સરકારે આ વર્ષથી આવક મર્યાદા વધારવાને લીધે અરજદારોની સંખ્યા વધી, 28મીએ પ્રથમ રાઉન્ડની જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ માટે દર વર્ષે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ 2025 -26 મા પ્રવેશ માટે માર્ચ મહિના અરજીઓ મગાવવામાં પ્રકિયા શરુ થઇ હતી જોકે અરજી ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થવાના ગણતરીના દિવસ બાકી હતા ત્યાં રાજ્ય સરકાર દ્વારા એડમિશન માટે આવક મર્યાદામાં વધારો કર્યો હતો અને વાર્ષિક આવક મર્યાદા રૂ 5 લાખ સુધી કરી હતી જે બાદ ફરી એડમીશન માટે ફોર્મ ભરવાની પ્રકિયા ચાલી હતી અને અંતિમ તા 15 એપ્રિલ રાખવામાં આવી હતી.
- Advertisement -
મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 181 શાળાની1928 જગ્યા માટે ફોર્મ ભરવામાં આવ્યા છે જેમાં 420 અંગ્રેજી માધ્યમ જયારે 1508 1 ગુજરાતી માધ્યમનો સમાવેશ થાય છે.મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 4692 અરજી મળી હતી જેમાંથી અલગ અલગ કારણસર 289 અરજી રીજેક્ટ કરવામાં આવી હતી.
જયારે 827 અરજી કેન્સલ કરવામાં આવી હતી તો 3576 અરજીને માન્ય રાખવામાં આવી છે.હવે આ માન્ય થયેલી અરજીઓ આધારે ઓનલાઈન સ્ક્રૂટિની થશે તેમજ તાલુકા મુજબ નક્કી કરેલા કેટેગરી અને ધારા ધોરણ મુજબ વિધાર્થીઓની પસંદગી થશે અને પ્રવેશ માટે જયારે પ્રથમ રાઉન્ડ જાહેર થશે ત્યારે પસંદ કરેલી શાળા પૈકી જે શાળામાં પ્રવેશ ક્ધફર્મ થશે વાલીએ તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેની ફોટો કોપી, એડમિશન ક્ધફર્મેશન માટે જે ઓનલાઈન ક્ધફર્મેશન લેટર સહિત શાળામાં જવાનું રહેશે અને એડમિશન પ્રકિયા પૂર્ણ કરવાની રહેશેે.
આ વર્ષના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 181 શાળાની 1928 જગ્યા માટે ઓન લાઈન અરજી કરવામાં આવી હતી જેમાં મોરબી તાલુકાની 101 શાળાની 1197 જગ્યા,માળિયાની 1 શાળાની 8 જગ્યા, ટંકારા તાલુકાની 20 શાળાની 279 જગ્યા, વાંકાનેર તાલુકાની 34 શાળાની 302 જગ્યા, હળવદની 25 શાળામાં 142 જગ્યાનો સમાવેશ થાય છે. માધ્યમ મુજબ જોઈએ તો જિલ્લામાં ગુજરાતી માધ્યમની 149 શાળા અંગ્રેજી માધ્યમની 31 શાળા હિન્દી માધ્યમની 1 શાળાનો સમાવેશ થાય છે. જે પણ અરજદારોના ફોર્મ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કારણે રદ થયા હોય તેવા અરજદારને વધુ એક તક મળશે અને આગામી 21થી 23 દરમિયાન ડોક્યુમેન્ટ અપલોડ કરીને સુધારો કરી શકશે.અને સુધારેલ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ તેને મંજુરી મળતા જયારે પ્રવેશ પ્ર્કીયાનો પ્રથમ તબક્કો શરુ થશે ત્યારે તે અરજદાર પણ માન્ય ગણાશે. નોંધનીય છે કે આ જ વર્ષથી રાજ્ય સરકારે વાલીઓની આવકની મર્યાદા વધારી દીધી હોવાથી મોટી સંખ્યામાં અરજદારો એલિજિબલ બની રહ્યા છે અને આરટીઇ અંતર્ગત એડમિશન લઇ પોતાના સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા મથી રહ્યા છે ત્યારે કરવામાં આવેલી આ જાહેરાત પણ રાહતરૂપ નીવડશે.