-નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ
નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ સંસદનો આવશ્યક ભાગ છે. તેમના દ્વારા ઉદ્ઘાટન ન કરવાનો લોકસભા સચિવાલય દ્વારા લેવાયેલો નિર્ણય ખોટો છે. વિગતો મુજબ અરજદારનું નામ સીઆર જયસુકિન છે. જયાસુકિન વ્યવસાયે વકીલ જાહેર હિતની અરજીઓ દાખલ કરવાનું કામ કરે છે.
- Advertisement -
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલમાં માંગ કરવામાં આવી છે કે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પીએમ દ્વારા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો વિરોધ કરી રહેલા ઘણા વિપક્ષી દળોએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી છે.
PIL filed in Supreme Court seeking a direction that the #NewParliamentBuilding should be inaugurated by the President of India. pic.twitter.com/IG8y4gQn4i
— ANI (@ANI) May 25, 2023
- Advertisement -
વિરોધ પક્ષોએ બહિષ્કાર કર્યો
PM મોદી દ્વારા નવા સંસદભવનના ઉદ્ઘાટનનો કોંગ્રેસ, TMC, RJD સહિત 19 પક્ષોએ વિરોધ કર્યો છે. આ પક્ષોએ 28મી મેના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનું કહ્યું છે. તેઓએ માંગ કરી છે કે, તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવે.