ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જીલ્લા પંચાયત, રાજકોટના માર્ગદર્શન અનુસાર સરકારી આયુર્વેદ દવાખાનું વડાળી દ્વારા પુષ્ય નક્ષત્રના દિને વડાળી 1 આંગણવાડી ખાતે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસ કરી સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવામાં આવ્યા. કુપોષિત બાળકોને બાળ રસાયન ગ્રેન્યુઅલ્સ જેવી આયુર્વેદિક દવાઓ આપી વાલીઓને ખોરાક-પોષણ-સ્વચ્છતા સંબંધી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. આંગણવાડી ના વર્કર અને હેલ્પર બહેનો દ્વારા આ કાર્યક્રમમાં પૂરતો સાથ સહકાર મળેલ છે. આ કેમ્પમાં કુલ 12 બાળકોએ લાભ લીધો હતો.