‘તમારા પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ છે!’
રાજકોટ પોલીસની ઈજ્જત ઓલરેડી ધૂળધાણી થઈ ગઈ હોવા છતાં તોડબાજ સુધરતાં નથી
શું ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ હવે પીએસઆઈ વાઘેલા પર પગલાં લેશે કે અગાઉની જેમ હોતા હૈ… ચલતા હૈ…ની નીતિ ચાલુ રહેશે?
કાળીપાટની રૂપિયા ચાર કરોડની જગ્યા પચાવી પાડવા રચાયો ગંદો ખેલ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટના કાળીપાટ ગામે આવેલી જમીનનો ગેરકાયદે દસ્તાવેજ બનાવી વેંચી દેવા અને આજીડેમ પોલસીનાં પીએસઆઈ વાઘેલાની મદદથી મૂળ માલિક પાસેથી જમીનનો કબ્જો ખાલી કરાવનાર સામે ફરિયાદ રાજકોટ પોલીસ કમિશનરમાં થઈ છે. જેમાં ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે, આજી ડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાઘેલાએ સત્તાનો દુરુપયોગ કરીને કોર્ટમાં ચાલતા કેસમાં અરજદારને લેન્ડગ્રેબિંગની ધાકધમકી આપી જમીન ખાલી કરાવી છે. કુંભાર લખમણભાઈ ભગાભાઈ પરમાર રાજકોટના કાળીપાટ ગામનાં રેવન્યુ સર્વે નં. 44/2 પૈકીની જમીન હે.આરે.ચો.મી. 0-99-15 એકર 2-18 ગુંઠા જમીન વેંચાણ દસ્તાવેજ અનુક્રમ નં. 779 તા. 9/2/1987થી ગીરુભા જોરુભા જાડેજા અને માનકુંવરબા જોરુભા જાડેજા પાસેથી ખરીદ કરેલી હતી. ત્યારબાદ આ વેંચાણ દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન અર્થે 32(ક)માં જતો રહ્યો હતો.
આ સ્ટેમ્પ ડ્યુટી 4/4/1997નાં રોજ ભરી દસ્તાવેજ 32(ક)માંથી છોડાવી લેવામાં આવ્યો હતો. દસ્તાવેજ 32(ક)માંથી છોડાવ્યા બાદ ગામ નમૂના નંબરમાં એન્ટ્રી પણ પડી ગયેલી હતી પરંતુ ઓનલાઈન એન્ટ્રી પડવાની રહી ગઈ હતી. ગીરુભા જોરુભા જાડેજા અને માનકુંવરબા જાડેજાનું અવસાન થતા તેના પુત્ર મહાવીરસિંહ ગીરુભા જાડેજાએ વારસાઈ અને ખોટા પુરાવાઓ ઉભા કરી આ જમીન પોતાના નામ પર કરાવી લીધી હતી અને ઓનલાઈન એન્ટ્રી પણ પડાવી લીધી હતી. અને આમ કુંભાર લખમણભાઈ ભગાભાઈનાં કુલમુખત્યારના દરજ્જે પરમાર પ્રવીણભાઈએ મહાવીરસિંહ ગીરુભા જાડેજા વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
2009થી લઈ શરૂ થયેલો આ કોર્ટ કેસ આજ દિન સુધી ચાલુ છે. પરંતુ મહાવીરસિંહ જાડેજાએ તા. 4/10/21નાં રોજ મોહનભાઈ વેલાભાઈ ગણદિયાને વેંચી દીધી. ત્યારબાદ તા. 17/2/22નાં રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાંથી પરમાર પ્રવીણભાઈને પી.એસ.આઈ વાઘેલાનો ફોન કોલ આવે છે અને તેમની પર મોહનભાઈ વેલાભાઈ ગણદિયાએ લેન્ડગ્રેબિંગની ફરિયાદ કર્યા હોવાનું અને રૂબરૂ આવવાનું જણાવ્યું હતું. જ્યારે પ્રવીણભાઈ પરમાર આજીડેમ પોલીસ પર પહોંચ્યા હતા ત્યારે પીએસઆઈ વાઘેલાએ બળજબરીથી જમીનનો કબ્જો પ્રવીણભાઈ પરમાર પાસેથી લઈ મોહનભાઈ વેલાભાઈ ગણદિયાને અપાવી દીધો હતો જે સંદર્ભે કુંભાર લખમણભાઈ ભગાભાઈ પરમારના કુલમુખત્યાર દરજ્જે પરમાર પ્રવીણભાઈ લખમણભાઈએ મહાવીરસિંહ ગીરુભા જાડેજા, મોહનભાઈ વેલાભાઈ ગણદિયા, વનરાજભાઈ ગણદિયા, ખોડાભાઈ બાંભવાએ રાજકોટ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. આ સમગ્ર મામલે શું ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ હવે પીએસઆઈ વાઘેલા પર પગલાં લેશે કે અગાઉની જેમ હોતા હૈ… ચલતા હૈ…ની નીતિ ચાલુ રહેશે એ જોવું રહ્યું.
