By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    4 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 days ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 days ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    2 days ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    2 days ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    2 days ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇએ રજૂ કર્યું બજેટ: રાજ્યનું કુલ 3.01 લાખ કરોડનું બજેટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇએ રજૂ કર્યું બજેટ: રાજ્યનું કુલ 3.01 લાખ કરોડનું બજેટ
ખાસ-ખબરગુજરાત

વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇએ રજૂ કર્યું બજેટ: રાજ્યનું કુલ 3.01 લાખ કરોડનું બજેટ

Khaskhabar Editor
Last updated: 2023/02/24 at 12:58 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં જવલંત જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ રજૂ થઈ રહ્યું છે. જ્યારે નાણામંત્રી કનુ દેસાઇ વિધાનસભામાં સતત બીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. આજે નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી તરીકે કનુ દેસાઈ બીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. ગત વર્ષના બજેટ કરતા આ વખતના બજેટમાં 20 ટકા જેટલો વધારો થઈ શકે છે. ચૂંટણી બાદ સરકારના પ્રથમ બજેટમાં મોટી જાહેરાત થઈ શકે છે. ગુજરાત સરકાર બજેટમાં રોજગારલક્ષી યોજનાઓ, સરકારી ભરતીઓ પર ભાર મુકશે. આ ઉપરાંત રાજ્ય સરકાર ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત કરી શકે છે. સાથે જ આરોગ્ય યોજનાઓમાં વ્યાપ વધારો થવાની સંભાવના છે. આયુષ્માન યોજના સંદર્ભે નવી જાહેરાત થઈ શકે છે. બજેટમાં સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરીને સરકાર રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી શકે છે.

- Advertisement -

નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. આગામી એક વર્ષ માટે ગુજરાતનું ૩ લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે, આગામી 5 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું છે. શ્રમિકોને ભોજન આપતી યોજનોના વિસ્તાર કરવાનાં આવશે.

પાંચ પાયા પર સરકાર કામ કરે છે
– ગરીબ માટે 2 લાખ કરોડ
– માનવ સંશાધાન માટે 4 લાખ કરોડ
– વિશ્વ સ્તરની આમતરમાળખાકીય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં રૂપિયા 5 લાખ કરોડ
– કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડ
– ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ

પ્રથમ સ્તંભ

- Advertisement -

નાણામંત્રી કનુભાઈએ જણાવ્યું કે, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઇ કરાઈ છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂ.2538 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8738 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 19,685 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 3410 કરોડ રૂપિયાની ફાળવણી. યુવાનોમાં સ્વરોજગારી માટે મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓ માટે રાજ્ય સરકાર રૂ.500 કરોડ ખર્ચ કરશે. અનુસૂચિત જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રૂ.334 કરોડની જોગવાઈ. રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટે 1340 કરોડ, દિવ્યાંગ પેન્શન યોજનામાં 58 કરોડ રૂપિયા, સંકટમોચન યોજના માટે રૂ.20 કરોડ, દિવ્યાંગ લગ્ન સહાય માટે રૂ.સાત કરોડની જોગવાઈ. આગામી એક વર્ષ માટે ગુજરાતનું ૩ લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજૂ. અનુસૂચિત જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રૂ.334 કરોડની જોગવાઈ કરાઈ છે.

દ્વિતીય સ્તંભ
1) શિક્ષણ વિભાગ માટે રૂપિયા 43651 કરોડની જોગવાઈ
2) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 15182 કરોડની જોગવાઈ
3‌) મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે વિભાગ માટે રૂપિયા 6064 કરોડની જોગવાઈ
4) અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે રૂપિયા 2165 કરોડની જોગવાઈ
5) રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે રૂપિયા 568 કરોડની જોગવાઈ

આ બજેટમાં જળ સંપત્તિ વિભાગ માટે 9 હજાર 705 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ. આ ઉપરાંત બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

માર્ગ મકાન વિભાગ માટે 20642 કરોડની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2808 કરોડની જોગવાઈ કરાઈ છે. 7 વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા રસ્તાના રિસરફેસિંગ માટે 2200 કરોડ, ઓખા-બેટ દ્વારકાને જોડતા ફોરલેન બ્રિજ માટે 962 કરોડ, સરખેજ-ગાંધીનગર હાઈવે માટે 913 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ-બગાદરા-રાજકોટ હાઈવે માટે 615 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા માટે 600 કરોડની જોગવાઈ કરાઈ છે. જૂના પુલના પુન: બાંધકામ માટે 550 કરોડની જોગવાઈ કરાઈ છે. કચ્છ-બનાસકાંઠાને જોડતા ઘડુલી-સાંતલપુર રસ્તા માટે 401 કરોડ, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ઈક્વિટિ ફાળા માટે 200 કરોડ, કીમ-માંડવી હાઈવે માટે 200 કરોડ, SOUને જોડતા રસ્તાઓ માટે 140 કરોડ, ટુરિસ્ટ સર્કિટને જોડતા રસ્તાઓના વિકાસ માટે 605 કરોડ, પરિક્રમા પથના બાંધકામ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સુરત અને અમદાવાદમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂ.905 કરોડની જોગવાઈ કરાઈ છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી માટે 8278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ટ્રેક્ટર તેમજ કૃષિ સાધનોની સહાય માટે 615 કરોડ, ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા સહાય માટે 400 કરોડ ફળવાયા છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 250 કરોડ, પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય માટે 203 કરોડ, એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 200 કરોડ, ખાતેદાર ખેડૂતોના આકસ્મિત મૃત્યુ, કાયમી અપંગતાના વિમા માટે 125 કરોડ, સ્માર્ટ ફાર્મિંગ યોજના અંતર્ગત 50 કરોડની જોગવાઈ, ખેડૂતોને મિલેટ વાવેતર પ્રોત્સાહન માટે 35 કરોડ ફળવાયા છે. આ સાથે જ ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન માટે 10 કરોડન ફાળવવામાં આવ્યા છે. ટ્રેનિંગ ફોર એગ્રીક્લચરલ લર્નિગ એન્ડ ઈન્ટીગ્રેશન મિશન માટે 2 કરોડ, શેરડીના પાક માટે સેન્ટર ફોર એક્સિલેન્સ માટે 2 કરોડ, બાગાયતમાં ફળપાક વધારવા માટે 65 કરોડ, બાગાયતી પાકોમાં માળખાકીય સુવિધા માટે 40 કરોડ, નારિયેળીની ખેતીને પ્રોત્સાહન માટે 6 કરોડ, મસાલા પાકોના સર્ટિફાઈડ બિયારણ સહાય માટે 5 કરોડ અને શહેરમાં માળી કામ રોજગારી તાલિમ માટે 3 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

બજેટમાં પાણી પુરવઠા પ્રભાગ માટે 6000 કરોડની જોગવાઈ કરાઈ છે. નલ સે જલ યોજના માટે 2602 કરોડની જોગવાઈ કરાઈ છે. આદિજાતિ વિસ્તારમાં પાણી પુરવઠાના કામો માટે 909 કરોડ, બુધેલથી બરોડા સુધી બલ્ક પાઈપલાઈન માટે 376 કરોડ, નાવડાથી ચાવંડ સુધીની બલ્ક પાઈપલાઈન માટે 644 કરોડ, ઢાંકીથી નાવડા સુધીની બલ્ક પાઈપલાઈન માટે 1044 કરોડ, ઘરાઈથી ભેસાંણ સુધી બલ્ક પાઈપલઈન માટે 392 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નાણામંત્રીએ જણાવ્યું કે, વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 2193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સેમિ કંડક્ટર પોલિસી હેઠળ 524 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ 125 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આઈ.ટી પોલિસી હેઠળ રોજગારીનું સર્જન કરવા માટે 70 કરોડ ફાળવવામાં આવ્યા છે. સ્પેસ મેન્યુફેક્ટરિંગ ક્લસ્ટરના વિકાસ માટે 12 કરોડની ફાળવણી કરાઈ છે. સાથે જ આઈ.ટી અને સ્ટાર્ટઅપના વિકાસ માટે 10 કરોડ ફળવવામાં આવ્યા છે. ડિફેન્સ અને એવિએશન ગેલેરી સ્થાપવા માટે 22 કરોડ ફળવવામાં આવ્યા છે. રિઝ્યોનલ સાયન્સ સેન્ટર અને વિજ્ઞાન કેન્દ્રો માટે 233 કરોડની જોગવામાં કરવામાં આવી છે.

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ભાવનગર પોર્ટ ટ્રાફિક માટે 297 કરોડ, ઈલેક્ટ્રિક વ્હીકલ પોલીસી માટે 217 કરોડ, નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા વધારવા 192 કરોડ, સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા 24 કરોડ, 50 ઈલેક્ટ્રિક બસોની ખરીદી માટે 24 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સરકારના નાણાકીય વર્ષ 2023-24 માટેના અંદાજપત્રની રજૂઆત #અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત https://t.co/Ru0mxstQRa

— CMO Gujarat (@CMOGuj) February 24, 2023

You Might Also Like

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

TAGGED: budget, FinanceMinister, Gujarat, kanubhaidesai, parliament
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુક્રેન છોડનારા મેડીકલ વિદ્યાર્થીઓને રાહત: રશિયામાં પૂર્ણ કરી શકશે અધૂરો અભ્યાસ
Next Article યુક્રેન પરના આક્રમણની પ્રથમ વર્ષગાંઠે રાષ્ટ્રસંઘમાં રશિયા વિરૂધ્ધ પ્રસ્તાવ પસાર: ભારત મતદાનથી દૂર રહ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાત

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?