By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    15 minutes ago
    USના વિઝા હવે ફટાફટ!
    22 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    23 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    22 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    22 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    22 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    22 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    5 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    7 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    7 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    23 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    2 days ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધોરણ ત્રણ ગુજરાતીના પુસ્તકમાંથી એક ‘છલાંગે દરિયો કૂદો’ કવિતા કાઢી નાંખવી જોઈએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ધોરણ ત્રણ ગુજરાતીના પુસ્તકમાંથી એક ‘છલાંગે દરિયો કૂદો’ કવિતા કાઢી નાંખવી જોઈએ
Bhavy Raval

ધોરણ ત્રણ ગુજરાતીના પુસ્તકમાંથી એક ‘છલાંગે દરિયો કૂદો’ કવિતા કાઢી નાંખવી જોઈએ

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 3:48 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

‘લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ, સળગ્યાં મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી…’ આ કવિતા ત્રીજા ધોરણના બાળકોને ભણાવાય છે!

આદિપુરૂષ ફિલ્મના ડાયલોગ ‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા, ઔર જલેગી ભી તેરે બાપ કી..’ની ધો. 3ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી અક્ષરશ: ઉઠાંતરી કરાઈ છે?: ફિલ્મના ડાયલોગની જેમ પુસ્તકની કવિતા અને સંવાદોમાં પણ સુધારો જરૂરી

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રામાયણના કેટલાક પ્રસંગોને આધારે આદિપુરુષ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આદિપુરુષ ફિલ્મમાં રામાયણનો એક પ્રસંગ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે હનુમાનજી સીતાજીની શોધમાં લંકા પહુંચે છે ત્યારે રાવણની સેના હનુમાનજીને પકડી લે છે. રાવણના કહેવા પર મેઘનાથ હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવીને પૂછે છે, ‘જલી?’ ત્યારે હનુમાનજી કહે છે કે, ‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા, ઔર જલેગી ભી તેરે બાપ કી..’ એવું કહેવાઈ છે કે આ ડાયલોગ કુમાર વિશ્વાસ દ્વારા કહેવામાં આવ્યો હતો,

‘તેલ તેરે બાપ કા..’ ડાયલોગ સુધારાયો અને તે લખવા બદલ લેખક મનોજ મુંતશિર શુક્લાએ બે હાથ જોડીને બિનશરતી માફી માગી : ‘એક છલાંગે દરિયો કૂદો’ કવિતા તથા સંવાદો ક્યારે દૂર કરવામાં આવશે અને તેના લેખન-પ્રકાશન બદલ કોણ માફી માગશે?

આદિપુરુષ ફિલ્મના લેખક મનોજ મુંતશિરે કુમાર વિશ્વાસના ડાયલોગની ઉઠાંતરી કરી છે. પરંતુ હકિકતમાં આદિપુરુષ ફિલ્મના ડાયલોગ ‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા, ઔર જલેગી ભી તેરે બાપ કી..’ની ધો. 3ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી અક્ષરશ: ઉઠાંતરી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની ધો. 3 ગુજરાતી – કલશોર પુસ્તકમાં 7મી કવિતા છે જેનું નામ છે, ’એક છલાંગે દરિયો કૂદો’ આ કવિતા પાના નંબર 103 પર આવેલી છે.

- Advertisement -

આ કવિતાના શબ્દો છે,

લંકા તારી સળગી ગઈ
પૂંછડી મારી સાજી રહી…

તેલ પણ તારું ગાભા તારા
દીવાસળી પણ તારી ગઈ
પૂંછડી મારી સાજી રહી…

સળગ્યાં મકાનો ને સળગ્ય મહેલો
ઊભી બજાર પણ સળગી ગઈ
પૂંછડી મારી સાજી રહી…

આ કવિતા ઉપરાંત આ પુસ્તકના પાના નં. 107 અને 108 પર હનુમાનજી અને રાવણના કેટલાક સંવાદો પણ આપવામાં આવ્યા છે જ્યાં ફરી એક વખત હનુમાનજીની પૂંછડી સળગાવ્યા બાદ તેઓ હસતાં મોઢે ગાતા જાય છે.. ’લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી..’ અહીં ફરી આખી કવિતા લખવામાં આવી છે. હવે મૂળ મુદ્દો એ છે કે, જો આદિપુરુષ ફિલ્મના ડાયલોગ ‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા, ઔર જલેગી ભી તેરે બાપ કી..’એ વિવાદ સર્જતા તેને દૂર કરવામાં આવ્યા છે તો ’લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી..’ કવિતા અને સંવાદો ધો. 3ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી દૂર થવી જોઈએ. કરોડો લોકોની લાગણીને ધ્યાનમાં લેતા આદિપુરુષ ફિલ્મના માત્ર કેટલાક ડાયલોગ જ દૂર નથી કરાયા પરંતુ ડાયલોગ દૂર કરવા ઉપરાંત તેને લખનારા મનોજ મુંતશિર શુક્લાએ બે હાથ જોડીને બિનશરતી માફી પણ માંગી છે એ ન ભૂલવું જોઈએ.

આદિપુરુષ ફિલ્મ સિનેમા ઘરોમાં આવી બાદ તેના કેટલાક ડાયલોગની ભારે ટિકા થઈ હતી. હનુમાનજી ‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા, ઔર જલેગી ભી તેરે બાપ કી..’ જેવા સંવાદો બોલતા હોય એવું દર્શાવવામાં આવતા કરોડો હિંદુઓની ભાવનાને ઠેસ પહોચી હતી. આ ડાયલોગથી રામાયણ ઉપરાંત હનુમાનજી અંગે નવી પેઢીના મનોમસ્તિષ્કમાં ગેરસમજણ ઉભી થશે એવો તર્ક રજૂ કરાયો હતો. આ વિવાદ વધ્યો એટલે ફિલ્મમાંથી ન ફક્ત કેટલાક ડાયલોગ બદલવા પડ્યા પરંતુ ફિલ્મના લેખકે માફી પણ માગવી પડી તો પછી અહીં યક્ષ પ્રશ્ન એ જ છે કે, આ ડાયલોગની જ્યાંથી ઉઠાંતરી કરવામાં આવી છે એ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની ધો. 3ના ગુજરાતી – કલશોર પુસ્તકમાંથી 7મી કવિતા ‘એક છલાંગે દરિયો કૂદો’ એ ક્યારે દૂર કરવામાં આવશે અને આ કવિતા તથા સંવાદોના લેખન-પ્રકાશન બદલ માફી કોણ માગશે?

You Might Also Like

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

TAGGED: children, CHLANGEDARYOKHOO, poem, TEXTBOOK
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અશાંતિને શમાવવા ત્રણવાર શાંતિ પાઠ જરૂરી
Next Article ‘ધી ઈમરજન્સી’ ભારતીય ઈતિહાસનાં કાળા દિવસોની કહાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…
હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Bhavy Raval

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Bhavy Ravalરાજકોટ

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?