ભાજપે કેજરીવાલના નવા ઘરના ફોટા જાહેર કર્યા: દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માનો આરોપ- તેમની લાઈફસ્ટાઈલ લક્ઝરી
અઅઙ પ્રમુખ પર ભાજપનો ‘શીશ મહેલ પાર્ટ-2’નો આરોપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભાજપે શનિવારે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના 95 લોધી એસ્ટેટ ખાતેના ઘરની તસવીરો જાહેર કરી. દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ આરોપ લગાવ્યો કે તેમના મનમાં હજુ પણ ‘શીશમહેલ’ રહેલો છે. તેમણે સરકારી આવાસને આલીશાન બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે.
અરવિંદ 24 એપ્રિલે નવા સરકારી આવાસમાં શિફ્ટ થયા હતા. વર્માએ કહ્યું કે કેજરીવાલ લાંબા સમયથી સરકારી બંગલા માટે કોર્ટમાં જઈ રહ્યા હતા. હવે તેમને 95 લોધી એસ્ટેટમાં આવાસ મળ્યું છે. તસવીરો જોઈને આશ્ચર્ય થયું. જે સાદગીની વાત કરતા હતા તેઓ આજે લક્ઝરી લાઈફ સ્ટાઈલ જીવી રહ્યા છે.
પ્રવેશ વર્માએ કહ્યું, ‘દિલ્હીના રહેમાન ડકૈત’, જે રીતે ફિલ્મ ‘ધુરંધર’ની સિક્વલ આવી છે, તે જ રીતે આજે અમે ‘શીશ મહેલ-2’નો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ. જ્યારે દિલ્હી કોવિડની લહેર સામે ઝઝૂમી રહી હતી, ત્યારે અરવિંદે દિલ્હીમાં શીશમહેલ બનાવ્યો.
‘દિલ્હીના લોકો કોવિડની દવાઓની માંગ કરી રહ્યા હતા અને મરી રહ્યા હતા. તે સમયે પણ કેજરીવાલના આદેશ પર શીશમહેલનું કામ એક દિવસ માટે પણ અટક્યું ન હતું. જ્યારે ‘ધુરંધર’ દિલ્હીના મતદારોએ દિલ્હીના ‘રહેમાન ડકૈત’ને હરાવી દીધા, ત્યારે તેઓ પંજાબ ચાલ્યા ગયા.’
‘ભગવંત માનની મુશ્કેલીઓ વધારી દીધી. ભગવંત માનના ઘરની આસપાસના ચાર મોટા સરકારી મકાનોમાંથી એકમાં કેજરીવાલ, બીજામાં પૂર્વ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, ત્રીજામાં રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને એક અન્યમાં મનીષ સિસોદિયા રહી રહ્યા હતા.’
તેમણે વધુમાં કહ્યું, ‘પંજાબમાં ભગવંત માન પરેશાન છે. ત્યાં પણ તેમણે એક વધુ શીશમહેલ બનાવ્યો. આજે દિલ્હીમાં તેઓ ઘણા વર્ષોથી કોર્ટમાં જઈને બંગલાની માંગ કરી રહ્યા હતા. અને જ્યારે તેમને તે બંગલો મળ્યો, જેમાં તેઓ ગઈકાલે શિફ્ટ થયા – 95 લોધી એસ્ટેટ ત્યારે તેની તસવીરો સામે આવતા અમે આશ્ર્ચર્યચકિત થઈ ગયા. જે વ્યક્તિ સાદગીથી રહેવાની વાત કરતો હતો, આજે તે ખૂબ જ ભવ્ય જીવન જીવી રહ્યા છે.’
કેજરીવાલ શુક્રવારે સરકારી આવાસમાં શિફ્ટ થઈ ગયા. કેન્દ્રએ તેમને રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ તરીકે ગયા વર્ષે ઓક્ટોબરમાં લોધી એસ્ટેટમાં એક બંગલો ફાળવ્યો હતો. હાલ તેઓ પંજાબથી અઅઙના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને ફાળવેલા સરકારી આવાસમાં રહી રહ્યા હતા. આ સરકારી આવાસ માટે તેમણે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમાં સુનાવણી દરમિયાન કેન્દ્રએ અદાલતને કહ્યું હતું કે 10 દિવસની અંદર તેમને આવાસ આપી દેવામાં આવશે. આ અંતર્ગત 95 લોધી એસ્ટેટમાં આવાસ ફાળવવામાં આવ્યું હતું.



