ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના ટાવર ચોક ખાતે મોરબીમાં પુલ તૂટવાની ઘટનાના પગલે મૃત્યુ પામનાર લોકોને અખિલ ગુજરાત માછીમાર મહામંડળ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.આ તકે ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા સહિત હિન્દુ – મુસ્લિમ અગ્રણીઓ જોડાયા હતા.
વેરાવળ માછીમાર મહામંડળ દ્વારા મોરબીમાં મૃત્યુ પામનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી
