By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    12 hours ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    12 hours ago
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    10 hours ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    10 hours ago
    રિલાયન્સ અમેરિકામાં વિશ્ર્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે
    10 hours ago
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    13 hours ago
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    12 hours ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    13 hours ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 day ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    5 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    7 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આકાર, નિરાકાર, પ્રતિમા, સંત, સેવક, ભક્તમાં ઈશ્વરની અનુભુતિ: યોગી શેરનાથજી બાપુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > આકાર, નિરાકાર, પ્રતિમા, સંત, સેવક, ભક્તમાં ઈશ્વરની અનુભુતિ: યોગી શેરનાથજી બાપુ
ગુજરાતજુનાગઢ

આકાર, નિરાકાર, પ્રતિમા, સંત, સેવક, ભક્તમાં ઈશ્વરની અનુભુતિ: યોગી શેરનાથજી બાપુ

Khaskhabar Editor
Last updated: 2022/07/16 at 4:28 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

ભવનાથમાં જેનો રોટલો અને ઓટલો મોટા છે એવા પૂજ્ય યોગી શેરનાથજી બાપુની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

સંતોની પાવન ભૂમિ ભવનાથ અને અહીં આવેલો ઊંચો ગઢ ગિરનાર. કે જ્યાં દત્ત, દાતાર અને માં અંબાનાં બેસણા છે. નવ નાથ અને ચોર્યાસી સિદ્ધનો જ્યાં વાસ છે. નાથ સંપ્રદાયનાં ઇષ્ટદેવ ગુરૂ શ્રીગોરક્ષનાથનો ધુણો ગીરનાર પર્વત ઉપર આવેલ છે. નાથ સંપ્રદાયની પરંપરા અને તેના વિચારો જનમાસ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પુ.યોગી શેરનાથજી બાપુ કરી રહ્યાં છે. ભવનાથમાં આવેલા પુ.શેરનાથજી બાપુનાં આશ્રમ શ્રી ગોરક્ષનાથ આશ્રમમાં નાથ સંપ્રદાયની પરંપરાની જ્યોત પ્રગટી રહી છે. અહીં આવતા ભક્તો, પ્રવાસીઓ ક્યારે ભુખ્યા પેટે જતા નથી. કસમયે પણ શાળા કે પ્રવાસીઓને બસ આવી પહોંચ તો પણ અહીં ભોજનની વ્યવસ્થા થઇ જાય છે. એટલે જ કહેવાય છે કે, ભવનાથમાં યોગી શેરનાથજી બાપુનો રોટલો(ભોજન) અને ઓટલો(રહેણાંક) મોટો છે.એવા પૂજ્ય અને પ્રાત: સ્મરણીય યોગી શેરનાથજી બાપુની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત…

- Advertisement -

ભુખ્યાને ભોજન કરાવવું એ સનાતન હિન્દુ ધર્મની પરંપરા છે. સૌરાષ્ટ્રમાં વિશેષ સ્વરૂપે આ કાર્ય થઇ રહ્યું છે. સંસારી તો ઠીક પરંતુ ભગવાધારી સંતોએ આ પરંપરાની જ્યોત અવીચલ ઝળહળતી રાખી છે. અન્નક્ષેત્રો, આશ્રમોમાંથી કોઇ ભુખ્યા પેટે જતું નથી. આવી જ ભેખ ભવનાથમાં પૂજ્ય યોગી શેરનાથજી બાપુએ ધારણ કરી છે. ભાવનાથમાં પુ.યોગી શેરનાથજી બાપુ ગુરૂ ત્રિલોકનાથજી બાપુનો આશ્રમ આવેલો છે. શ્રી ગોરક્ષનાથ આશ્રમ નામથી પણ વિશ્ર્વ પ્રખ્યાત અને પ્રસિધ્ધ છે. આ આશ્રમમાં સેવાની જ્યોત પ્રગટી રહી છે. આ ભાગીરથ કાર્ય પૂજ્ય યોગી શેરનાથજીબાપુ અવિરત પણે કરી રહ્યાં છે. ગુજરાતભરનાં લોકો માની રહ્યાં છે કે, ભવનાથમાં યોગી શેરનાથજી બાપુનો રોટલો અને ઓટલો મોટો છે. અહીં આવતા લોકો કયારે પણ ભુખ્યા જતા નથી.

ભવનાથમાં આવતા શાળાની બસ હોય કે રાજસ્થાન, હરિયાણા કે અન્ય રાજયમાંથી આવતી પ્રવાસીઓની બસ હોય કસમયે અહીં આવે તો પણ તેમને પ્રસાદ મળી રહે છે. શ્રી ગોરક્ષનાથ આશ્રમમાં દરરોજ બે હજાર લોકો ભોજન લે છે. તેમજ શનિવાર અને રવિવારનાં આ સંખ્યા 4 હજારે પહોંચી જાય છે. આ ઉપરાંત શિવરાત્રી અને પરિક્રમા દરમિયાન લાખો ભાવિકો અહીં પ્રસાદ લે છે. ઇશ્ર્વરની અનુભુતી અંગે પુ. યોગી શેરનાથજી બાપુએ કહ્યું હતું કે,ગુરૂ મહારાજ કહેતા હતા કે, વ્યક્તિ, સાધકનાં મન, બુદ્ધી, અહંકાર નિર્મળ બને, શુદ્ધ બને ત્યારે અંત:કરણની શુદ્ધતાનાં કારણે સાધકને, સંતને ઇશ્ર્વરત્વ, પરબ્રહ્મની અનુભુતી થાય છે. અનુભુતી આપણી અંદર રહેલા જીવાત્માની ચેતના આપણને ગુરૂકૃપા દ્વારા નિજાનંદ, અખંડાનંદ, પરમાનંદની અનુભુતિ કરાવે છે. શરીરની અંદર રહેલ જીવ આત્મા જ પરમાત્મા સ્વરૂપે છે. પરમાત્મા વ્યાપક અને જીવ, પ્રાણી માત્રમાં રહેલી ચેતના એ જ પરમાત્માનું સ્વરૂપ છે. ગીતમાં પણ કહ્યું છે અણુઅણુમાં પ્રતિમા(મુર્તિમાં), નીરાકાર,આકાર સ્વરૂપે પરમાત્મા રહેલો છે. આવી અનુભુતી ઇશ્ર્વર પ્રત્યેની છે. ઇશ્ર્વરીત્વ અવતાર સ્વરૂપે પણ હોય શકે અને પરમાત્મા સ્વરૂપે પણ હોય. તેમજ સંત,ભક્ત સ્વરૂપે પણ હોય શકે છે. નાથ સંપ્રદાય અને આદેશ અંગે પુ. યોગી શેરનાથજીબાપુએ કહ્યું હતું કે, નાથ સંપ્રદાયનાં સંતો, સેવકો જયારે મળે છે. ત્યારે એક બીજાને આદેશ કહે છે.

- Advertisement -

જેમ રામ-રામ, સીતારામ, જયશ્રીકૃષ્ણ કહેવાની પરંપરા હોય તેમ નાથ સંપ્રદાયમાં આદેશ કહે છે. આદેશ શબ્દનો અર્થ છે અવતાર પહેલા જે સ્વરૂપ તત્વ હતું. આદેશ એટલે જીવ અને જગતની એકાત્મકતાથી પરમાત્મા સાથે એક લીન થવાની પ્રક્રિયા. નાથ સંપ્રદાયનો ઉલ્લેખ વેદો, દ્વાપર યુગ,ત્રેતા યુગમાં જોવા મળે છે. નાથ સંપ્રદાયમાં ગોપીચંદ જેવા સંતો થઇ ગયા છે. રાજા ભર્તુહરીનો વિક્રમ સંવતની શરૂઆતથી ઉલ્લેખ જોવા મળે છે. નાથ સંપ્રદાય પ્રાચીન અને શીવ પરંપરા છે. જેનો ઉદ્ેશ આ જીવને શીવ સાથે અને આત્માને પરમાત્મા સાથે અનુભુતી કરાવવી. તેમજ સમાજ વચ્ચે રહી ગુરૂનાં ચરણોમાં આવી શિક્ષા અને દિક્ષા ગ્રહણ કરી આચાર,વિચાર અને વિવેક દ્વારા બહુજનહિતોનો માર્ગ આપનાવી, સવાર-સાંજ આરાધના, પ્રાર્થના, કર્મકાંડ કરી પોતાની અંતરમુળ વૃતિઓને ત્યાગી સમાજનું કલ્યાણ કરવું. પછી સમાજ સેવાનું કાર્ય હોય, શિક્ષણ હોય, ગૌ સેવા હોય, સદાવ્રત હોય તેના માટે તિર્થ સ્થાન, યાત્રા સ્થાને આશ્રમો સ્થાપ્યાં છે.

ગુરૂ ગોરક્ષનાથ બાળ સ્વરૂપ છે: યોગી શેરનાથજી બાપુ
યોગી શેરનાથજી બાપુએ કહ્યું હતું કે, ગુરૂ ગોરક્ષનાથ બાળ સ્વરૂપ છે.નાથ સંપ્રદાયનાં ઇષ્ટદેવ માનવામાં આવે છે. ગુરૂ ગોરક્ષનાથ પછી નવ નાથનો ઉલ્લેખ મળે છે.નાથ પરંપરા પ્રાચીન છે. ગિરનાર પર્વત ઉપર ગોરખ ધુણો પ્રસિધ્ધ છે. ગીર સોમનાથ જિલ્લામાં ગોરખ મઢી આવેલી છે. પોરબંદર જિલ્લામાં પણ સ્થાન આવેલું છે. ચોટીલા પાસે પંચાળમાં પણ જગ્યા પ્રસિધ્ધ છે. ગુરૂ ગોરક્ષનાથ ભગવાન શિવ સ્વરૂપ છે. બાળ યોગી છે. ભારતભરમાં પ્રાચિન સમયથી પ્રસિધ્ધ છે. આજે પણ મઠ, આશ્રમો,મંદિરો નાથ યોગી અને નાથ સેવકોનાં નામથી પ્રસિધ્ધ થયેલા છે.

યોગી શેરનાથજી બાપુએ 20 વર્ષની ઉંમરે દિક્ષા લીધી: નાથ સંપ્રદાય અને પરંપરા માટે જીવન સમર્પણ કર્યું

શ્રી ગોરક્ષનાથ આશ્રમમાં દરરોજ 2 હજાર લોકો પ્રસાદ લે છે: શિવરાત્રિ, પરિક્રમામાં લાખો ભાવિકો આવે

શાળા કે પ્રવાસીઓની બસ કસમયે આવે તો પણ શ્રી ગોરક્ષનાથ આશ્રમેથી ભૂખ્યા પેટે જતા નથી

રાજ દંડ ઉપર ધર્મ દંડ રહેલો છે
યોગી શેરનાથજી બાપુએ કહ્યું હતું કે, રાજ દંડ ઉપર ધર્મ દંડ પહેલેથી રહેલો છે. ધર્મ રાજકારણથી અલગતાવાદ નહી પરંતું એકતાવાદ છે. પ્રાચીન સમયમાં પણ રાજ સાથે ધર્મને મહત્વ આપવામાં આવ્યું છે. આજે પણ રાજકારણમાં ધર્મ હંમેશા ઉપર રહે છે.

