ભવનાથ પોલીસ સ્ટે.PSI ચુડાસમાએ માર મારવાનો મામલો
ભવનાથ PSI વિરુદ્ધ SPને ફરિયાદ: સામાન્ય બનાવમાં માર કેમ મરાયો?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સોનાપુરી સ્મશાનમાં લાકડા કાપવાના કોન્ટ્રાક બેજ પર કામ કરતા અરજણ ચાવડાને સામાન્ય ફરિયાદની અરજી મળી હતી જેમાં અરજણ ચાવડા ને ભવનાથ પોલીસ સ્ટેશન બોલાવી 151 મુજબ કાર્યવાહી કરીને છાતી તેમજ શરીર ના અન્ય ભાગોમાં માર મારતા અરજણ ચાવડા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી અને પીએસઆઇ એમ.સી. ચુડાસમા સામે અરજણ ચાવડા એ એસપી ને લેખિત માં ફરિયાદ કરવા અરજી આપી છે.
અસોનાપુરી સ્મશાનમાં કામ કરતા રજણ ચાવડા ને માર મારવાના મામલે એસપીને લેખિતમાં ફરિયાદ કરીને એવી માંગ કરી હતી કે મને ભવનાથ પોલીસ સ્ટેશને બોલાવીને ભૂંડી ગાળો આપી હતી અને માર માર્યો હતો અને તેની સાથે જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પીએસઆઇ ચુડાસમા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભવનાથ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ ચુડાસમા પોલીસ પ્રજાની મિત્રના સૂત્રને ભૂલી ગયા હોઈ તેમ સામાન્ય અરજીની ફરિયાદમાં અરજણ ચાવડાને માર માર્યો ત્યારે પીએસઆઇ ચુડાસમા ભાન ભૂલ્યા હોય તેમ સામાન્ય નાગરીકને માર માર્યાનો આક્ષેપ અરજણ ચાવડા એ કર્યો છે અને ઊંચ અધિકારી પાસે ન્યાયની માંગણી કરીને પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા એસપીને અરજી કરી છે.
- Advertisement -
PSI વિરુદ્ધ ફરિયાદ થશે ?
જૂનાગઢ સોનાપુરી સ્મશાનમાં કામ કરનાર અરજણ ચાવડાને ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ કરવાની માંગ કરી છે ત્યારે શું ઉંચ્ચ અધિકરી અરજણ ચાવડા ન્યાય અપાવશે અને માર માર્યાના બનાવ મામલે ઊંચ અધિકારી પીએસઆઇ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશે ?