By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    23 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    23 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    23 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    1 day ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    24 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    7 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટુકાકાનું પાત્ર ભજવતાં કલાકાર ઘનશ્યામ નાયકનું નિધન, જાણો તેમના જીવનની કહાની..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટુકાકાનું પાત્ર ભજવતાં કલાકાર ઘનશ્યામ નાયકનું નિધન, જાણો તેમના જીવનની કહાની..
બોલીવુડમનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટુકાકાનું પાત્ર ભજવતાં કલાકાર ઘનશ્યામ નાયકનું નિધન, જાણો તેમના જીવનની કહાની..

Khaskhabar Editor
Last updated: 2021/10/04 at 11:08 AM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

છ દાયકાની લાંબી યાત્રામાં ર00 ગુજરાતી અને હિન્દી ફિલ્મો સાથે 3પ0થી વધુ સિરિયલોમાં કામ કર્યુ હતું. તેઓ વર્ષોથી રંગલો શ્રેણીના ભવાઇ નાટકો કરતા આવ્યા છે

આપણા બધાના ફેવરીટ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર ભજવતા રંગભૂમિ, ફિલ્મો, ટીવી શ્રેણીના જાણીતા કલાકાર ઘનશ્યામ નાયકનું રવિવારે કેન્સરની બિમારીને કારણે નિધન થયું છે. 77 વર્ષની વયે મુંબઇ ખાતે તેમને અંતિમ શ્ર્વાસ લીધા હતા. પ્રારંભે પૈસા કમાવવા માટે રસ્તાઓ ઉપર પણ પરફોર્મ કરતાં હતાં. 12 મે 1945ના રોજ મહેસાણાના ઊંઢાઇ ગામે જન્મ થયો હતો. તેમની કારકીર્દીના સક્રિય વર્ષો 1968 થી 2021 રહ્યા હતા. તેમના પરિવારમાં બે પુત્રી અને પુત્ર છે.

- Advertisement -

બાળપણથી ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવીને અભિયન શરુ કર્યો હતો. બાદમાં મુંબઇ જઇને બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘હસ્ત મેળાપ-1968’માં રજુ થઇ હતી આ ફિલ્મ જાણીતા હાસ્ય કલાકાર રમેશ મહેતાની પણ પ્રથમ ફિલ્ઈમ હતી. વેણીના ફૂલ ફિલ્મમાં પણ કામ કર્યુ તેમણે ડોશીમા ના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. તેઓ એક શ્રેષ્ઠ ગાયક કલાકાર પણ હતા.

- Advertisement -

સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપુર, આશા ભોંસલે, પ્રિતિ સાગર જેવા ખ્યાતનામ ગાયક કલાકાર સાથે ઘનશ્યામ નાયકે ગીતો ગાય છે. પહેલી હિન્દી ફિલ્મ 1960માં આવેલી ‘માસુમ’ હતી, જેમાં બાળ કલાકાર તરીકે ચમકયા હતા.

ઘણી હિન્દી ફિલ્મોમાં ઘનશ્યામ નાયકે સુંદર અભિયન કરીને દર્શકોના દિલ જીત્યા હતા. જેમાં કચ્ચે ધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક, આવારા, તિરંગા જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓ રંગભૂમિ અને ભવાઇ સાથે છેલ્લા છ દાયકાથી જોડાયેલા હતા. તેનું પ્રથમ નાટક ‘પાનેતર’ હતું. તેઓના પિતા, દાદા, પરદાદા બધા જ રંગભૂમિ ભવાઇ સાથે જોડાયેલા હોવાથી ઘનશ્યામ નાયકને પણ કલા વારસામાં મળી હતી.

તેમના પર દાદા તો રાજવી પરિવારના સંગીતાલયમાં આચાર્ય હતા અને જાણીતા સંગીતકાર શંકર જયકિશનમાના જય કિશનના ગુરુ હતા.ગુજરાતી ટીવી શ્રેણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ઘનશ્યામ નાયક તેના નટુકાકાના પાત્રથી સમગ્ર દેશમાં છવાઇ ગયા, અમર થઇ ગયા હતા. કેન્સર જેવી બિમારી હોવા છતાં દોઢ માસ પહેલા તેમણે આ ટીવી શ્રેણીનો દમણ ખાતે હપ્તો શુટીંગ કર્યો હતો. 1999 માં આવેલી ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મમાં વિઠ્ઠલકાકા ના પાત્રમાં સુંદર અભિનય કર્યો હતો. મણીમટકુ, એક મહલ કો સપનો કા સારથી, સારાભાઇ વર્સીલ સારાભાઇ છુટાછેડા જેવી ઘણી હિટ ટીવી શ્રેણીમાં કામ કર્યુ હતું. સમગ્ર ફિલ્મ જગતમાં તેઓ ‘રંગલો’ અને નટુકાકાના નામથી જાપીતા હતા.

