ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાહેર કરાયેલ 27% અનામત અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં પ્રમુખ પુનિત શર્મા નાં માર્ગદર્શન હેઠળ કાળવા ચોક ખાતે ઉજવણી કરવામાં આવી હતી. અને નામદાર સુપ્રીમ કોર્ટની ભલામણો ધ્યાનમાં રાખીને આયોગની રચના કરી ગુજરાતની 52% વસ્તી અને 146 થી વધુ જાતિનો સમાવેશ થાય છે તેવા ઓબીસી સમાજને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા અનામત આપવાનો મહત્વનો નિર્ણય કરવા બદલ નિર્ણયને હર્ષોલ્લાસ સાથે વધાવ્યો હતો.જેમાં ધારાસભ્ય સંજય કોરડીયા, મહામંત્રી ભરત શીંગાળા મનનભાઇ અભાણી વિનુભાઇ ચાંદેગ્રા ડે. મેયર ગીરીશ કોટેચા. ઉપાધ્યક્ષ અશોક ભટ્ટ, પ્રદેશ અગ્રણી જે કે ચાવડા જેઠાભાઈ ઓડેદરા સહિતના આગેવાનો કાર્યકરો, હોદ્દેદારો તથા પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.