-આજે અમદાવાદમાં આગમન: બાબા સુરક્ષા કમાન્ડો-પોલીસનાં ઘેરામાં રહેશે
બાગેશ્વર બાબાના નામે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીને થોડા સમય પહેલા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા તેમને વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.નોંધનીય છે કે વાય સુરક્ષામાં એક કે બે કમાન્ડો ઉપરાંત સુરક્ષા વર્તુળમાં પોલીસ કર્મીઓ સહીત આઠ જવાન સામેલ હોય છે.
- Advertisement -
તો બીજી તરફ બાબા બાગેશ્વરનાં દરબાર પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમા ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબારને લઈને દરબાર પહેલા યોગ્ય સુચનાઓ આપવામાં આવે તેવી ગુજરાત હાઈકોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. ઉપરાંત હેટ સ્પીચ અને સામાજીક વૈમનસ્ય ન ફેલાય તે ધ્યાને રાખવા અરજીમાં માંગ કરવામાં આવી હતી જોકે આ અરજીની અર્જન્ટ સકર્યુલેશનની માંગ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
અરજદારે વિવિધ વિભાગોને લેખીત રજુઆત કર્યા બાદ પણ કોઈ જવાબ ન મળ્યો હોવાની પણ કોર્ટને માહિતી આપી હતી. અરજદારે સંબંધીત વિભાગો દ્વારા જરૂરી નોટીફીકેશન પણ કાઢયુ ન હોવાની પણ રજૂઆત કરી હતી. પરંતૂ સામે રાજય સરકારે જો કોઈ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય તો સુઓમોટોનું વિકલ્પ ખુલ્લો હોવાની રજુઆત કરી હતી.
એટલૂ જ નહિં, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સરકારે કોર્ટમાં બાહેંધરી આપી હતી. દરમ્યાનમાં બાગેશ્વર ધામ સરકાર અને બાબા બાગેશ્વરનાં નામે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદ આવશે. અમદાવાદનાં વટવામા ચાલી રહેલી દેવકીનંદન મહારાજની કથામાં હાજરી આપશે.બપોરે 3 થી 7 વાગ્યા દરમ્યાન બાબા બાગેશ્વર હાજરી આપશે.નોંધનીય છે કે દેવકીનંદન મહારાજને ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના મોટાભાઈ માને છે.
- Advertisement -