By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 day ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    1 day ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    1 day ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    1 day ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    1 day ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    1 day ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    2 days ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    2 days ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 day ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    3 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ : ગંદા પાણી, ખાડાઓ અને રોગચાળા મુદ્દે મનપા સામે મોરચો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ : ગંદા પાણી, ખાડાઓ અને રોગચાળા મુદ્દે મનપા સામે મોરચો
રાજકોટ

જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ : ગંદા પાણી, ખાડાઓ અને રોગચાળા મુદ્દે મનપા સામે મોરચો

Khaskhabar Editor
Last updated: 2026/08/20 at 2:52 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
7 Min Read
SHARE

પ્રજાના પ્રશ્નો યથાવત, તંત્ર ભરનિંદ્રામાં

પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની રાજકોટ શહેર કોંગ્રેસની ચીમકી

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે જ શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું હતું. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન
અને ધરણાં યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ જુદા જુદા પોસ્ટરો દર્શાવી મનપા તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વિવિધ મુદ્દે સૂત્રોચ્ચાર કરવામાં આવતા પોલીસ દ્વારા તેમને અટકાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. સૂત્રોચ્ચાર કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરીને કચેરી પરિસરમાંથી દૂર કર્યા હતા.

રાજકોટ શહેરમાં સતત વધી રહેલી પ્રજાલક્ષી સમસ્યાઓ, મહાનગરપાલિકાની કામગીરી સામેના આક્ષેપો અને કથિત ભ્રષ્ટાચારના મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકા ખાતે વિરોધ કાર્યક્રમ
યોજવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિવિધ પ્રશ્નોને લઈને તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી અને પ્રજાના પ્રશ્નોનો
તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચોમાસાની શરૂઆત સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીની વાસ્તવિક સ્થિતિ સામે આવી ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં હજુ
પણ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી લોકોના ઘરો સુધી પહોંચતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. બીજી તરફ, શહેરના વિવિધ માર્ગો પર સર્જાયેલા અસંખ્ય ખાડાઓને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો
કરવો પડી રહ્યો છે.

- Advertisement -

કોંગ્રેસે જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કર્યાના મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ વરસાદી ઋતુ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી, પાણી ભરાવા અને
રસ્તાઓની બિસ્માર સ્થિતિ સામે આવતા આ કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, પ્રિમોન્સૂન કામગીરીનો મોટો હિસ્સો માત્ર કાગળ પર જ પૂર્ણ કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના
રસ્તાઓ પર પડેલા ખાડાઓ અંગે પણ કોંગ્રેસે તંત્રને ઘેર્યું હતું. ખાડાઓના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે ત્યારે માર્ગોની યોગ્ય રીતે મરામત કરવામાં આવે અને વરસાદ દરમિયાન ખાડાઓને કારણે સર્જાતી
સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

તાજેતરમાં રાજકોટ શહેરમાં હાથ ધરાયેલા મેગા ડિમોલેશન બાદ જવાબદારી નક્કી કરવા માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) અંગે પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે SITની રચના થયા બાદ
પણ આજદિન સુધી કોઈ જવાબદાર વ્યક્તિ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. કોંગ્રેસના મતે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં વિલંબ થવાથી SITની કામગીરી માત્ર દેખાડા પૂરતી રહી હોવાની પ્રજામાં લાગણી
ઊભી થઈ રહી છે. જવાબદારી નક્કી કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ પણ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક દરમિયાન ત્રિકોણ બાગ ખાતે જનઆક્રોશ ધરણા કાર્યક્રમ યોજીને શહેરના વિવિધ પ્રશ્નોને ઉજાગર કરવામાં આવ્યા હતા. તે સમયે ગંદુ પીવાનું પાણી,
ખાડાયુક્ત રસ્તાઓ, કથિત ભ્રષ્ટાચાર, અધૂરી પ્રિમોન્સૂન કામગીરી અને પ્રાથમિક સુવિધાઓના અભાવ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે જણાવ્યું હતું કે અગાઉ રજૂ કરાયેલા પ્રશ્નો પૈકી અનેક પ્રશ્નો આજે પણ યથાવત
છે. વારંવાર રજૂઆતો અને વિરોધ કાર્યક્રમો બાદ પણ સમસ્યાઓનો અસરકારક ઉકેલ ન આવતા તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ચોમાસાની ઋતુ દરમિયાન શહેરમાં વધતી ગંદકી અને ગંદા પાણીના પ્રશ્નને કારણે રોગચાળાની સ્થિતિ અંગે પણ કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસના જણાવ્યા મુજબ, અખબારી અહેવાલોમાં છેલ્લા એક સપ્તાહમાં 1,500થી
વધુ રોગચાળાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં આરોગ્યલક્ષી કામગીરીને વધુ અસરકારક બનાવવાની જરૂર હોવા છતાં તંત્ર દ્વારા પૂરતી ગંભીરતા દાખવવામાં આવી રહી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો
હતો. કોંગ્રેસે માંગ કરી હતી કે શહેરમાં ગંદા પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે, ગંદકી દૂર કરવામાં આવે, દવા છંટકાવ અને સફાઈ કામગીરીમાં વધારો કરવામાં આવે તથા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે
અસરકારક પગલાં ભરવામાં આવે.

આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટની જનતા આજે ગંદા પાણી, ખાડાયુક્ત રસ્તાઓ, રોગચાળો, અધૂરી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપોથી ત્રસ્ત છે. મેગા ડિમોલેશન બાદ
રચાયેલી SIT અંગે પણ તેમણે સવાલ ઉઠાવી કહ્યું હતું કે જો કોઈ જવાબદાર સામે કાર્યવાહી જ ન થાય તો SITની કામગીરી અંગે લોકોમાં શંકા ઊભી થવી સ્વાભાવિક છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે પ્રજાના પ્રશ્નોને લઈને
અવારનવાર રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવે છે છતાં ઘણા પ્રશ્નો હજુ પણ યથાવત છે. ભાજપના કોર્પોરેટરો ચૂંટણી સમયે મોટા મોટા વચનો આપે છે, પરંતુ હવે પોતાના જ વોર્ડના પ્રશ્નો સમયે તેઓ ગાયબ
થઈ ગયા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ડૉ. જાડેજાએ જણાવ્યું હતું કે પ્રજાએ ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓની પ્રથમ જવાબદારી પોતાના વિસ્તારમાં રહેતા લોકોની સુખાકારી માટે કામ કરવાની છે. શહેરમાં આરોગ્ય,
ગંદકી, શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવવું જોઈએ. પરંતુ વર્તમાન તંત્ર આ મુદ્દે નિષ્ફળ સાબિત થયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

વિરોધ કાર્યક્રમમાં જશવંતસિંહ ભટ્ટી, વશરામભાઈ સાગઠીયા, ડી.પી. મકવાણા, ગોપાલભાઈ અનગઢ, સંજયભાઈ અજુડીયા, વૈશાલીબેન શિંદે, જયદીપ મયાત્રા, હરદીપભાઈ રાઠોડ, આર્યનભાઈ કુરેશી, કરીનાબેન કુરેશી,
હરેશભાઈ ભારાઈ, સુરેશભાઈ ગરૈયા, કનકસિંહ જાડેજા, ડાયાભાઈ શેઠિયા, દીપુબેન રવૈયા, નિલેશભાઈ મારુ, હીરાભાઈ પરમાર, હેમાંગીબેન ગોંડલીયા, સુનિલભાઈ ચાવડીયા, રસિકભાઈ ભટ્ટ, એસાનભાઈ ચૌહાણ, રણજીતભાઈ
મુંધવા, જલ્પેશભાઈ વાઘેલા, સલીમભાઈ કારીયાણીયા, જીતુભાઈ રાઠોડ, ભાવેશભાઈ વાઘેલા, યજ્ઞેશભાઈ જોશી, નીતિનભાઈ ભંડેરી, યોગીતાબેન વાડોલીયા, રાજુભાઈ ચાવડા, હિરલબેન રાઠોડ, મેપાભાઈ કણસાગરા, ગૌરવભાઈ
પુજારા, મયુરભાઈ શાહ, અલ્તાફભાઈ મેમોન, જયાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન વરાણીયા, કિશનભાઈ ગોંડલીયા, મિલનભાઈ પરમાર, નયનાબા જાડેજા, રૈયાભાઈ બાંભવા, જીગ્નેશભાઈ વાગડિયા, ધ્રુમિલ રાઠોડ, અનીશભાઈ જોશી,
જગદીશસિંહ જાડેજા, દીપેનભાઈ ભગદેવ, જયાબેન ટાક, નરેન્દ્ર પટેલ, ફેનિલભાઈ વોરા, બબીતાબેન ગઢીયા, સિકંદરભાઈ ડાકોરા, હાજીભાઈ ઓડિયા, અક્ષાંશ ગોસ્વામી, પ્રવીણભાઈ દેસાઈ, તુષારભાઈ નંદાણી, રાજુ અમરાણીયા,
ઠાકરશીભાઈ સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

શુદ્ધ પાણી અને સારા રસ્તા નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે રાજકોટની જનતાને શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તા અને જરૂરી પ્રાથમિક સુવિધાઓ ન મળે ત્યાં સુધી કોંગ્રેસની લડત ચાલુ રહેશે. મહાનગરપાલિકા
તંત્ર દ્વારા પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક અને અસરકારક નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

You Might Also Like

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત

સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ

રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ સેમ-૨ના પરિણામમાં ૫૦% વિદ્યાર્થી નાપાસ : હજારો વિદ્યાર્થીના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન
Next Article સરધારમાં મંજૂરી વિના જ ‘શૌર્ય સિંદૂર મેળો’ ધમધમી રહ્યો છે : અકસ્માત થાય તો જવાબદાર કોણ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ
હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત
સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ
રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા
પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?