By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    21 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    21 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    20 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    20 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    23 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    7 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    7 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન’ ભૂજમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પર પરિષદ યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન’ ભૂજમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પર પરિષદ યોજાઈ
રાજકોટ

‘અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન’ ભૂજમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પર પરિષદ યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2025/03/27 at 4:44 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

ભારતના સંખ્યાબંધ રાજ્યો તેમજ ગ્લોબલ સાઉથમાંના ઘણા દેશોમાંથી હિતધારકો એકજૂથ થયા

નિષ્ણાતોએ ગુજરાતમાંથી મળેલા બોધપાઠ તેમજ શ્રેષ્ઠ પ્રણાલિઓ સહિત સ્થાનિકીકૃત, સેક્ટર-આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ પર ચર્ચા કરી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારતમાં યુએન દ્વારા ડિઝાસ્ટર રિસ્કમાં ઘટાડા માટે પ્રાદેશિક સ્તરે મળેલા બોધપાઠ તેમજ નવતર ઉપાયોની માવજત કરવા ભાગીદારી સાધવામાં આવી છે. આ ભાગીદારીના ભાગરૂપે, શ્રેણીબદ્ધ પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી અર્લી વોર્નિંગ સિસ્ટમ અને અર્લી એક્શનને વિસ્તારવાની સાથે, અનેકવિધ-હોનારતો માટે સ્થાનિકીકૃત અને ક્ષેત્ર-આધારિત અભિગમ દાખવતા ચેતવણીને જીવન-બચાવનારાં અસરકારક પગલાંમાં તબદિલ કરી શકાય.

