By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    8 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    8 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    8 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    8 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાગૃતિ ગઈ ક્યાં? ત્રણ મહિનાથી ગૂમ પુત્રીનો પતો મેળવવા વલખાં મારતો પરિવાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જાગૃતિ ગઈ ક્યાં? ત્રણ મહિનાથી ગૂમ પુત્રીનો પતો મેળવવા વલખાં મારતો પરિવાર
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

જાગૃતિ ગઈ ક્યાં? ત્રણ મહિનાથી ગૂમ પુત્રીનો પતો મેળવવા વલખાં મારતો પરિવાર

Khaskhabar Editor
Last updated: 2022/08/26 at 6:03 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

નિવૃત PSI જનકસિંહ વાઘેલાનાં પુત્ર વીરૂ વાઘેલા સામે આંગળી ચિંધતો પરિવાર

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રહેતા લાભુભાઈ સોનારાની રાજકોટમાં જ રહેતી પરણિત પુત્રી જાગૃતિ કિશન મકવાણા છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી ગૂમ છે, આજ સુધીમાં જાગૃતિના પરિવારજનો કે પતિપક્ષથી લઈ પોલીસ પણ તેની ભાળ શોધી શક્યું નથી. આ અંગે લાપતા જાગૃતિના પિતા લાભુભાઈ સોનારાએ ત્રણ મહિના અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશન અને હાલમાં રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં એક અરજી કરી છે જેમાં અરજદાર લાભુભાઈ સોનારાએ જણાવ્યું છે કે, તેમની દીકરી જાગૃતિને એક રીટાયર્ડ પી.એસ.આઈ. જનકસિંહ વાઘેલાનો પુત્ર વીરૂ વાઘેલા અપહરણ કરી લઈ ગયો છે અથવા તેને જાનથી મારી નાખી છે.

- Advertisement -

વીરૂ ના પરિવારજનોએ જાગૃતિના પરિવારજનો પાસે સ્વીકાર્યું કે વીરૂ અને જાગૃતિ વચ્ચે છે સંબંધો
લાભુભાઈ સોનારાની પુત્રી જાગૃતિ ગાયબ થઈ જતા તેમણે અને તેમના પરિવારજનોએ જાગૃતિના સાસરીયા પક્ષ તથા વીરૂ વાઘેલાના પિતા-પત્નીનો સંપર્ક સાધ્યો હતો આ દરમિયાન વીરૂ વાઘેલાના પિતા-પત્નીએ જાગૃતિના ભાઈને જણાવ્યું હતું કે, વીરૂ અને જાગૃતિ વચ્ચે સંબંધો હતા. બંને એકબીજાને પ્રેમ કરે છે. જોકે હાલ વીરૂ અને જાગૃતિ ક્યાં છે તે ખબર નથી તેવું વીરૂ વાઘેલાના પરિવારજનોનું કહેવું હતું પરંતુ વીરૂ વાઘેલાના પરિવારજનોએ જાગૃતિના પરિવારજનો પાસે સ્વીકાર્યું હતું કે વીરૂ અને જાગૃતિ વચ્ચે સંબંધો છે.

ન્યાય માટે ભટકતાં જાગૃતિનાં પરિવારને ક્યારે ન્યાય મળશે?

લાભુભાઈ સોનારાએ રાજકોટ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, મારે ત્રણ સંતાન છે જેમા એક પુત્રી નામે “જાગૃતિ” જેના એક વર્ષ અગાઉ કિશન માંડણભાઈ મકવાણા રહે. લક્ષ્મીવાડી મેઈનરોડ, શ્રીજી એપાર્ટમેન્ટ, સ્વામીનારાયણ ફરસાણની સામે, રાજકોટવાળા સાથે લગ્ન થયેલા હતાં. મારી પુત્રીના લગ્ન પહેલા, તેણીને રીટાયર્ડ પી.એસ.આઈ. જનકસિંહ વાઘેલાના પુત્ર વીરૂ વાઘેલા, 2હે. માધાપર ચોકડી, રાજકોટવાળા સાથે મિત્રતાના સંબંધ હતાં. લગ્ન બાદ તેઓએ આ સંબંધનો અંત લાવી દીધેલો હતો. મારી પુત્રી જાગૃતિને તેના સાસરીયા પક્ષના મેણાટોણા મારી માનસિક તેમજ શારીરિક દુ:ખ ત્રાસ આપતા હતાં જે બાબતે મારી પુત્રીએ મને જાણ કરેલી હતી. ત્યારબાર છેલ્લા ત્રણ મહિનાથી મારી પુત્રીનો કોઈ અતોપતો નથી. હાલ તે કયાં છે, જીવે છે કે મરી ગઈ છે તે બાબતે અમો કશું જાણતા નથી. અમોએ તેઓના સાસરીયા પક્ષને પૂછતા તેઓ કહે છે કે અમોને કાંઈ જાણ નથી, પરંતુ અમોને શંકા છે કે તેનું અપહરણ થયું છે અથવા તો મારી નાંખી છે. મારી પુત્રીએ છેલ્લે પોતાનામાંથી વીરૂ વાઘેલાને ફોન કરેલો હતો, અમોને દહેશત છે કે આ વીરૂ વાઘેલા એ અમારી પુત્રીનું અપહ2ણ કરેલું છે, આ વીરૂ વાઘેલા મારી પુત્રીને લગ્ન પહેલા પણ અવારનવાર ફોન કરતો હતો અને હેરાન-પરેશાન કરતો હતો. અમો અ2જદા2ની પુત્રી પરિણીત હોય અને વીરૂ વાઘેલા પોતે પણ પરિણીત હોવા છતાં મારી પુત્રીને લગ્નેતર સંબંધો રાખવા માટે બ્લેક મેઈલ કરી મજબુર કરે છે. આ વીરૂ વાઘેલાના પિતા નિવૃત્ત પી.એસ.આઈ. હોય અને તેનો મોટો ભાઈ પણ હાલ યુનિ. પોલીસ સ્ટેશનમાં ફ2જ બજાવતો હોવાથી અમોને તેના વિરૂધ્ધ પોલીસ ખાતામાં ફરિયાદ ક2તા અમારૂ કોઈએ કંઈ સાંભળેલ નહીં અને વીરૂ વાઘેલા વિરૂધ્ધ કોઈ પગલા ભ2વામાં આવેલ નથી. મારી પુત્રી છેલ્લા ત્રણ મહિનાથી ગુમ થયેલ હોય અમોને શંકા છે અને પુરી દહેશત છે કે તેનું અપહરણ થયેલ છે અથવા તેણીને મારી નાંખેલ છે. તેથી આ માટે જવાબદાર તેના સાસરીયા પક્ષના તમામ સભ્યો તથા આ વીરૂ વાઘેલા સામે કાયદેસરની કાર્યવાહી કરી તેઓને પકડી કાયદાનું ભાન કરાવી અમોને અમારી પુત્રી જાગૃતિની ભાળ મેળવી આપવાની વિનંતી અરજદાર લાભુભાઈ સોનારાએ રાજકોટ પોલીસ કમિશનરને અરજીમાં કરી છે.