- Advertisement -
પાછળથી ઉભા કરેલા બોગસ દસ્તાવેજથી PSI વાઘેલા આટલાં પ્રભાવિત કેમ થઈ ગયા?
કાળીપાટની આ જમીનનો પ્રથમ અને અસલી દસ્તાવેજ કુંભાર લખમણભાઈ ભગાભાઈ પરમાર (પ્રવીણભાઈ પરમારનાં પિતા)નાં નામે છે. આ પછી પાછળથી કેટલાંક તત્ત્વોએ આ જમીનનાં બોગસ દસ્તાવેજ ઉભા કર્યા હતાં. વાત દીવા જેવી સ્પષ્ટ હોવા છતાં વાઘેલાએ નવા 7/12નો દૂરાગ્રહ રાખ્યો હતો. વાસ્તવિકતા એ છે કે, કૌભાંડકારે બોગસ દસ્તાવેજ કરી ખોટાં 7/12 પોતાનાં નામે ઉભા કરી લીધા હોય તો પછી મૂળ માલિક લખમણભાઈ નવા 7/12 કેવી રીતે કઢાવી શકે? આ વાત સારી પેઠે જાણતાં હોવા છતાં PSI વાઘેલાએ નવા 7/12 વગેરે માટે જીદ્દ પકડી રાખીને બોગસ દસ્તાવેજધારકને કબ્જો સોંપી દીધો હતો.
વાસ્તવમાં લખમણભાઈએ લેન્ડગ્રેબિંગની અરજી કરી છે!
પ્રવીણભાઈ પરમારને ઙજઈં વાઘેલાએ તેમની વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગની અરજી કરી હોવાની બોગસ ધમકી આપી હતી. આવી કોઈ અરજી થઈ જ ન હતી. વાસ્તવિકતા એ છે કે, સ્વયં લખમણભાઈ પરમારે બોગસ દસ્તાવેજ બનાવનાર મહાવીરસિંહ ગીરુભા જાડેજા, મોહનભાઈ ગણદીયા, વનરાજ ગણદીયા અને ખોડા બાંભવા વિરૂદ્ધ અરજી કરી છે. આ અરજીમાં તેમણે PSI વાઘેલાની ગેરરીતિ સામે આક્ષેપ કર્યા છે અને સ્પષ્ટ આંગળી ચિંધી છે.
“તમારા પર લેન્ડગ્રેબિંગની ફરિયાદ છે!” PSI વાઘેલાએ ઠાલી ધમકી આપી
તારીખ 17 ફેબ્રુઆરીનાં રોજ સાંજે છ વાગ્યે પ્રવીણભાઈ પરમારને PSI ગિરિરાજસિંહ વાઘેલાએ ફોન કરીને ધમકી આપી હતી કે, ‘તમારા વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ થઈ છે, સવારે નિવેદન આપવા આવી જજો!’ વાસ્તવમાં આવી કોઈ ફરિયાદ થઈ જ ન હતી. પ્રવીણભાઈ બધાં જ પુરાવાઓ લઈને પહોંચ્યા તો વાઘેલાએ કહ્યું હતું કે ‘તમે કેસ હારી ચૂક્યાં છો, હવે તમારા નામનું કંઈ નથી!’ વાસ્તવમાં લૉકડાઉનનાં કારણે કેસ ઉ.ઉ. થયેલો હતો જે પ્રવીણભાઈએ રિસ્ટોર પણ કરી દીધો છે. અને કદાચ ન થયો હોય તો પણ એમાં ચંચૂપાત કરવાની ઙજઈં વાઘેલાને સત્તા નથી છતાં પણ તેમણે આટલો ઊંડો રસ લીધો એ તપાસનો વિષય છે.