આ શ્રેણીમાંની બીજી પરિષદનું ભૂજમાં સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ ખાતે આયોજન કરાયું હતું. આ એક એવું શહેર છે જેણે વિનાશકારી ભૂકંપો અને વાવાઝોડાંના અનેક પ્રહારોનો સામી છાતીએ સામનો કર્યો છે અને છતાં અડીખમ રહેવાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવીને આ પરિષદની ચર્ચા માટેની વિષયપ્રસ્તુતિ કરી હતી. આ અંગેના પ્રાસંગિક ઉદબોધનમાં, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ, ડો. જયંતી રવિએ વર્તમાન પેઢી તેમજ આવનારી પેઢીઓને ધ્યાનમાં રાખીને સાહસિક પગલાં ભરવાની હિમાયત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કચ્છે વિનાશકારી ભૂકંપથી માંડીને વાવાઝોડાં તથા પૂરની અસંખ્ય હોનારતોનો સામનો કર્યો છે. પરંતુ આ ધરતીની સંસ્કૃતિ જ કાંઈક અલગ છે અને તેમાં પણ કચ્છના લોકો તો મુસીબતો સામે હંમેશા લડાયક મિજાજ દાખવવા માટે જાણીતા છે. આપણમા પારસ્પરિક બોધપાઠની વાત કરીએ છીએ ત્યારે આપણે એવા લોકોને પણ વિશેષ અંજલિ આપીએ છીએ જેમની પાસેથી આપણને ઘણું બધું શીખવા મળ્યું છે. આ પરિષદોના આયોજનોથી આપણે શીખેલા બોધપાઠમાં અભિવૃદ્ધિ થાય છે, ત્યારે માનનીય વડાપ્રધાનની પરિકલ્પનાથી પ્રેરિત થઈને જ આપણે આ સ્થળ, સ્મૃતિવન બે ડગલાં આગળ વધીને અનેકવિધ હોનારતો સામેની તૈયારી, આયોજન અને તાલીમનું કેન્દ્ર બને તેમ ઈચ્છીએ છીએ, જેથી લોકોમાં સામાજિક અને વર્તણૂંકમાં પરિવર્તન આવી શકે. આ જ એ પરિકલ્પના છે કે જેને સાકાર કરતાં આપણે ‘સ્મૃતિવન-2’નો હિસ્સો બની શકીએ છીએ. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઈઓ, આઈએએસ શ્રી અનુપમ આનંદે સેન્ડાઈ ફ્રેમવર્ક તથા ડીઆરઆર માટે પીએમના 10-મુદ્દાના એજન્ડાના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો કે, કેવી રીતે ગુજરાતે અનેકવિધ-વિભાગીય સંકલન દ્વારા રાજ્ય-સ્તરની યોજનાઓને રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે અમલી બનાવવાની દિશામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ઉદારણ સ્વરૂપે, બિપરજોય વાવાઝોડાંના સમયે વિવિધ વિભાગોએ અસરકારક સંકલન સાધીને ઝીરો કેઝ્યુલ્ટી અને મામૂલી આર્થિક નુકસાનને સુનિશ્ચિત કર્યું હતું. ભારત ખાતેના યુએન રેસિડેન્ટ કો-ઓર્ડિનેટર, શ્રી શોમ્બી શાર્પે જણાવ્યું હતું કે, કુદરતી હોનારતો તેમજ અત્યંત વિષમ હવામાનને કારણે 2050 સુધીમાં વૈશ્વિક સ્તરે 1.2 અબજ લોકોનું વિસ્થાપન થઈ શકે છે. જો કે, હોનારતનું જોખમ એ ફક્ત તેના પ્રકાર વિશે સિમિત્ત નથી, તેમાં તેનો સામનો કરવા માટેની તૈયારીઓ, તેમજ અર્લી વોર્નિંગ અર્લી એક્શનની ઝડપ તથા અસરકારકતા પણ સામેલ છે. આજની પરિષદ એ રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારતમાં યુએન વચ્ચેની બૃહદ ભાગીદારીનો એક હિસ્સો છે, જે જલવાયુ પરિવર્તનની આપણી નવી વાસ્તવિકતામાં અપેક્ષિત પગલાં માટેના અનેકવિધ-હોનારતો, અનેકવિધ-હિતધારકોના અભિગમને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ ચર્ચા ગુજરાતમાં થઈ રહી છે તે સર્વથા યોગ્ય છે, કારણ કે આ એક એવું રાજ્ય છે જ્યાં યુએન એક અડીખમ ભાગીદાર તરીકે મોજૂદ રહ્યું છે અને તેણે પણ અસંખ્ય કુદરતી હોનારતોનો સામનો કર્યો છે તેમજ તૈયારીઓ આદરીને ગમેતેવી સ્થિતિને પહોંચી વળવાનું સર્વત્તમ કૌશલ્ય દાખવ્યું છે. આ પરિષદો દ્વારા અમને ભારતના અનુભવો પરથી સારો બોધપાઠ મેળવીને વધુ મજબૂતાઈથી ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ ગ્લોબલ સાઉથમાંના દેશોમાંની શ્રેષ્ઠ પ્રણાલિઓને આત્મસાત કરતાં વિદેશોમાંના અનુભવોમાંથી બોધપાઠ મેળવવાની આશા છે. સાથે મળીને આપણે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે, દરેક જીવ, દરેકની આજીવિકા અને દરેકનું ભવિષ્ય સુરક્ષિત રહે. સાથ હૈ, તો સંભવ હૈ. રિલાયન્સ ફાઉન્ડેશન ખાતેના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર, શ્રી સુદર્શન સૂચિએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે, અમે સમજીએ છીએ કે ખરા અર્થમાં ડિઝાસ્ટર પ્રતિરોધકતાના નિર્માણ માટે સહિયારા પ્રયાસોની જરૂર પડે છે. આ પ્રકારની શ્રેણીબદ્ધ પરિષદો યોજીને અમે તમામ ક્ષેત્રોમાં સહકાર સાધવાની અમારી વચનબદ્ધતા પર ભાર મૂકીએ છીએ. અમારો ઉદ્દેશ ટેકનોલોજી અને ડેટાની તાકાતનું સંવર્ધન કરીને મહત્ત્વના જ્ઞાન અને નવતર ઉપાયોની વહેંચણી માટે ઉમદા મંચની રચના કરવાનો છે, જેથી આપણે ભાવિ પડકારોને ઝીલવા માટે નબળા સમુદાયોને સશક્ત બનાવી શકીએ. ભૂજના ભૂકંપથી લઈને બિપરજોય સુધી રિલાયન્સ દરેક વળાંકે ગુજરાત સરકારની પડખે જ રહ્યું છે. નવતર પ્રયોગોથી માંડીને સામુદાયિક જોડાણ સુધી, ત્વરિત પગલાંથી માંડીને મજબૂત ભાગીદારી સુધી, આપણા તમામ પગલાંનું રિલાયન્સની સર્વથા વ્યાપક ‘વી કેર’ ફિલોસોફી દ્વારા માર્ગદર્શન કરાય છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં કચ્છના જિલ્લા કલેક્ટર, આઈએએસ શ્રી આનંદ બાબુલાલ પટેલ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના (એનડીએમએ) લેફ્ટ. કર્નલ સંજીવકુમાર શાહીનો સમાવેશ થતો હતો. ગુજરાત સરકાર, એનડીએમએ, જીએસડીએમએ, જીઆઈડીએમ, યુએન એજન્સીઓ, સિવિલ સોસાયટી સંગઠનોના પ્રતિનિધિઓએ અહીં પ્રાપ્ત થયેલા જ્ઞાન અને ઉપાયોની વહેંચણી કરી હતી. અગાઉના દિવસે આ પ્રતિનિધિઓ માટે રાપરગઢ અને જખૌ ખાતેની ફિલ્ડ મુલાકાત ઉપરાંત આ ઈવેન્ટ દરમિયાન સ્મૃતિવનમાં એક સુઆયોજિત લટારનું આયોજન કરાયું હતું, જેમાં આરંભિક સ્થાનિકીકૃત પગલાં પર ભાર મૂકાયો હતો.

