BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટરનું એલાન કરી દીધું છે. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરને આ હોદ્દો મળ્યો છે.
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટિના ચેરમેન બની ગયા છે. બીસીસીઆઇએ મંગળવારે રાત્રે જાહેર થયેલી મીડિયા બ્રીફિંગમાં અગરકરની પસંદગીકાર તરીકેની નિયુક્તિની જાહેરાત કરી હતી, જોકે બોર્ડે અગાઉ જ અગરકરને ચીફ સિલેક્ટર બનાવવાની તૈયારી કરી લીધી હતી.
- Advertisement -
ચેતન શર્માનું સ્થાન લેશે
45 વર્ષના આ ખેલાડીએ પૂર્વ ક્રિકેટર ચેતન શર્માની જગ્યા લીધી છે. એક સ્ટિંગ ઓપરેશન બાદ ચેતન શર્માને હટાવવામાં આવ્યા હતા, આ સ્ટીંગ ઓપરેશનમાં તેઓ ફિટનેસ માટે ભારતીય ક્રિકેટરોના ઈન્જેક્શન લેવાનો દાવો કરતા સાંભળી શકાતા હતા.
સિલેક્શન કમિટીમાં કોને કોને લેવાયા
બીસીસીઆઈએ જાહેર કરેલી નવી સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે અજિત અગરકર રહેશે જ્યારે કમિટીના બીજા મેમ્બરોમાં શિવસુંદર દાસ, સલિલ અંકોલા, સુબ્રતો બેનરજી અને શ્રીધરન શરથનો સમાવેશ થાય છે.
🚨 NEWS 🚨: Ajit Agarkar appointed Chairman of Senior Men’s Selection Committee.
- Advertisement -
Details 🔽https://t.co/paprb6eyJC
— BCCI (@BCCI) July 4, 2023
થોડા દિવસ પહેલા લાગી હતી અટકળો
અગરકર ચીફ સિલેક્ટર બનશે તેવી અટકળો પહેલેથી જ ચાલી રહી હતી, કારણ કે થોડા દિવસ પહેલા આઇપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સે તેમને સહાયક કોચ તરીકે છૂટા કર્યાં હતા ત્યાર બાદ તેમણે સિલેક્શન કમિટિના સભ્ય બનવા માટે અરજી કરી હતી. છેલ્લા 5 મહિનાથી ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટરનું પદ ખાલી હતું. ચેતન શર્માને હટાવ્યા બાદથી આ પદ ખાલી પડ્યું હતું. તેમના સ્થાને વચગાળાના પસંદગીકાર તરીકે શિવ સુંદર દાસને જવાબદારી સોંપવામાં આવી હતી. છેલ્લા 5 મહિનાથી ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટરનું પદ ખાલી હતું. ચેતન શર્માને હટાવ્યા બાદથી આ પદ ખાલી પડ્યું હતું. તેમના સ્થાને વચગાળાના પસંદગીકાર તરીકે શિવ સુંદર દાસને જવાબદારી સોંપવામાં આવી હતી.
349 ઈન્ટરનેશનલ વિકેટ લઈ ચૂક્યા છે
અગરકર કરિયરમાં 349 ઈન્ટરનેશનલ વિકેટ લઈ ચૂક્યા છે. તેમણે ટેસ્ટમાં 58, વનડેમાં 288 અને ટી-20 ઈન્ટરનેશનલમાં 3 વિકેટ મેળવી હતી.