છ દાયકાની લાંબી યાત્રામાં ર00 ગુજરાતી અને હિન્દી ફિલ્મો સાથે 3પ0થી વધુ સિરિયલોમાં કામ કર્યુ હતું. તેઓ વર્ષોથી રંગલો શ્રેણીના ભવાઇ નાટકો કરતા આવ્યા છે
આપણા બધાના ફેવરીટ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર ભજવતા રંગભૂમિ, ફિલ્મો, ટીવી શ્રેણીના જાણીતા કલાકાર ઘનશ્યામ નાયકનું રવિવારે કેન્સરની બિમારીને કારણે નિધન થયું છે. 77 વર્ષની વયે મુંબઇ ખાતે તેમને અંતિમ શ્ર્વાસ લીધા હતા. પ્રારંભે પૈસા કમાવવા માટે રસ્તાઓ ઉપર પણ પરફોર્મ કરતાં હતાં. 12 મે 1945ના રોજ મહેસાણાના ઊંઢાઇ ગામે જન્મ થયો હતો. તેમની કારકીર્દીના સક્રિય વર્ષો 1968 થી 2021 રહ્યા હતા. તેમના પરિવારમાં બે પુત્રી અને પુત્ર છે.
- Advertisement -
બાળપણથી ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવીને અભિયન શરુ કર્યો હતો. બાદમાં મુંબઇ જઇને બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘હસ્ત મેળાપ-1968’માં રજુ થઇ હતી આ ફિલ્મ જાણીતા હાસ્ય કલાકાર રમેશ મહેતાની પણ પ્રથમ ફિલ્ઈમ હતી. વેણીના ફૂલ ફિલ્મમાં પણ કામ કર્યુ તેમણે ડોશીમા ના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. તેઓ એક શ્રેષ્ઠ ગાયક કલાકાર પણ હતા.
- Advertisement -
સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપુર, આશા ભોંસલે, પ્રિતિ સાગર જેવા ખ્યાતનામ ગાયક કલાકાર સાથે ઘનશ્યામ નાયકે ગીતો ગાય છે. પહેલી હિન્દી ફિલ્મ 1960માં આવેલી ‘માસુમ’ હતી, જેમાં બાળ કલાકાર તરીકે ચમકયા હતા.
ઘણી હિન્દી ફિલ્મોમાં ઘનશ્યામ નાયકે સુંદર અભિયન કરીને દર્શકોના દિલ જીત્યા હતા. જેમાં કચ્ચે ધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક, આવારા, તિરંગા જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓ રંગભૂમિ અને ભવાઇ સાથે છેલ્લા છ દાયકાથી જોડાયેલા હતા. તેનું પ્રથમ નાટક ‘પાનેતર’ હતું. તેઓના પિતા, દાદા, પરદાદા બધા જ રંગભૂમિ ભવાઇ સાથે જોડાયેલા હોવાથી ઘનશ્યામ નાયકને પણ કલા વારસામાં મળી હતી.
તેમના પર દાદા તો રાજવી પરિવારના સંગીતાલયમાં આચાર્ય હતા અને જાણીતા સંગીતકાર શંકર જયકિશનમાના જય કિશનના ગુરુ હતા.ગુજરાતી ટીવી શ્રેણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ઘનશ્યામ નાયક તેના નટુકાકાના પાત્રથી સમગ્ર દેશમાં છવાઇ ગયા, અમર થઇ ગયા હતા. કેન્સર જેવી બિમારી હોવા છતાં દોઢ માસ પહેલા તેમણે આ ટીવી શ્રેણીનો દમણ ખાતે હપ્તો શુટીંગ કર્યો હતો. 1999 માં આવેલી ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મમાં વિઠ્ઠલકાકા ના પાત્રમાં સુંદર અભિનય કર્યો હતો. મણીમટકુ, એક મહલ કો સપનો કા સારથી, સારાભાઇ વર્સીલ સારાભાઇ છુટાછેડા જેવી ઘણી હિટ ટીવી શ્રેણીમાં કામ કર્યુ હતું. સમગ્ર ફિલ્મ જગતમાં તેઓ ‘રંગલો’ અને નટુકાકાના નામથી જાપીતા હતા.
