PM શાહબાઝ શરીફે કહ્યું- સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી
ખાસ-ખબર ન્યૂઝ પાકિસ્તાન, તા.15
- Advertisement -
આર્થિક સંકટ અને ઈંખઋની કડક શરતોનો સામનો કરી રહેલા પાકિસ્તાને તમામ સરકારી કંપનીઓને વેચવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે ઈસ્લામાબાદમાં પ્રાઇવેટાઇઝેશન કમિશનની મિટિંગમાં મંગળવારે તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, ’વેપાર કરવો એ સરકારનું કામ નથી, સરકારનું કામ દેશમાં વેપાર અને રોકાણ માટે સારું વાતાવરણ પૂરું પાડવાનું છે.’
શરીફે કહ્યું કે તમામ સરકારી કંપનીઓને વેચી દેવામાં આવશે, પછી ભલે તે નફો કરતી હોય કે ન કરતી હોય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર ફક્ત તે જ કંપનીઓને જાળવી રાખશે જે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે. વડાપ્રધાને તમામ મંત્રીઓને પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રાઇવેટાઇઝેશન કમિશનને સહકાર આપવા અપીલ કરી છે. પાકિસ્તાનના નાણાં મંત્રાલયના ડિસેમ્બર 2023ના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં 88 સરકારી કંપનીઓ છે.
પાકિસ્તાનમાં કંપનીઓની બોલી લાગશે, ટીવી પર લાઈવ બતાવાશે
શાહબાઝ શરીફે 12 મેના રોજ IMFએડવાન્સ ટીમની પાકિસ્તાનની મુલાકાત બાદ કંપનીઓના વેચાણની જાહેરાત કરી છે. IMF અધિકારીઓ સાથેની બેઠકમાં પાકિસ્તાને લાંબા સમયથી મોટી લોનની માગ કરી હતી. વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે કંપનીઓને વેચવાની પ્રક્રિયા પારદર્શિતા સાથે પૂર્ણ કરવામાં આવશે.
સૌથી પહેલા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ કંપની લિમિટેડનું ખાનગીકરણ કરવામાં આવશે. બિડિંગ થશે અને તેનું ટીવી પર લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. પાકિસ્તાનમાં કંપનીઓને વેચવાના કાર્યક્રમને ’પ્રાઇવેટાઇઝેશન પ્રોગ્રામ 2024-2029’ નામ આપવામાં આવ્યું છે. આમાં પાકિસ્તાનની પાવર કંપનીઓ પણ સામેલ છે. સૌથી પહેલા જે કંપનીઓ ખોટમાં છે તેને વેચવામાં આવશે. તે પછી તેમને નફો કરતી સરકારી કંપનીઓને વેચવામાં આવશે.
- Advertisement -
વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ
એઆરવાઈ સમાચારના અહેવાલો મુજબ શાહબાજ શરીફની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ‘ખાનગીકરણ કાર્યક્રમ 2024-29’નો રોડમેપ રજુ કરાયો હતો, જેમાં વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ કરાશે. પાકિસ્તાનના વડાપ્રધાને નિર્દેશ આપ્યો છે કે, તમામ સંઘીય મંત્રાલયો આ મામલે જરૂરી કાર્યવાહી કરે અને ખાનગીકરણ આયોગને સહયોગ આપે. શાહબાજે એમ પણ કહ્યું કે, સરકારી માલિકીના કારોબારનું ખાનગીકરણ કરવાથી કરદાતાઓના રૂપિયા બચશે અને સરકાર લોકોને ગુણવત્તાયુક્ત સેવા પુરી પાડી શકશે.
વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ
એઆરવાઈ સમાચારના અહેવાલો મુજબ શાહબાજ શરીફની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ‘ખાનગીકરણ કાર્યક્રમ 2024-29’નો રોડમેપ રજુ કરાયો હતો, જેમાં વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ કરાશે. પાકિસ્તાનના વડાપ્રધાને નિર્દેશ આપ્યો છે કે, તમામ સંઘીય મંત્રાલયો આ મામલે જરૂૂરી કાર્યવાહી કરે અને ખાનગીકરણ આયોગને સહયોગ આપે. શાહબાજે એમ પણ કહ્યું કે, સરકારી માલિકીના કારોબારનું ખાનગીકરણ કરવાથી કરદાતાઓના રૂૂપિયા બચશે અને સરકાર લોકોને ગુણવત્તાયુક્ત સેવા પુરી પાડી શકશે.
વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ
એઆરવાઈ સમાચારના અહેવાલો મુજબ શાહબાજ શરીફની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ‘ખાનગીકરણ કાર્યક્રમ 2024-29’નો રોડમેપ રજુ કરાયો હતો, જેમાં વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ કરાશે. પાકિસ્તાનના વડાપ્રધાને નિર્દેશ આપ્યો છે કે, તમામ સંઘીય મંત્રાલયો આ મામલે જરૂૂરી કાર્યવાહી કરે અને ખાનગીકરણ આયોગને સહયોગ આપે. શાહબાજે એમ પણ કહ્યું કે, સરકારી માલિકીના કારોબારનું ખાનગીકરણ કરવાથી કરદાતાઓના રૂૂપિયા બચશે અને સરકાર લોકોને ગુણવત્તાયુક્ત સેવા પુરી પાડી શકશે.