ઘનશ્યામ નાયકને શરૂ કામ કરવાના બે કે ત્રણ રૂપિયા મળતા હતા. એક સમયે આર્થિક મુશ્કેલી વખતે બાળકોની ફિ ભરવા તેને મિત્રો પાસે પૈસા માંગવા પડતા હતા. જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ બાદ તેની સ્થિતિ ખુબ જ સારી થઇ ગઇ હતી. તેઓએ એક મુલાકાતમાં જણાવેલ કે મેકઅપમાં હોવાને મારૂ મૃત્યુ આવે એ જ અંતિમ ઇચ્છા છે પણ કેન્સર જેવી બિમારીએ છેલ્લા 3-4 માસથી પથારી વશ કર્યા હતા. રંગભૂમિ અને ભવાઇને જીવંત રાખવા ઘનશ્યામ નાયકના કાર્યો સદૈવ તેના ચાહકો યાદ કરશે.

‘નટૂકાકા’ને ગુરૂ માનતી હતી ઐશ્વર્યા રાય, શીખી હતી તેમની પાસે ભવાઇ

પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટ્ટુ કાકાનું પાત્ર ભજવને દર્શકોને હસાવનારા ઘનશ્યામ નાયકે 77 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહ્યું છે. હવે આ અભિનેતાનો કલાપ્રેમ, તેમની કોમિક ટાઈમિંગ, દિલીપ જોશી સાથેની કેમેસ્ટ્રી, ‘ભવાઈ’માં તેમનું પ્રદાન વગેરે યાદો ચાહકોના દિલમાં જીવતી રહેશે. ઘનશ્યામ નાયકના નિધનથી કલાકારો તેમની યાદમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

ઘનશ્યામ નાયક ફિલ્મ જગતના જાણીતાં અભિનેતા છે. બહુ ઓછા લોકો એ જાણતાં હશે કે ઐશ્વર્યા રાય તેમને પોતાના ગુરુ માનતી હતી. ઐશ્વર્યા ગુરુ-શિષ્યની પરંપરાનું પાલન કરીને તેમના ચરણ સ્પર્શ કરતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વાત ત્યારની છે જ્યારે ઐશ્વર્યાએ ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મ કરી હતી. ઐશ્વર્યાને આ ફિલ્મમાં એક ખાસ ડાન્સ કરવાનો હતો જેની ટ્રેનિંગ ઘનશ્યામ નાયકે ઐશ્વર્યાને આપી હતી.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઘનશ્યામ નાયક રંગભૂમિ ઉપરાંત ‘ભવાઈ’ના પણ ઉત્કૃષ્ટ કલાકાર હતા. ‘ભવાઈ’ લોકનાટ્ય ક્ષેત્રે ઘનશ્યામ નાયકનો ફાળો અમૂલ્ય છે. જ્યારે ‘હમ દિલ દે ચૂકે સનમ’ માટે ઐશ્વર્યાને ‘ભવાઈ’ શીખવવાનો વારો આવ્યો ત્યારે ઘનશ્યામ નાયકને યાદ કરવામાં આવ્યા. તેમણે ઐશ્વર્યાને ડાન્સ શીખવ્યો, જેની ઝલક દર્શકો ફિલ્મમાં જોઈ ચૂક્યા છે. એક્ટ્રેસ તેમને પોતાના ગુરુ માનવા લાગી હતી અને સેટ પર તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતી હતી.

12 મે 1945ના જન્મેલા ઘનશ્યામ નાયકે બાળપણથી જ અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. તેમણે આશરે 100 જેટલી ગુજરાતી અને હિન્દી ફિલ્મો ઉપરાંત 350થી વધુ ટીવી શોમાં કામ કર્યું હતું. નાટકો, ફિલ્મો હોય કે પછી ભવાઈ, તેમણે આખું જીવન અભિનય અને કળાને સમર્પિત કરી નાખ્યું હતું. તેમને સૌથી વધુ લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને કારણે મળી હતી.

જોકે તેમણે તરક મહેતા પહેલાં ‘ખિચડી’, ‘એક મહલ હો સપનોં કા’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ અને ‘છૂટા છેડા’ વગેરે જેવા શોમાં યાદગાર રોલ કર્યા હતા. તેઓ અભિનયને એટલા વરેલા હતા કે તેમણે જૂન મહિનામાં કેન્સરની સારવાર દરમ્યાન એવું જણાવ્યું હતું કે તેઓ જીવનના અંતિમ શ્વાસ સુધી કામ કરવા ઈચ્છે છે અને મૃત્યુ પણ મેકઅપ સાથે ઈચ્છે છે.

 

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પુરગ્રસ્ત વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે જીટીયુની પરીક્ષા મંગળવારથી લેવાશે
Next Article નુટુકાકાને અલવિદા: ઘનશ્યામ નાયકના અંતિમ સંસ્કારમાં પહોંચ્યાં હતા આ કલાકારો, ભીની આંખોએ આપી વિદાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજસ્થાનથી 38.67 ગ્રામ એમડી ડ્રગ લઈને આવતા રાજકોટ-જૂનાગઢના બે પેડલર ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 9 seconds ago
વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?