ઘનશ્યામ નાયકને શરૂ કામ કરવાના બે કે ત્રણ રૂપિયા મળતા હતા. એક સમયે આર્થિક મુશ્કેલી વખતે બાળકોની ફિ ભરવા તેને મિત્રો પાસે પૈસા માંગવા પડતા હતા. જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ બાદ તેની સ્થિતિ ખુબ જ સારી થઇ ગઇ હતી. તેઓએ એક મુલાકાતમાં જણાવેલ કે મેકઅપમાં હોવાને મારૂ મૃત્યુ આવે એ જ અંતિમ ઇચ્છા છે પણ કેન્સર જેવી બિમારીએ છેલ્લા 3-4 માસથી પથારી વશ કર્યા હતા. રંગભૂમિ અને ભવાઇને જીવંત રાખવા ઘનશ્યામ નાયકના કાર્યો સદૈવ તેના ચાહકો યાદ કરશે.
‘નટૂકાકા’ને ગુરૂ માનતી હતી ઐશ્વર્યા રાય, શીખી હતી તેમની પાસે ભવાઇ
પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટ્ટુ કાકાનું પાત્ર ભજવને દર્શકોને હસાવનારા ઘનશ્યામ નાયકે 77 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહ્યું છે. હવે આ અભિનેતાનો કલાપ્રેમ, તેમની કોમિક ટાઈમિંગ, દિલીપ જોશી સાથેની કેમેસ્ટ્રી, ‘ભવાઈ’માં તેમનું પ્રદાન વગેરે યાદો ચાહકોના દિલમાં જીવતી રહેશે. ઘનશ્યામ નાયકના નિધનથી કલાકારો તેમની યાદમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.
ઘનશ્યામ નાયક ફિલ્મ જગતના જાણીતાં અભિનેતા છે. બહુ ઓછા લોકો એ જાણતાં હશે કે ઐશ્વર્યા રાય તેમને પોતાના ગુરુ માનતી હતી. ઐશ્વર્યા ગુરુ-શિષ્યની પરંપરાનું પાલન કરીને તેમના ચરણ સ્પર્શ કરતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વાત ત્યારની છે જ્યારે ઐશ્વર્યાએ ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મ કરી હતી. ઐશ્વર્યાને આ ફિલ્મમાં એક ખાસ ડાન્સ કરવાનો હતો જેની ટ્રેનિંગ ઘનશ્યામ નાયકે ઐશ્વર્યાને આપી હતી.
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઘનશ્યામ નાયક રંગભૂમિ ઉપરાંત ‘ભવાઈ’ના પણ ઉત્કૃષ્ટ કલાકાર હતા. ‘ભવાઈ’ લોકનાટ્ય ક્ષેત્રે ઘનશ્યામ નાયકનો ફાળો અમૂલ્ય છે. જ્યારે ‘હમ દિલ દે ચૂકે સનમ’ માટે ઐશ્વર્યાને ‘ભવાઈ’ શીખવવાનો વારો આવ્યો ત્યારે ઘનશ્યામ નાયકને યાદ કરવામાં આવ્યા. તેમણે ઐશ્વર્યાને ડાન્સ શીખવ્યો, જેની ઝલક દર્શકો ફિલ્મમાં જોઈ ચૂક્યા છે. એક્ટ્રેસ તેમને પોતાના ગુરુ માનવા લાગી હતી અને સેટ પર તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતી હતી.
12 મે 1945ના જન્મેલા ઘનશ્યામ નાયકે બાળપણથી જ અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. તેમણે આશરે 100 જેટલી ગુજરાતી અને હિન્દી ફિલ્મો ઉપરાંત 350થી વધુ ટીવી શોમાં કામ કર્યું હતું. નાટકો, ફિલ્મો હોય કે પછી ભવાઈ, તેમણે આખું જીવન અભિનય અને કળાને સમર્પિત કરી નાખ્યું હતું. તેમને સૌથી વધુ લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને કારણે મળી હતી.
જોકે તેમણે તરક મહેતા પહેલાં ‘ખિચડી’, ‘એક મહલ હો સપનોં કા’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ અને ‘છૂટા છેડા’ વગેરે જેવા શોમાં યાદગાર રોલ કર્યા હતા. તેઓ અભિનયને એટલા વરેલા હતા કે તેમણે જૂન મહિનામાં કેન્સરની સારવાર દરમ્યાન એવું જણાવ્યું હતું કે તેઓ જીવનના અંતિમ શ્વાસ સુધી કામ કરવા ઈચ્છે છે અને મૃત્યુ પણ મેકઅપ સાથે ઈચ્છે છે.