By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    13 hours ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    2 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    13 hours ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    2 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    2 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    2 days ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    2 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    3 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    5 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    14 hours ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    3 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    3 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    3 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    3 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આકાર, નિરાકાર, પ્રતિમા, સંત, સેવક, ભક્તમાં ઈશ્વરની અનુભુતિ: યોગી શેરનાથજી બાપુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > આકાર, નિરાકાર, પ્રતિમા, સંત, સેવક, ભક્તમાં ઈશ્વરની અનુભુતિ: યોગી શેરનાથજી બાપુ
ગુજરાતજુનાગઢ

આકાર, નિરાકાર, પ્રતિમા, સંત, સેવક, ભક્તમાં ઈશ્વરની અનુભુતિ: યોગી શેરનાથજી બાપુ

Khaskhabar Editor
Last updated: 2022/07/16 at 4:28 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

ભવનાથમાં જેનો રોટલો અને ઓટલો મોટા છે એવા પૂજ્ય યોગી શેરનાથજી બાપુની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

સંતોની પાવન ભૂમિ ભવનાથ અને અહીં આવેલો ઊંચો ગઢ ગિરનાર. કે જ્યાં દત્ત, દાતાર અને માં અંબાનાં બેસણા છે. નવ નાથ અને ચોર્યાસી સિદ્ધનો જ્યાં વાસ છે. નાથ સંપ્રદાયનાં ઇષ્ટદેવ ગુરૂ શ્રીગોરક્ષનાથનો ધુણો ગીરનાર પર્વત ઉપર આવેલ છે. નાથ સંપ્રદાયની પરંપરા અને તેના વિચારો જનમાસ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પુ.યોગી શેરનાથજી બાપુ કરી રહ્યાં છે. ભવનાથમાં આવેલા પુ.શેરનાથજી બાપુનાં આશ્રમ શ્રી ગોરક્ષનાથ આશ્રમમાં નાથ સંપ્રદાયની પરંપરાની જ્યોત પ્રગટી રહી છે. અહીં આવતા ભક્તો, પ્રવાસીઓ ક્યારે ભુખ્યા પેટે જતા નથી. કસમયે પણ શાળા કે પ્રવાસીઓને બસ આવી પહોંચ તો પણ અહીં ભોજનની વ્યવસ્થા થઇ જાય છે. એટલે જ કહેવાય છે કે, ભવનાથમાં યોગી શેરનાથજી બાપુનો રોટલો(ભોજન) અને ઓટલો(રહેણાંક) મોટો છે.એવા પૂજ્ય અને પ્રાત: સ્મરણીય યોગી શેરનાથજી બાપુની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત…

- Advertisement -

ભુખ્યાને ભોજન કરાવવું એ સનાતન હિન્દુ ધર્મની પરંપરા છે. સૌરાષ્ટ્રમાં વિશેષ સ્વરૂપે આ કાર્ય થઇ રહ્યું છે. સંસારી તો ઠીક પરંતુ ભગવાધારી સંતોએ આ પરંપરાની જ્યોત અવીચલ ઝળહળતી રાખી છે. અન્નક્ષેત્રો, આશ્રમોમાંથી કોઇ ભુખ્યા પેટે જતું નથી. આવી જ ભેખ ભવનાથમાં પૂજ્ય યોગી શેરનાથજી બાપુએ ધારણ કરી છે. ભાવનાથમાં પુ.યોગી શેરનાથજી બાપુ ગુરૂ ત્રિલોકનાથજી બાપુનો આશ્રમ આવેલો છે. શ્રી ગોરક્ષનાથ આશ્રમ નામથી પણ વિશ્ર્વ પ્રખ્યાત અને પ્રસિધ્ધ છે. આ આશ્રમમાં સેવાની જ્યોત પ્રગટી રહી છે. આ ભાગીરથ કાર્ય પૂજ્ય યોગી શેરનાથજીબાપુ અવિરત પણે કરી રહ્યાં છે. ગુજરાતભરનાં લોકો માની રહ્યાં છે કે, ભવનાથમાં યોગી શેરનાથજી બાપુનો રોટલો અને ઓટલો મોટો છે. અહીં આવતા લોકો કયારે પણ ભુખ્યા જતા નથી.

