, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સરકાર પણ પ્રજાની નાનામાં નાની અપેક્ષા પૂર્ણ થાય તે માટે સતત કાર્યશીલ છે. સુશાસન તેમજ સુરાજ્ય એ ભાજપના ‘વિઝન’ અને ‘મિશન’ છે. ગુજરાતના તમામ નાના-મોટા શહેરો વિકાસનો પર્યાય બને એટલું જ નહીં, એકેએક પ્રજાજન વિકાસનો ભાગીદાર બને એ ભાજપની નેમ છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની તમામ બેઠકો પરથી ભાજપ ઉમેદવારને વિજયી બનાવવાનો કમલેશ મીરાણી, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ અનુરોધ કર્યો છે.
ભાજપ તરફી જંગી મતદાન કરવાની અપીલ કરતા કમલેશ મીરાણી, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવ્યું છે કે, મનપા અને લોકસભાની જેમ વિધાનસભામાં પણ ભાજપનું શાસન હોય તો સરકાર અને પ્રજા વચ્ચે સંકલનનો સેતુ સજ્જડ બને અને કોઈપણ વિકાસ કાર્ય અટકે નહીં. છેલ્લા સાત દાયકા દરમિયાન જ્યાં જ્યાં કોંગ્રેસે સત્તા મેળવી છે અને શાસન કર્યું છે તે દરેક જગ્યાએ બેફામ ભ્રષ્ટાચાર આચર્યો છે અને ક્યારેય પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરી નથી. આમ આદમી પાર્ટી પણ ફક્ત મફતની રેવડી જ વેચી રહી છે. કોંગ્રેસ કૌભાંડી છે અને આપ અરાજકતા વાદી છે. આવી નખશીખ ભ્રષ્ટ કોંગ્રેસ અને ખોટા વાયદા કરનારી આપને વધુ એકવખત તેનું સ્થાન બતાવી દેવાનો આ અમૂલ્ય અવસર છે તે હકીકત નજર સમક્ષ રાખીને મતદાન કરવા મતદારોને અપીલ છે. ભાજપને મત એટલે રાજકોટની પ્રગતિ અને ઉન્નતિને મત, રાજકોટવાસીઓની સુખ, શાંતિ, સલામતીને મત. વિપક્ષને મત એટલે વિરોધ, વિવાદ અને વિખવાદને મત. હવે ભાજપના સુશાસનથી સાચો વિકાસ જોઈએ કે કોંગ્રેસના ભ્રષ્ટાચારથી ખદબદતા અને આપના જાતીવાદી રાજકારણ રમતા દેશવિરોધી અને ધર્મ વિરોધીઓનું શાસન જોઈએ તેનો નિર્ણય રાજકોટવાસીએ કરવાની આ ઘડી છે. રાજકોટના અવિરત વિકાસ માટે આવતીકાલે દરેક મતદાતા ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા અને ભાનુબેન બાબરીયાને મત આપવા કમળના નિશાન વાળું બટન દબાવે તેવી અપીલ કમલેશ મીરાણી, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ કરી છે.