જૂનાગઢનાં ખડિયામાં ઘર કંકાસમાં 15 વર્ષનાં લગ્ન જીવનનો અંત
પત્નીની હત્યા કરી પાણીનાં કુંડામાં ફેંકી તાળું મારી જતો રહ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ખડિયા ગામનાં તોરણીયાનાં પાટીયા પાસે સીમમાં ઘર કંકાસમાં પતિએ પત્નીને તિક્ષ્ણ હથિયારનાં ઘા મારી હત્યા કરી નાખી છે અને 15 વર્ષનાં લગ્ન જીવનનો અંત આણી દીધો હતો. હત્યા કરી મૃતદેહ કુંડામાં નાખી ઘરને તાળું મારી પતિની જતો રહ્યો હતો. ઘટનાનાં જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ હત્યા કરનાર પતિને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. હત્યાનાં પગલે અરેરાટી ફેલાઇ ગઇ હતી.
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ તાલુકાનાં ખડિયા ગામનાં અને તોરણીયા ગામનાં પાટીયા પાસે સીમમાં રહેતા પરિવારનો ઘર કંકાસમાં નાના પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. જૂનાગઢ તાલુકાનાં ખડિયા ગામનાં અને તોરણીયા ગામનાં પાટીયા પાસે સીમમાં રામદેભાઇ લાખાભાઇ ઢોલા તેમનાં પત્ની લીલીબેન(ઉ.વ.40) અને બે જોડિયા બાળકો સાથે રહે છે.રામદેભાઇ અને લીલીબેનનાં લગ્ન વર્ષ 2007માં થયા હતાં. ગત સાંજનાં પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
ગુસ્સામાં રામદેભાઈ ઢોલાએ પત્નીને તિક્ષ્ણ હથિયારનાં ઘા માર્યા હતાં. પત્નીને બચવા ભાગ્યા હતાં. તેની પાછળ જઇ ફરી ઘા માર્યો હતો અને પત્ની નીચે પડી જતા વધુ એક ઘા મારી લીલીબેનને મોતને ઘાટ ઉતારી દીધાં હતા. લીલીબેનની હત્યા કરી મૃતદેહને ઘરમાં આવેલા પાણીનાં કુંડીમાં ફેંકી દીધો હતો. બાદ પતિ રામદેભાઇ ઢોલા કપડા બદલાવી પોતે ઘરને તાળું મારી જતો રહ્યો હતો.
- Advertisement -
આ ઘટના બાદ રામદેભાઈના કાકાનાં દીકરા જયરામભાઈ ઢોલા દરરોજ ભેંસ બાંધવા આવતા હતાં. નિયમીતનાં ક્રમ મુજબ ઘરે આવતા તેઓએ ઘરે તાળું જોયું હતું. તેમને શંકા જતા સરપંચને જાણ કરી હતી.
બાદ સરપંચે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને તપાસ કરતા લીલીબેનનો મૃતદેહ પાણીનાં કુંડામાંથી મળી આવ્યો હતો.જાણવા મળતી વિગત મુજબ બન્નેનાં લગ્નને 15 વર્ષ થયા છે. અને ઘર કંકાસમાં હત્યા કરી છે. પોલીસને ગુનો નોંધી પતિને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં લીલીબેનનાં ભાઇ રામભાઇ મેરામણભાઇ સોલંકી(રે.લોએજ, તાલુકો માંગરોળ)એ ફરિયાદ નોંધાવી છે.
બે વખત રિસામણે જતા રહ્યાં હતાં
પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી ઘર કંકાસ ચાલતો હતો. લીલીબેન બે વખત રિસામણે જતા રહ્યાં હતાં. તેમજ 15 દિવસ પહેલા લીલીબેનનાં ભાઇને આવ્યા હતા ત્યારે પણ માથાકુટ કરતા હોવાની ફરિયાદ કરી હતી. ત્યારે તેનાં ભાઇએ રામદેને ઠપકો આપ્યો હતો.
બે જોડિયા બાળકો નિરાધાર બન્યાં
રામદેભાઇને બે જોડિયા બાળકોે છે. હત્યા થઇ ત્યારે બન્ને બાળકો રામદેભાઇનાં કાકાને વાડીએ રમતા હતાં. બાળકો અહીં નિયમીત રમવા જતા હતાં. માતાની હત્યા થતા બન્ને બાળકો નોધારા બન્યાં છે.
હત્યા કરી કપડા બદલી જતો રહ્યો
સાંજનાં સમયે પત્નીની હત્યા કરી પતિએ પહેલા તો આરામથી કપડા બદલ્યા હતાં. હત્યા સમયે પહેરેલા કપડા બદલી અન્ય કપડા પહેરી દરવાજે તાળું મારી પતિ જતો રહ્યો હતો. તેમને બિમારી હોય દવા પણ ચાલું હતું.