ભવનાથમાં આવતા શાળાની બસ હોય કે રાજસ્થાન, હરિયાણા કે અન્ય રાજયમાંથી આવતી પ્રવાસીઓની બસ હોય કસમયે અહીં આવે તો પણ તેમને પ્રસાદ મળી રહે છે. શ્રી ગોરક્ષનાથ આશ્રમમાં દરરોજ બે હજાર લોકો ભોજન લે છે. તેમજ શનિવાર અને રવિવારનાં આ સંખ્યા 4 હજારે પહોંચી જાય છે. આ ઉપરાંત શિવરાત્રી અને પરિક્રમા દરમિયાન લાખો ભાવિકો અહીં પ્રસાદ લે છે. ઇશ્ર્વરની અનુભુતી અંગે પુ. યોગી શેરનાથજી બાપુએ કહ્યું હતું કે,ગુરૂ મહારાજ કહેતા હતા કે, વ્યક્તિ, સાધકનાં મન, બુદ્ધી, અહંકાર નિર્મળ બને, શુદ્ધ બને ત્યારે અંત:કરણની શુદ્ધતાનાં કારણે સાધકને, સંતને ઇશ્ર્વરત્વ, પરબ્રહ્મની અનુભુતી થાય છે. અનુભુતી આપણી અંદર રહેલા જીવાત્માની ચેતના આપણને ગુરૂકૃપા દ્વારા નિજાનંદ, અખંડાનંદ, પરમાનંદની અનુભુતિ કરાવે છે. શરીરની અંદર રહેલ જીવ આત્મા જ પરમાત્મા સ્વરૂપે છે. પરમાત્મા વ્યાપક અને જીવ, પ્રાણી માત્રમાં રહેલી ચેતના એ જ પરમાત્માનું સ્વરૂપ છે. ગીતમાં પણ કહ્યું છે અણુઅણુમાં પ્રતિમા(મુર્તિમાં), નીરાકાર,આકાર સ્વરૂપે પરમાત્મા રહેલો છે. આવી અનુભુતી ઇશ્ર્વર પ્રત્યેની છે. ઇશ્ર્વરીત્વ અવતાર સ્વરૂપે પણ હોય શકે અને પરમાત્મા સ્વરૂપે પણ હોય. તેમજ સંત,ભક્ત સ્વરૂપે પણ હોય શકે છે. નાથ સંપ્રદાય અને આદેશ અંગે પુ. યોગી શેરનાથજીબાપુએ કહ્યું હતું કે, નાથ સંપ્રદાયનાં સંતો, સેવકો જયારે મળે છે. ત્યારે એક બીજાને આદેશ કહે છે.

- Advertisement -

જેમ રામ-રામ, સીતારામ, જયશ્રીકૃષ્ણ કહેવાની પરંપરા હોય તેમ નાથ સંપ્રદાયમાં આદેશ કહે છે. આદેશ શબ્દનો અર્થ છે અવતાર પહેલા જે સ્વરૂપ તત્વ હતું. આદેશ એટલે જીવ અને જગતની એકાત્મકતાથી પરમાત્મા સાથે એક લીન થવાની પ્રક્રિયા. નાથ સંપ્રદાયનો ઉલ્લેખ વેદો, દ્વાપર યુગ,ત્રેતા યુગમાં જોવા મળે છે. નાથ સંપ્રદાયમાં ગોપીચંદ જેવા સંતો થઇ ગયા છે. રાજા ભર્તુહરીનો વિક્રમ સંવતની શરૂઆતથી ઉલ્લેખ જોવા મળે છે. નાથ સંપ્રદાય પ્રાચીન અને શીવ પરંપરા છે. જેનો ઉદ્ેશ આ જીવને શીવ સાથે અને આત્માને પરમાત્મા સાથે અનુભુતી કરાવવી. તેમજ સમાજ વચ્ચે રહી ગુરૂનાં ચરણોમાં આવી શિક્ષા અને દિક્ષા ગ્રહણ કરી આચાર,વિચાર અને વિવેક દ્વારા બહુજનહિતોનો માર્ગ આપનાવી, સવાર-સાંજ આરાધના, પ્રાર્થના, કર્મકાંડ કરી પોતાની અંતરમુળ વૃતિઓને ત્યાગી સમાજનું કલ્યાણ કરવું. પછી સમાજ સેવાનું કાર્ય હોય, શિક્ષણ હોય, ગૌ સેવા હોય, સદાવ્રત હોય તેના માટે તિર્થ સ્થાન, યાત્રા સ્થાને આશ્રમો સ્થાપ્યાં છે.

ગુરૂ ગોરક્ષનાથ બાળ સ્વરૂપ છે: યોગી શેરનાથજી બાપુ
યોગી શેરનાથજી બાપુએ કહ્યું હતું કે, ગુરૂ ગોરક્ષનાથ બાળ સ્વરૂપ છે.નાથ સંપ્રદાયનાં ઇષ્ટદેવ માનવામાં આવે છે. ગુરૂ ગોરક્ષનાથ પછી નવ નાથનો ઉલ્લેખ મળે છે.નાથ પરંપરા પ્રાચીન છે. ગિરનાર પર્વત ઉપર ગોરખ ધુણો પ્રસિધ્ધ છે. ગીર સોમનાથ જિલ્લામાં ગોરખ મઢી આવેલી છે. પોરબંદર જિલ્લામાં પણ સ્થાન આવેલું છે. ચોટીલા પાસે પંચાળમાં પણ જગ્યા પ્રસિધ્ધ છે. ગુરૂ ગોરક્ષનાથ ભગવાન શિવ સ્વરૂપ છે. બાળ યોગી છે. ભારતભરમાં પ્રાચિન સમયથી પ્રસિધ્ધ છે. આજે પણ મઠ, આશ્રમો,મંદિરો નાથ યોગી અને નાથ સેવકોનાં નામથી પ્રસિધ્ધ થયેલા છે.

યોગી શેરનાથજી બાપુએ 20 વર્ષની ઉંમરે દિક્ષા લીધી: નાથ સંપ્રદાય અને પરંપરા માટે જીવન સમર્પણ કર્યું

શ્રી ગોરક્ષનાથ આશ્રમમાં દરરોજ 2 હજાર લોકો પ્રસાદ લે છે: શિવરાત્રિ, પરિક્રમામાં લાખો ભાવિકો આવે

શાળા કે પ્રવાસીઓની બસ કસમયે આવે તો પણ શ્રી ગોરક્ષનાથ આશ્રમેથી ભૂખ્યા પેટે જતા નથી

રાજ દંડ ઉપર ધર્મ દંડ રહેલો છે
યોગી શેરનાથજી બાપુએ કહ્યું હતું કે, રાજ દંડ ઉપર ધર્મ દંડ પહેલેથી રહેલો છે. ધર્મ રાજકારણથી અલગતાવાદ નહી પરંતું એકતાવાદ છે. પ્રાચીન સમયમાં પણ રાજ સાથે ધર્મને મહત્વ આપવામાં આવ્યું છે. આજે પણ રાજકારણમાં ધર્મ હંમેશા ઉપર રહે છે.

CM યોગી આદિત્યનાથ કરી રહ્યાં છે નિષ્કામ સેવા
યોગી શેરનાથજી બાપુએ કહ્યું હતું કે, ઉતરપ્રદેશમાં ઈખ યોગી આદિત્યનાથ સફળતા પૂર્વક રાજ્ય ચાલવી રહ્યાં છે. આજે તેઓ સફળતા પૂર્વક નિષ્કામ સેવા કરી રહ્યાં છે અને આદર્શ જીવન જીવી રહ્યાં છે, તેઓ સતત કામ કરી રહ્યાં છે. દેવ પૂજા, સંત સેવા, ગૌ સેવા અને સમાજ સેવામાં સફળ થયા છે. તેમા શંકાને કોઇ સ્થાન નથી.

ભવનાથ આશ્રમમાં પૂ. ગુરૂ ત્રિલોકનાથજી બાપુ અને પૂ. સોમનાથજી બાપુની સમાધી છે. હરિયાણામાં કુરુક્ષેત્ર પાસે સરસ્વતી નદી કિનારે આશ્રમ છે. તેમજ સૌરાષ્ટ્રમાં નાના મોટા આશ્રમો આવેલા છે. અહીં સેવા પ્રવૃતીઓ ચાલી રહી છે. આશ્રમમાં આવતા સંતો, સાધકો અતિથિઓ, ભક્તો માટે ભોજનની અવિરત સેવાનું કાર્ય ચાલે છે. સમય સીવાય પણ કોઇ યાત્રાળુઓ આવી પહોંચે તો ભોજનની વ્યવસ્થા થઇ જાય છે. બાળકો હોય કે રાજસ્થાન, હરિયાણા, પંજાબનાં યાત્રાળુઓની બસ ભોજન પછીનાં સમયે આવે તો પણ આશ્રમ દ્વારા ભોજનની વ્યવસ્થા થઇ જાય છે. અનેક વખત બપોરનાં બે કે 3 વાગ્યે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

You Might Also Like

ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે

નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

તમારી હદમાં આવે તો બે લાફા ઝીકી દો, પછી હું બેઠો છું: ધારાસભ્ય સંજય કોરડિયા

TAGGED: BHAVNATAHASHRAM, junagadh, MONK, YOGISHERNATHBAPU
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં જુદાજુદા વિસ્તારમાં રસ્તાઓનું કરાઇ રહેલું પેચવર્ક
Next Article વેગડવાવમાં ઉભરાતી ગટરોથી ગ્રામજનો ત્રાહિમામ, રોગચાળો ફાટી નીકળવાનો ભય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ગુજરાત

નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?