ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા દ્વિતીય સિનિયર સિટીઝન તીર્થ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા એશિયાની સૌથી મોટી યાત્રા પણ હોવાનું મનાય છે.જેની શરૂઆત પાટણના શંખલપુરથી કરવામાં આવી હતી.જે ગત તા.29 એ પ્રસ્થાન થઈ હતી.આ યાત્રા શંખલપુર, દ્વારકા થઈને સોમનાથ આવી પહોંચી હતી અને ખોડલધામ ખાતે પૂર્ણ થશે.જેમાં 4000થી વધુ વડીલોને 115 બસ મારફત લઈ આવવમાં આવ્યા હતા. દરેક યાત્રિકોના વીમા પણ ઉતારવામાં આવ્યા હતા.
સંગઠનના 80 ટકાથી વધુ યુવાનો સ્વાધ્યાય અને સ્વામી નારાયણ પરિવાર સાથે જોડાયેલા છે.2017માં પણ આ યુવાનો દ્વારા આવું જ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું.2022 માં 2200 વડીલોની ખોડલધામ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.પાટણના ધારાસભ્ય અને 42 યુવ પાટીદાર સંગઠનના સલાહકાર કિરીટભાઈ પટેલએ જણાવ્યું હતું કે વડીલો અને યુવાનો વચ્ચે જનરેશન ગેપ વધી રહ્યો છે તેના લીધે સામાજિક સંબંધોમાં ઉણપ આવી રહી છે ત્યારે 42 લેઉવા પાટીદાર સમાજના યુવાનોને આ કાર્ય કરવાનો વિચાર આવ્યો. અન્ય સમાજના લોકોએ પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ.સંગઠનના હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પાટણથી એશિયા ખંડની સૌથી મોટી તીર્થયાત્રા મિકેનિકલ, ડોક્ટર્સની ટીમ અને યાત્રીઓના વીમા સાથેની આ સૌથી મોટી યાત્રા હતી.
- Advertisement -
ગઇ કાલે દ્વારકા ખાતે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમ કુલ ત્રણ રેકોર્ડ 42 લેઉવા પાટીદાર યુવા સંગઠનને “સિનિયર સિટીઝન યાત્રા”માં પ્રાપ્ત થયા હતા.ત્યારે 4000 વડીલોને લઈ અમે સોમનાથ દાદાના ચરણોમાં આવ્યા છીએ. યાત્રિકે આવા ભગીરથ કાર્ય માટે યુવાનોનો આભાર માની જણાવ્યું હતું કે ખૂબ જ સાચવીને તમામને લઈ આવવામાં આવ્યા છે.સ્વયં સેવકોનો પણ સૌએ આભાર વ્યક્ત કર્યો હતો.દરેક યાત્રિકોને દાતાઓ દ્વારા બ્લેન્કેટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.આ યાત્રામાં 115 લક્ઝરી બસ, 20 એમડી ડોકટરોની ટીમ, 2 આઇસીયુ વાન, દરેક યાત્રિકનો વીમો પણ ઉતારવામાં આવ્યો હતો.250 મહિલા સહિત 500થી વધુ સ્વયં સેવકો પણ યુનિફોર્મમાં ખડે પગે વોકી ટોકીથી સજજ હતા.