ઈમ્પેક્ટ-આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ ટેકનોલોજી, ગ્લોબલ સાઉથમાંથી મળેલા બોધપાઠ, અપેક્ષિત પગલાંની વ્યૂહરચના, અને દુષ્કાળ જેવા ધીરેથી આગમન કરનારી હોનારતો તેમજ ઢોરઢાંખરના રક્ષણ જેવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી. સહભાગીઓએ સામુદાયિક રિસ્પોન્સ કેપેસિટીમાં રોકાણ તેમજ ડિસએબિલિટી સમાવેશીકરણમાં રોકાણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અગાઉની પરિષદ નવેમ્બર 2014માં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાઈ હતી, જેમાં આજીવિકા તેમજ જાતિ પર ધ્યાન કેન્દ્રિત કરતા સરકારી પ્રત્યુત્તર પર ભાર મૂકાયો હતો. ભૂજની પરિષદ એક ડગલું આગળ વધીને અનેકવિધ-સેક્ટર વચ્ચે સંકલન તેમજ ટેકનોલોજીની ઊંડી સમજની હાકલ કરવાની દિશામાંનું વધુ એક આગેકદમ હતું.

- Advertisement -

‘અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન’ પરિષદની શ્રેણીઓ થકી માનવજીવન તથા ઢોરઢાંખરને બચાવવા શ્રેષ્ઠ પ્રણાલિઓનું દસ્તાવેજીકરણ કરવા ઉપરાંત, નવતર પ્રયોગોને ઓળખશે તથા જાનમાલના રક્ષણ માટે અસરકારક પોલિસી-સ્તરના પરિણામોનો ઉદ્દેશ ધરાવશે. ભૂજ ખાતેની પરિષદનું સમાપન અર્લી વોર્નિંગ સોલ્યુશન માટેની ગતિને ઝડપી બનાવવાની હાકલ સાથે થયું હતું જેથી ભારતમાં ડિઝાસ્ટર માટેની તૈયારીઓનું સ્તર ઊંચુ લાવીને કોઈ પાછળ રહી ન જાય તે સુનિશ્ચિત કરી શકાય.

You Might Also Like

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના

મનપાના નવા શાસકોનું 25મીએ પ્રથમ જનરલ બોર્ડ: રદ થયેલા કામો મુદ્દે હોબાળાના એંધાણ

તમામ નાગરિકો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય અને સમાન ન્યાય મળે તે જરૂરી: રામદાસ આઠવલે

રાજકોટ મનપા દ્વારા માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હારીજ હાઇવે પર ભંગાર હાલતમાં નડતરરૂપ ટ્રેલરને દૂર કરવા પોલીસ મથકે રજૂઆત
Next Article ચારધામ યાત્રામાં રૂપિયા આપીને પણ VIP દર્શન નહીં થાય, રીલ બનાવનારને ‘નો એન્ટ્રી’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

મનપાના નવા શાસકોનું 25મીએ પ્રથમ જનરલ બોર્ડ: રદ થયેલા કામો મુદ્દે હોબાળાના એંધાણ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?