By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    7 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    7 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    7 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    8 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    1 day ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    7 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 day ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોનાથી ડરો નહીં પરંતુ સતર્ક રહો: જીવન રહેશે ખુશહાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > કોરોનાથી ડરો નહીં પરંતુ સતર્ક રહો: જીવન રહેશે ખુશહાલ
TALK OF THE TOWN

કોરોનાથી ડરો નહીં પરંતુ સતર્ક રહો: જીવન રહેશે ખુશહાલ

Khaskhabar Editor
Last updated: 2020/10/19 at 1:08 PM
Khaskhabar Editor 6 years ago
Share
10 Min Read
SHARE

કોરોના કાળમાં નોર્મલ લાઇફ માટે જરૂરી છે સરકારની ગાઇડ લાઇનનું અનુસરણ, સમયસર ટેસ્ટ અને યથા યોગ્ય સારવાર

  • ભાવિની વસાણી

સમગ્ર વિશ્વની સાથે માર્ચ મહિનાથી કોરોનાએ ભારતમાં પણ દેખા દીધી છે. રાજકોટ તો જાણે થોડા દિવસો પૂર્વે કોરોનાનો ગઢ બનીને બહાર આવ્યું છે. કોરોના જેવી મહામારીને ઘણા લોકો ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે અને સરકારની ગાઇડ લાઇનનું સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળે છે. જ્યારે કેટલાક લોકો કોરોનાની ઝપેટે જરૂર ચડ્યા છે, પરંતુ સમયસર કોરોનાના લક્ષણોને ઓળખી જવાથી યથાયોગ્ય સારવાર મેળવીને હેમખેમ ઉગરી ગયા છે. કોરોનાને માત આપી ચૂકેલા રાજકોટના અગ્રણીઓએ ’ખાસ ખબર’ને પોતાનો અનુભવ જણાવી અને લોકોને ખાસ કોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવા ઉપરાંત સરકારની ગાઈડલાઈનનું અનુસરણ કરવા માટેની સલાહ આપી છે.

Contents
કોરોના કાળમાં નોર્મલ લાઇફ માટે જરૂરી છે સરકારની ગાઇડ લાઇનનું અનુસરણ, સમયસર ટેસ્ટ અને યથા યોગ્ય સારવારભય રાખ્યા વિના ડોક્ટરની સલાહ અચૂક માનો ડોક્ટર પંકજ રાઠોડ (રા.મ્યુ.કો. આરોગ્ય અધિકારી)સશક્ત વ્યક્તિને પણ કોરોના થઈ શકે છે અતુલ રાજાણી (વોર્ડ નં. 3 કોર્પોરેટર)તમારા થકી વડીલોને તકલીફ ન થાય તે ધ્યાન રાખો વી.કે.ગઢવી (પોલીસ અધિકારી)કોરોના થાય તો સમયસર હોસ્પિટલાઈઝ થવું કશ્યપ શુક્લ (વોર્ડ નં. 7 કોર્પોરેટર, ભાજપ)ઓક્સિજન લેવલ કોઈપણ ભોગે ડ્રોપ થવું જોઈએ નહીંં ડો.અમિત હાપાણી (કાર્ડિયોલોજિસ્ટ)મંઝિલ ઉનકો મિલતી હૈ જીનકે હોંસલો મેં જાન હોતી હૈ હસમુખ ધાંધલીયા (પી.એસ.આઇ)કોરોનાથી ન ડરો કે ન તેને અવગણો એચ.એમ.ગઢવી (પી.આઈ)કોરોનાને અવગણશો તો જ તકલીફ થશે ગુણવંતભાઈ ડેલાવાળા (સરગમ ક્લબ)સત્વરે ટેસ્ટ કરવાથી યથાયોગ્ય સારવાર શક્ય અનિલ દેસાઈ (સિનિયર એડવોકેટ)જાતે સંભાળ રાખશો તો થશે કુટુંબનું કલ્યાણ ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય)

ભય રાખ્યા વિના ડોક્ટરની સલાહ અચૂક માનો
ડોક્ટર પંકજ રાઠોડ (રા.મ્યુ.કો. આરોગ્ય અધિકારી)

રાજકોટમાં 17પ દિવસની મેરેથોન સમાન ટીમવર્કની કામગીરીમાં મારા પરિવારના સભ્યોનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈશોલેશનના આકસ્મિક 14 દિવસના સ્વયં ધરવાસમાં સીમીત થઈ ગયા હતા. હું, મારી પત્ની અને મારો દીકરો હોમ આઈશોલેશનના વિરામને ’ન્યુ નોર્મલ’ તરીકે સ્વીકારીને હેમખેમ રીતે બહાર આવ્યા છીએ. જેમાં ત્રણેય સ્વતંત્ર રૂમમાં આઈશોલેશનમાં રહી એકબીજાને મદદરૂપ બન્યા હતા. એક જ ઘરમાં હોવા છતાં માત્ર ટેલીફોનીક સમ્પર્ક થતો. આરોગ્યની જાળવણી અને કાળજી મુખ્યત્વે પાંચ ’ખ’ બાબતો (1) મેડીસીન (ર) મોસંબી (કે અન્ય પ્રવાહી)(3) માસ્ક (રક્ષણ) (4) મેડીટેશન (માનસિક મજબૂતી) (પ) મેનેજમેન્ટ (સમય અને સ્વયં શિસ્ત)ને અપનાવી અને કોરોનાને માત આપી હતી. લોકોને સંદેશ છે કે કોરોનાનું વહેલુ નિદાન અને ઝડપી સારવાર કરાવી રાજકોટમાં કોરોનાનું સક્રમણ ઘટાડીએ.ખોટોભય રાખ્યા સિવાય ડોકટરની દર્શાવેલી સલાહ અચૂક માનીએ.

- Advertisement -
સશક્ત વ્યક્તિને પણ કોરોના થઈ શકે છે
અતુલ રાજાણી (વોર્ડ નં. 3 કોર્પોરેટર)

સલ્મ એરિયામાં કોરોના પેશન્ટને મદદ કરતી વખતે ક્યાંકથી કોરોનાનો ચેપ લાગ્યો હશે. સૌપ્રથમ દીકરી રિદ્ધિને તાવ આવ્યો બીજા 24 કલાકમાં મારા પત્ની રૂપલને અને મને પણ આવી ગયો. સૌ પ્રથમ ટેસ્ટ જતો રહ્યો ત્યારબાદ સ્મેલ પણ આવતી ન હતી. કોરોનાની આશંકાએ ડોક્ટર સંજય ભટ્ટને ફોન કર્યો અને કોવિડ ટેસ્ટ કર્યા. ત્રણેયના પોઝિટિવ આવ્યા બાદ પ્રથમ વખત ઝટકો જરૂર લાગ્યો પરંતુ પરિવારના સભ્યો સાથે હોય એકબીજાને હિંમત આપતા રહ્યા. ઘરે જ સેલ્ફ આઈસોલેશનમાં રહ્યા અને ત્રણ ટાઈમ મેડિકલ પ્રેક્ટિશનર બધું ચેક કરતા હતા. આ દિવસોમાં નબળાઈ ખૂબ જ હતી. ગરમ પાણી, હળદર-લીંબુના ઉકાળા અને ફળો ખુબજ લીધા અને આરામ કર્યો હતો. સ્નેહીજનો અને પાડોશીઓએ ખૂબ જ સપોર્ટ કર્યો માટે એકલા હોવા છતાં એકલું લાગ્યું નથી. લોકોને સંદેશ છે કે શરદી-ઉધરસ અને તાવને હળવાશથી ન લો, કોઈ જ ભ્રમમાં ન રહેવું, સશક્ત વ્યક્તિને પણ કોરોના થઈ શકે છે

તમારા થકી વડીલોને તકલીફ ન થાય તે ધ્યાન રાખો
વી.કે.ગઢવી (પોલીસ અધિકારી)

કચ્છ ગયો હતો ત્યાંથી રિટર્ન થયા બાદ મને તાવ અને કળતરના લક્ષણો જોવા મળ્યા હતા. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પોઝીટીવ આવ્યો હતો. આ સમયમાં સારો ખોરાક, વિટામિન સી, નાસ, ગરમ પાણીના કોગળા વગેરે યથાયોગ્ય કાળજી રાખી શાંતિપૂર્વક સામનો કર્યો. ઘરે જ હોમ આઇસોલેશનમાં ત્રણ દિવસ રહ્યા બાદ કોરોનાના લક્ષણો જતા રહ્યાં, દસમા દિવસે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ દિવસોમાં પોલીસ વિભાગમાં વર્ક ફ્રોમ હોમ ચાલુ રાખ્યું હતું. મન મજબૂત રહે તેવું વાંચન કર્યું હતું. આ સ્થિતિમાં નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. લોકોને સલાહ છે કે કોરોના થાય તો ગભરાશો નહીં અને સરકારની ગાઇડ લાઇનનું પાલન કરો, ધ્યાન રાખો કે વડીલોને તમારા થકી તકલીફ ન થાય.

કોરોના થાય તો સમયસર હોસ્પિટલાઈઝ થવું
કશ્યપ શુક્લ (વોર્ડ નં. 7 કોર્પોરેટર, ભાજપ)

મોટાભાઈ વી.વી.પી. કોલેજના ટ્રસ્ટી હોય કોઈ સંક્રમિત કર્મચારીના સંપર્કમાં આવ્યા બાદ તેમને અને કદાચ તેમના સંપર્કમાં આવવાથી મને પણ કોરોના થયો હશે. બીજા-ત્રીજા દિવસે સંપર્કમાં આવ્યા બાદ મને તાવ આવ્યો હતો. ડો.દર્શિતા બેન શાહના માર્ગદર્શનથી લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ બાદ સીટીસ્કેનનો રિપોર્ટ કરાવવા માટે બેગ તૈયાર કરીને જ ગયો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિનર્જી હોસ્પિટલમાં દસ દિવસ સારવાર માટે દાખલ થયો હતો. ઘરમાં મારા માતા તેમજ પુત્રી રહે છે તેમને કોઈને કંઈ લક્ષણ નહોતા. સાતમા દિવસે હું કોવિડમાંથી બહાર આવ્યો પરંતુ મોટા ભાઈની પરિસ્થિતિ સારી ન હોય હોસ્પિટલમાંથી રજા લઇને જવાબદારી સંભાળી હતી. રેમેડિઝનો કોર્સ પૂર્ણ કર્યો હતો. જીવવા માટે પૂર્ણ આત્મવિશ્વાસ હતો તે માટે જીતી ગયો છું,સૂંઠના પ્રયોગથી ઘણો ફાયદો થયો છે. સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું, તેમજ કોરોના આવે તો ડરવું નહીં તથા સમયસર હોસ્પિટલાઈઝ થઈ જવું જોઈએ.

- Advertisement -

ઓક્સિજન લેવલ કોઈપણ ભોગે ડ્રોપ થવું જોઈએ નહીંં
ડો.અમિત હાપાણી (કાર્ડિયોલોજિસ્ટ)

પ્રાથમિક લક્ષણોમાં ડાયેરિયા જેવું જોવા મળ્યું હતું, જેની દવા કરી છતાં બીજા દિવસે કળતર અને પછી તાવ આવ્યો હતો. બે દિવસ બાદ ટેસ્ટ કરાવ્યો અને પોઝિટીવ આવ્યો ત્યારે એન્ટિવાયરલ દવાઓ લીધી હતી, અને ઘરમાં સેલ્ફ ક્વોરેન્ટાઇન હતો.હું પોતે ડોક્ટર છું ત્યારે મોનેટરિંગ ચાલુ રાખ્યું હતું અને યથાયોગ્ય સારવાર શરૂ કરી દીધી હતી. ચોથા-પાંચમા દિવસે સ્વાદ પણ જતો રહ્યો હતો. 14 દિવસ ટોટલ આઇસોલેશનમાં રહી અને સરળતા પુર્વક સામનો કર્યો હતો. કોરોનાના લક્ષણ દેખાય તો સમયસર ટેસ્ટ કરાવવો જોઇએ જેથી સંક્રમણનો ભોગ આપણા સ્વજનો ન બને. ઓક્સિજન લેવલ કોઈપણ ભોગે ડ્રોપ થવું જોઈએ નહીં. કોરોના ન થાય તે માટે સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ (જખજ)ને જ જીવનમંત્ર બનાવવો અને લોકોને પણ સમજાવવું જરૂરી છે.

મંઝિલ ઉનકો મિલતી હૈ જીનકે હોંસલો મેં જાન હોતી હૈ
હસમુખ ધાંધલીયા (પી.એસ.આઇ)

કોરોનાના લક્ષણોથી સમયસર ચેતી જવાથી રિકવર થઈ ગયો, પરંતુ ફરીથી પણ આવી શકે છે. 24 ઓગસ્ટે કોરોના ડિટેક્ટ થયા બાદ છ-સાત દિવસ આયુર્વેદિક દવાઓ જ લીધી હતી. સિહોરના તબીબ ડો. સરવૈયા ના માર્ગદર્શન હેઠળ દવાઓ તેમજ ગરમ પાણી અને ઉકાળાનું સેવન ચાલુ રાખ્યું હતું. એક વખત પ્લાઝમા પણ ડોનેટ કર્યું છે. કોરોના થાયતો સૌપ્રથમ મન મજબૂત રાખવું જરૂરી છે, તેમ જ એક્સરસાઇઝ જરૂરી છે.  મને કોરોના ડિટેક્ટ થયો તે પહેલાં તાજેતરમાં જ કમાન્ડો ટ્રેનિંગ પૂર્ણ થઈ હતી તે મને કામ લાગી છે. લોકોને સંદેશ આપીશ કે “મંઝિલ ઉનકો મિલતી હૈ જીનકે હોંસલો મે જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ.”

