બે-પાંચ તત્વો દ્વારા માહોલ બગાડવાનો પ્રયાસ – ડે.મેયર
વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ શરુ કરી: ઐતિહાસિક કિલ્લામાં પહેલા પણ મહેલ મુદ્દે વિવાદ થયો હતો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં તા.15 ઓકટોબરના રોજ સાંજના સમયે આઠ લોકો દ્વારા નમાજ પઢવાનો વિડિઓ વાયરલ થતા વિવાદ જોવા મળી રહ્યો છે કિલ્લામાં આવેલ અડીકડી વાવ પાસેના બગીચામાં જાહેરમાં નમાજ પઢતા હોવાના વિડિઓથી એક પછી એક આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી રહી છે અને શહેરની કોમી એકતાની શાંતિ ડોહળાવાનો પ્રયાસ કરવાનું કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
- Advertisement -
ઉપરકોટ કિલ્લો તાજેતરમાંજ રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ થયા બાદ કિલ્લાને મુખ્યમંત્રી હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ત્રણ દિવસ નિ:શુલ્ક કિલ્લો ખુલ્લો મુકાયો હતો અને ત્યારબાદ નિયત ટિકિટ દર મુજબ લોકો કિલ્લાની મુલાકાત લેતા રહ્યા છે ત્યારે રવિવારે આઠ લોકો દ્વારા કિલ્લાના અડીકડી વાવ નજીક નમાજ પઢતા કોમી વાતાવરણને ડોહળવા કૃત્ય થયું કે પછી કોની દોરવણીથી થયું તે બાબતે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.
કિલ્લામાં જાહેરમાં નમાજ પઢવાનો વિડિઓ વાયરલ થતા મહાનગર પાલિકા ડેપિયૂટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ખાસ ખબર સાથે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આવારા તત્વો દ્વારા જૂનાગઢનું અવતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે જયારે જૂનાગઢ શહેરમાં હિન્દૂ – મુસ્લીમ ભાઈઓ એકતાના ભાઈચારા થી શાંતિથી રહે છે ત્યારે બે પાંચ તત્વો માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે દરેક લોકોને પોતાના ધર્મ સ્થાન હોય છે તે મુજબ પોતાનું ધર્મનું પાલન કરવું જોઈએ ત્યારે જે થયું એ બરાબર નથી અને શહેરનો માહોલ બગાડવાનો પ્રયાસ છે.
ઉપરકોટ કિલ્લામાં જાહેરમાં નમાજ પઢવાનો વિડીયો વાયરલ જોવા અહીં ક્લિક કરો…..