આજે સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. જેમમાં પાક નુકસાનની સહાય, કોરોના કેસ, પીવાના પાણી મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠળ મળશે. આજે સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં બેઠક શરૂ થશે. આ બેઠકમાં રાજ્યમાં કમોસમી વરસાદ નુકસાન બાદ સહાય માટે સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમની રૂપરેખા બાબતે પણ ચર્ચા થશે.
- Advertisement -
કોરોનાના વધતા કેસ સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના અંગેની સ્થિતિ અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. તો રાજ્યમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. ગુજરાતમાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે ઘઉં, કપાસ, જીરું, ચણા સહિતના પાકોને નુકસાન થયું છે. જેનો સર્વે કરાયો છે. ત્યારે આજની બેઠકમાં સહાય માટેની સમીક્ષા કરાશે. તો ઉનાળામાં રાજ્યમાં પીવાના પાણી અંગે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.