બિહારમાં જાતિ આધારિત ગણતરી શરૂ થઇ ગઇ છે. આ મતગણતરીમાં બિહારના બધા રહેવાસીઓએ તેમની જાતિની સાથે બીજી કેટલીક જાણકારીઓ પણ આપવી પડશે, જેનો રેકોર્ડ રાખવામાં આવશે. જાતિ ગણતરી શરૂ થતા પહેલા મુખ્યમંત્રી નીતીશ કુમારએ કહ્યું કે, આ ગણતરીથી બધાને લાભ થશે.
- Advertisement -
બિહારમાં આજથી જાતિ ગણતરી પ્રથમ ભાગનું કામ ચાલુ થયું ગયું છે. જેમાં રહેણાંક મકાનો પર નંબર લગાવવામાં આવશે. આ ગણતરીમાં બધા રહેવાસીઓ પાસેથી તેમની જાતિની સાથે બીજી જાણકારી પણ મળશે. જેનો રેક્રોડ રાખવામાં આવશે. જાતિ ગણતરી શરૂ થતા પહેલા મુખ્યમંત્રી નીતીશ કુમારએ કહ્યું કે, આનાથી બધા લાભ મળશે. તેમણે જણાવ્યું કે, આ ગણતરી દરમ્યાન કેવળ જાતિની જ ગણતરી નહીં થાય, પરંતુ રાજ્યાના દરેક પરિવાર વિશે પૂરી જાણકારી મળશે. જેનાથી દેશના વિકાસ અને સમાજના કલ્યાણમાં મોટો ફાયદો થશે. જયારે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે, આજથી મોટી ઐતિહાસિક શરૂઆત થઇ રહી છે. અમે લોકો લાંબા સમયથી તેમની માંગણી કરી રહ્યા હતા.
બે ભાગમાં પૂરી થશે જાતિ આધારીત ગણતરી
મળેલી જાણકારી અનુસાર, 7 જાન્યુઆરીથી શરૂ થયેલી ગણતરીનો પહેલો ભાગ 21 જાન્યુઆરી સુધી ચાલશે. ત્યાર પછી બીજા ભાગમાં 1 એપ્રિલથી 30 સુધી ચાલશે. બંન્ને ભાગોમાં સમગ્ર બિહારની જાતિ આધારિત ગણના પૂર્ણ કરવામાં આવશે. મે 2023 સુધી જાતિ ગણતરીને પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
#WATCH | Caste-based survey will start in Bihar from today. It will give us scientific data so that budget and social welfare schemes can be made accordingly. BJP is anti-poor. They don't want this to happen: Bihar Deputy CM Tejashwi Yadav pic.twitter.com/DjlQu9cSSF
- Advertisement -
— ANI (@ANI) January 7, 2023
એતિહાસિક કામની શરૂઆત થઇ રહી છે- ડેપ્યુટી સીએમ
જયારે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવએ કહ્યું કે, આજે મોટા ઐતિહાસિક કામની શરૂઆત થઇ રહી છે. જે લાલૂજી પહેલેથી જ માંગણી કરી રહ્યા છે, જેને લઇને અમે રસ્તા પર ઉતર્યા હતા અને મનમોહનજીની સરકારએ જાતિ ગણતરીનો સર્વ પણ કર્યો હતો, પરંતુ બીજેપીએ આ ડેટાને ખોટો ગણાવ્યો હતો. બીજેપી ગરીબ વિરોધી છે, જે લોકો નથી ઇચ્છતા કે, જાતિ ગણતરી છે. જ્યારે તમે લોકો ગયા ત્યારે બીજેપીએ મોટો ડ્રામા કર્યો છે. આજે જેની શરૂઆત થઇ રહી છે, જેનો સાચો ડેટા આવશે તો તેના હિસાબથી બજેટનું સ્વરૂપ તૈયાર કરશે અને કલ્યાણકારી યોજના બનાવશે.
2 જૂન 2022ના નિર્ણય લેવામાં આવ્યો હતો
બિહારમાં જાતિ ગણતરીનો નિર્ણય રાજ્ય મંત્રી પરિષદની બેઠકમાં બે જૂન 2022ના લેવામાં આવ્યો હતો. જો કે તેના બે મહિના પછી સરકાર ફરી ગઇ હતી. એવામાં હવે સરકાર ગણના કરવા જઇ રહી છે. જાતિ આધારીત ગણતરીની પૂરી જવાબદારી સામાન્ય પ્રશાસન વિભાગને આપવામાં આવી છે. જિલ્લા સ્તર પર જિલ્લા અધિકારીને નોડલ અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે.