મોરબી નવા બસ સ્ટેશનનું ત્રણ મહિના પહેલા લોકાર્પણ હર્ષ સંઘવીના વરદ હસ્તે કરાયું હતું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નવા બસ સ્ટેશનનું રૂપિયા 543 લાખના ખર્ચે તારીખ 18-05-2023 નાં રોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું પણ ચાર મહિના બાદ આ બસ સ્ટેશનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ નવા બસ સ્ટેશનમાં કુલ પાંચ જેટલા જ કેમેરા લગાવવામાં આવ્યા છે તેમાં નાં તો બસ ની એન્ટ્રી કે એક્ઝીટ દેખાય તેવી વ્યવસ્થા છે અને જે પાંચ કેમેરા લગાવવામાં આવ્યા છે તે પણ બંધ હાલતમાં છે આ બાબતે એક સ્થાનિક અધિકારીને આ બાબતે પૂછતા તેમને જણાવ્યું હતું કે જે દિવસથી આ કેમેરા લાગ્યા છે તે દિવસથી આ કેમેરા બંધ છે કેમકે સીસીટીવી માટેનું જે ડીવીઆર જોઈએ તે હજુ આવ્યું નથી આ ડીવીઆર માટે બિલ બનાવીને મોકલી આપ્યું છે બિલ પાસ થઈ ને આવશે પછી ડીવીઆર લગાવવામાં આવશે અને ત્યાર બાદ સીસીટીવી કેમેરા શરૂ થશે. પણ જો કોઈ ઘટના કે દુર્ઘટના બને અથવા ખીચ્ચા કાતરૂ કોઈ લૂંટ કરે અથવા અપ ડાઉન કરતી મહિલા કે છોકરીની બસ સ્ટેશનમાં છેડતી કરે તો સીસીટીવી મા કંઈ પણ કેદ થઈ શકે તેમ હાલ નથી માટે આ સીસીટીવી લોક હિત માટે ઝડપથી લગાવવા જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.
મોરબી નવા બસ સ્ટેશનમાં લાગેલા CCTV કેમેરા શોભાના ગાંઠિયા સમાન