- Advertisement -

વીરૂએ જાગૃતિને ગીરના રિસોર્ટમાં રાખી હોવાની પરિવારજનોને શંકા

છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી પોતાની લાપતા દીકરીને દરબદર ગોતતા ભટકતા ફરતા લાભુભાઈ સોનારાએ ખાસ-ખબર કાર્યાલય પર આવીને જણાવ્યું હતું કે, મારી પુત્રીએ છેલ્લે પોતાનામાંથી વીરૂ વાઘેલાને ફોન કરેલો હતો, જાગૃતિના લગ્ન પહેલા અને લગ્ન બાદ પણ વીરૂ વાઘેલા અવારનવાર તેને ફોન-મેસેજ કરતો હતો. વીરૂ જાગૃતિની પાછળ પડી ગયો હતો. નિવૃત પીએસઆઈ જનકસિંહ વાઘેલાનાં પુત્ર વીરૂ વાઘેલા અને તેના ભાઈને ગીરમાં એક રિસોર્ટ છે અને અમને શંકા છે કે મારી પુત્રી જાગૃતિનું અપહરણ કરીને વીરૂ વાઘેલા તેને ગીરમાં પોતાના રિસોર્ટમાં લઈ ગયો છે અથવા ત્યાં લઈ જઈ તેણે તેને મારી નાંખી છે. અમે બધે તપાસ કરી લીધી, જાગૃતિ ક્યાંય નથી, વીરૂને જ તેની ભાળ હોવી જોઈએ.

ભક્તિનગર પોલીસની ત્રણ મહિનામાં જાગૃતિને શોધખોળ કરવાની કામગીરી શૂન્ય

જાગૃતિ કિશન મકવાણા નામની વ્યક્તિ પોતાના સાસરીયાના ઘરથી ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાયબ થઈ જતા જાગૃતિના પિતા લાભુભાઈ સોનારાએ સૌ પ્રથમ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરી ગૂમ થયા, તેના અપહરણ થયા અથવા તેને જાનથી મારી નાખ્યાની અરજી કરી હતી. આ અરજીમાં તેમણે પોતાની દીકરીને સાસરીયા પક્ષ ત્રાસ દેતા હોવા અંગેની તેમજ નિવૃત્ત પી.એસ.એસ.નો પુત્ર વીરૂ વાઘેલાએ તેનું અપહરણ કર્યું હોવા તેમજ જાનથી મારી નાખવાનું જણાવ્યું છે. એટલે જ નહીં જાગૃતિએ ગૂમ થયા અગાઉ અંતિમ ફોન વીરૂ વાઘેલાને કર્યો હતો. આમ છતાં આજ દિન સુધી લાભુભાઈ સોનારાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કરેલી પોતાની દીકરી જાગૃતિના ગૂમ થવા અંગેની અરજીમાં કોઈ કાર્યવાહી જ કરી નથી! ફરિયાદ નોંધવાની વાત દૂર, કોઈ તપાસ પણ હાથ ધરી નથી. ભક્તિનગર પોલીસની ત્રણ મહિનામાં જાગૃતિને શોધખોળ કરવાની કામગીરી શૂન્ય છે. જો ભક્તિનગર પોલીસ થોડો પણ રસ લઈ જાગૃતિના ફોન કોલ્સ, લોકેશન અને વીરૂ વાઘેલાના ફોન કોલ્સ, લોકેશન તપાસ કરતી તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જતું. અફસોસ એવું ન થયું જોકે હવે જાગૃતિના પિતા તથા પરિવારજનોને આશા છે કે રાજકોટ પોલીસ કમિશનર આ અંગે રસ લઈ તેમની ગૂમ થયેલી દીકરી જાગૃતિ જીવે છે કે મરી ગઈ છે તેની ભાળ શોધી કાઢશે.

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

TAGGED: BHAKTINAGARPOLICESTATION, daughter, Gujarat, kidnapping, MISSING, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્પાઈસ જેટના મેનેજરનું S.T.ના કંડકટર પણ ન કરે તેવું વર્તન
Next Article સુપ્રીમ કોર્ટનાં 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે જસ્ટિસ યુયુ લલીત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ગુજરાત

આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?