CM યોગી આદિત્યનાથ કરી રહ્યાં છે નિષ્કામ સેવા
યોગી શેરનાથજી બાપુએ કહ્યું હતું કે, ઉતરપ્રદેશમાં ઈખ યોગી આદિત્યનાથ સફળતા પૂર્વક રાજ્ય ચાલવી રહ્યાં છે. આજે તેઓ સફળતા પૂર્વક નિષ્કામ સેવા કરી રહ્યાં છે અને આદર્શ જીવન જીવી રહ્યાં છે, તેઓ સતત કામ કરી રહ્યાં છે. દેવ પૂજા, સંત સેવા, ગૌ સેવા અને સમાજ સેવામાં સફળ થયા છે. તેમા શંકાને કોઇ સ્થાન નથી.

ભવનાથ આશ્રમમાં પૂ. ગુરૂ ત્રિલોકનાથજી બાપુ અને પૂ. સોમનાથજી બાપુની સમાધી છે. હરિયાણામાં કુરુક્ષેત્ર પાસે સરસ્વતી નદી કિનારે આશ્રમ છે. તેમજ સૌરાષ્ટ્રમાં નાના મોટા આશ્રમો આવેલા છે. અહીં સેવા પ્રવૃતીઓ ચાલી રહી છે. આશ્રમમાં આવતા સંતો, સાધકો અતિથિઓ, ભક્તો માટે ભોજનની અવિરત સેવાનું કાર્ય ચાલે છે. સમય સીવાય પણ કોઇ યાત્રાળુઓ આવી પહોંચે તો ભોજનની વ્યવસ્થા થઇ જાય છે. બાળકો હોય કે રાજસ્થાન, હરિયાણા, પંજાબનાં યાત્રાળુઓની બસ ભોજન પછીનાં સમયે આવે તો પણ આશ્રમ દ્વારા ભોજનની વ્યવસ્થા થઇ જાય છે. અનેક વખત બપોરનાં બે કે 3 વાગ્યે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

You Might Also Like

મોરબી: રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે પદભાર સંભાળ્યા બાદ લીધી પ્રથમ મુલાકાત

2029 સુધીમાં ગુજરાત બનશે ‘રેલવે ફાટકમુક્ત રાજ્ય’: 367માંથી 130 ફાટક પર બ્રિજનું કામ પૂર્ણ

ગુજરાત વાયર ફ્રી સિટી મિશન: 66 KV, 11 KV અને LT લાઈનોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરાશે

ઝાફર’સ ટીના 22માં આઉટલેટનો ભક્તિનગર વિસ્તારમાં ભવ્ય પ્રારંભ

કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલે શેકાતા વાહનચાલકો

TAGGED: BHAVNATAHASHRAM, junagadh, MONK, YOGISHERNATHBAPU
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં જુદાજુદા વિસ્તારમાં રસ્તાઓનું કરાઇ રહેલું પેચવર્ક
Next Article વેગડવાવમાં ઉભરાતી ગટરોથી ગ્રામજનો ત્રાહિમામ, રોગચાળો ફાટી નીકળવાનો ભય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી: રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે પદભાર સંભાળ્યા બાદ લીધી પ્રથમ મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
2029 સુધીમાં ગુજરાત બનશે ‘રેલવે ફાટકમુક્ત રાજ્ય’: 367માંથી 130 ફાટક પર બ્રિજનું કામ પૂર્ણ
ગુજરાત વાયર ફ્રી સિટી મિશન: 66 KV, 11 KV અને LT લાઈનોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરાશે
મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
ઝાફર’સ ટીના 22માં આઉટલેટનો ભક્તિનગર વિસ્તારમાં ભવ્ય પ્રારંભ
કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલે શેકાતા વાહનચાલકો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે પદભાર સંભાળ્યા બાદ લીધી પ્રથમ મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગુજરાત

2029 સુધીમાં ગુજરાત બનશે ‘રેલવે ફાટકમુક્ત રાજ્ય’: 367માંથી 130 ફાટક પર બ્રિજનું કામ પૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગુજરાત

ગુજરાત વાયર ફ્રી સિટી મિશન: 66 KV, 11 KV અને LT લાઈનોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?