કોરોનાથી ન ડરો કે ન તેને અવગણો
એચ.એમ.ગઢવી (પી.આઈ)

કોરોનાના આગમન સાથે જ ત્રણ મહિના પહેલા માતા અને ભાઈ બંનેના પૂર્ણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરમાં બધા એ ટેસ્ટ કરાવ્યા હતો.બાદમાં ઘરના તમામ નવ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બધાએ સાથે મળીને શાંતિપૂર્વક સામનો કર્યો હતો. ઘરે તમામ પ્રકારની તકેદારી રાખી હતી. મમ્મીની ઉંમર 74 વર્ષ હોય તેમના સિવાય કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઊભી થઈ ન હતી. દવા અને સારવાર નિયમિત રીતે કર્યા સાથે તુલસીના પાન, હળદર વગેરેનું સેવન કર્યું. કોરોનાથી મૃત્યુ થાય જ તેવું નથી પરંતુ હિંમતથી કામ લેવું જોઈએ. કોરોનાથી ડરવાનું નથી પરંતુ તેને અવગણવાનો નથી.

કોરોનાને અવગણશો તો જ તકલીફ થશે
ગુણવંતભાઈ ડેલાવાળા (સરગમ ક્લબ)

રામનાથપરા મુક્તિધામમાં સેવા આપવા જતો હતો ત્યાં કોવિડ વાળી બોડી નિયમિત રીતે આવતી હોય કોઈ કારણસર ધ્યાન રાખવા છતાં ચેપ લાગ્યો હતો. પ્રાથમિક શરદી અને ઉધરસના લક્ષણો આવ્યા બાદ ડોક્ટર પાસે ચેકઅપ કરાવી અને છ દિવસ ઘરે રહ્યો હતો. ત્યારબાદ ઓક્સિજન ઓછું લાગ્યા બાદ સીટી સ્કેન કરાવ્યું હતું અને ટેસ્ટમાં માઇનર કોરોના આવ્યો હતો. ત્રણ દિવસમાં લીંબુપાણી, મોસંબીનો જ્યૂસ, હળદરનો ઉકાળો અને સુંઠની છીંકણી વગેરેના પ્રયોગથી ત્રણ દિવસમાં ઓક્સિજન લેવલ બરાબર આવી ગયું બીજા પંદર દિવસ આરામ કર્યો અને બહાર આવી ગયો. સમયસર ચેતી જવાના કારણે ફેફસાં ડેમેજ થયા નથી અને રિકવરી જલ્દી થઈ ગઈ. કોરોનાથી ડરવાની જરૂર નથી પરંતુ તેને અવગણશો તો તકલીફ થશે.

સત્વરે ટેસ્ટ કરવાથી યથાયોગ્ય સારવાર શક્ય
અનિલ દેસાઈ (સિનિયર એડવોકેટ)

મને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો ખબર નથી માત્ર શરદી-ઉધરસ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. પરિવારના તમામ સભ્યોના ટેસ્ટ કરાવ્યા હતા, મને પોઝિટિવ આવ્યો હતો પરંતુ માઇનર હતો. ડોક્ટર સંજય ભટ્ટના માર્ગદર્શનથી ઘરમાં આઇસોલેટ થઈને રહ્યો અને સફળતાથી બહાર આવ્યો. સમયસર કોરોના ડિટેક્ટ થયો અને દવા નિયમિત લીધી તેનો ફાયદો થયો. હું એવું દ્રઢતા પૂર્વક માનું છું કે દરેક વ્યક્તિએ લક્ષણો દેખાય તો આ ટેસ્ટ સત્વરે કરાવવો જોઈએ જેથી યથા યોગ્ય સારવારથી પરિણામ પણ ચોક્કસ મળશે.

જાતે સંભાળ રાખશો તો થશે કુટુંબનું કલ્યાણ
ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય)

પ્રાથમિક રીતે મને થોડા ઘણા કોરોનાના લક્ષણ જેવું લાગ્યું હતું. પ્રથમ બે વખત ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ સીટીસ્કેન કરાવ્યું તેમાં બે ટકા જેટલો બતાવતો હતો. આ વખતે ડો.ડોબરીયાના માર્ગદર્શનથી હોસ્પિટલમાં એડમિટ થયો હતો. સમયસર ચેતી જવાથી મને ફાયદો થયો છે. કોરોનાથી ડર્યા વગર ટેસ્ટ કરાવવો જરૂરી છે. ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ હરખાવવું જોઈએ નહીં. લોકોને સંદેશ છે કે ડોક્ટરની સલાહ લઇ ટ્રીટમેન્ટ શરૂ કરી જાતે સંભાળ રાખશો તો કુટુંબનું પણ કલ્યાણ થશે.

You Might Also Like

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રોલ/સામુહિક દુષ્કર્મની ઘટનાને લઈને  સંપૂર્ણ બંધ
Next Article ધોરાજી ઉપલેટા પંથકમાં ખનીજનો દરોડો આઠમ પર સહિત 1.16 કરોડનો મુદ્દામાલ સિઝ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
TALK OF THE TOWNરાજકોટ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?