દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોય સતત નવા કેસો સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દરરોજ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. શુક્રવારે દેશમાં કોરોનાના 3,095 સંક્રમિત લોકોની ઓળખ કરવામાં આવી હતી. આ સતત બીજો દિવસ છે જ્યારે એક દિવસમાં નોંધાયેલા નવા કેસની સંખ્યા ત્રણ હજારને વટાવી ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં સતત બીજા દિવસે 3 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, જે છેલ્લા છ મહિનામાં પ્રથમ વખત બન્યું છે. ગયા સપ્તાહ સુધી દેશમાં દરરોજ સરેરાશ 1,500 લોકો સંક્રમિત થઈ રહ્યા હતા. મહત્વનું છે કે, અગાઉ 2 ઓક્ટોબર 2022ના રોજ કોરોનાના 3,375 કેસ નોંધાયા હતા. આ સિવાય 1,396 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. એક દિવસ પહેલા સક્રિય કેસ 13,509 હતા, જે હવે વધીને 15,208 થઈ ગયા છે.
- Advertisement -
India reports over 3,000 COVID cases for second consecutive day
Read @ANI Story | https://t.co/kOnuAVFqFh#COVID19 #coronavirus #COVID19india pic.twitter.com/Ujf3uetEYU
— ANI Digital (@ani_digital) March 31, 2023
- Advertisement -
આ સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. અહીં ચેપનો દર 10 ટકાને વટાવી ગયો છે. દરમિયાન દિલ્હી સરકારે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાનો દાવો કર્યો હતો. દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે લોકોને કોરોના, ઈન્ફલ્યુએન્ઝા અથવા ફ્લૂના લક્ષણો દેખાય ત્યારે માસ્ક પહેરવાની સલાહ આપી હતી. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બપોરે 12 વાગ્યે આરોગ્ય વિભાગ સાથે બેઠક કરશે.