આજે રાત્રે ૯ વાગ્યે સર્વે મંડળોની બેઠક અને કાલે સાંજે ૭ વાગ્યે ટ્રાન્સપોર્ટરોની બેઠક નાગર બોર્ડીંગ ખાતે યોજાશે
ઉપાધ્યક્ષ તરીકે ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઇ નડીયાપરા, એન. જી. પરમાર અને ડો. હિરેન વિસાણીની નિમણૂક
- Advertisement -
સમીતીના સહ ઇનચાર્જ તરીકે મનોજભાઇ ડોડીયા, કૌશીકભાઇ સરધારા અને વિનયભાઇ કારીયાની નિમણૂક
સમીતીના ઉપાધ્યક્ષ અને સહ ઇનચાર્જની પણ નિમણુક કરાઇ : આગામી કાર્યક્રમોની તારીખ જાહેર કરાઇ
વિહિપ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી સાથે શહેરને ભગવામય અને કૃષ્ણમય બનાવવાના સંકલ્પ સાથે વિવિધ ધાર્મીક, સામાજીક અને સાંસ્કૃતીક કાર્યક્રમોનુ
આયોજન કરવામા આવ્યુ છે. માર્ગદર્શન સમીતીના સભ્યો માવજીભાઈ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા,
નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા ઉપરાંત સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા તમામના સર્વાનુમતે ધર્મ યાત્રાને વધુ
ભવ્ય, દિવ્ય અને શિસ્તબદ્ધ રીતે સમ્પન્ન કરવા માટે ધર્મયાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેંદ્રસિંહ ગજેંદ્રસિંહ વાળાની વરણી કરવામા આવી હતી. તેમની આગેવાનીમા ધર્મયાત્રામા મોટી સંખ્યામા સંતો મહંતો, ધાર્મીક આગેવાનો,
સામાજીક સંસ્થાઓ, વિવિધ મંડળો અને તમામ ધર્મપ્રેમી નાગરીકો જોડાય તેવા પ્રયત્નો કરવામા આવશે. આ ઉપરાંત સમીતીના ઉપાધ્યક્ષ તરીકે ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઇ નડીયાપરા, એન. જી. પરમાર તથા ડો. હિરેન
વિસાણી ની નિમણૂક કરાઇ હતી અને સમીતીના સહ ઇનચાર્જ તરીકે મનોજભાઇ ડોડીયા, કૌશીકભાઇ સરધારા અને વિનયભાઇ કારીયાની નિમણૂક કરાઇ હતી.
- Advertisement -
ધર્મયત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા જેઓ સમર્પણ હોસ્પીટલના માલીક હોવા ઉપરાંત ધર્મનીષ્ઠ અને કર્મનિષ્ઠ વ્યક્તિત્વ ધરાવે છે. રાષ્ટ્ર પ્રેમ અને ભક્તી ના રંગે રંગાયેલા તેઓ “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત
૨૦૧૬થી તેમની હોસ્પીટલમા દિકરીના જન્મ સમયે સોનાની ચુક, ચાંદીની ગાય અથવા તુલસી ક્યારો અને ગીતાજી આપીને વધાવે છે. 60થી વધુ જન્મ વખતે નેગેટીવ ગ્રુપની બાળાઓને ઇંજેક્શન નિઃશુક્લ આપવામા આવ્યુ
છે. જાન્યુઆરી ૨૦૧૯થી નિઃશુલ્ક નિદાન કેમ્પનુ આયોજન કરવામા આવે છે. જેમા તપાસ, દવા, ફ્રી ઉપરાંત બ્લડ રિપોર્ટમા 50% રાહત આપવામા આવે છે. અપંગ લોકો માટે ઘોડી, વ્હીલચેર, વોકર વગેરે ફ્રી મા આપવામા
આવે છે. આ ઉપરાંત આર્થીક રિતે નબળા દર્દીઓને વધુ રાહત ભાવે સેવા આપવામા આવે છે. કોરોના સમયે ત્રણ મહીના સુધી રોજ રાત્રે ભોજન ની સુંદર વ્યવસ્થા કરીને અનેક જરુરીયાતમંદોને સહાય રૂપ થયા છે. તેમની નિધી
સ્કુલમા પણ ધોરણ 1 થી 5ના વિધ્યાર્થીને અભ્યાસમા 50% ફી માફી આપીને તથા છેલ્લા 15 વર્ષોથી સમુહ લગ્નમાં યોગદાન આપીને તન મન ધનથી સમાજ માટે સમર્પીત છે.
સમીતીના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ વસાવડા જેઓ ગુજરાત રાજ્યના જાણીતા ન્યુરોસર્જન છે તેમની મધુરમ હોસ્પીટલ દ્વારા અનેક વર્ષોથી આરોગ્ય ક્ષેત્રે સમાજની સેવા કરી રહ્યા છે. રાજકીય ક્ષેત્રે તેઓ ગુજરત કોંગ્રેસના વાઇસ
પ્રેસિંડેંટ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. પ્રખર હિંદુ વાદી વિચાર સાથે તેઓ જન્માષ્ટમી મહોત્સવમાં વર્ષોથી મહત્વનુ યોગદાન આપી રહ્યા છે.
સમીતીના ઉપાધ્યક્ષ પ્રફુલભાઇ નડીયાપરા જેઓ અમૃત બિલ્ડર્સના માલિક હોવા ઉપરાંત અસંખ્ય જરૂરીયાત મંદો માટે ભોજનની વ્યવસ્થા પુરી પાડે છે. કર્ણાવતી ઇંટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી તરીકે શિક્ષણ ક્ષેત્રે સમાજને બહુમુલ્ય
યોગદાન આપી રહ્યા છે. પ્રખર ગૌભક્ત અને ગૌ પ્રેમી એવા પ્રફુલભાઇ રાધેશ્યામ ગૌશાળાના ટ્રસ્ટી તરીકે 400થી વધુ ગૌમાતાની નિરંતર જાળવણી અને સેવા કરે છે.
અન્ય સમીતીના ઉપાધ્યક્ષ એન. જી. પરમાર બિએસએનએલના “રિટાયર્ડમેન યુનીયન વાઇસ પ્રેસીડંટ” તરીકે સેવા આપી રહ્યા છે. સંઘના પાયાના કાર્યકર્તા ઉપરાંત ભાજપમા વોર્ડ 4માં શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ રહેલા, શહેર ભાજપ
કારોબારી સદસ્ય, પુજીત રુપાણી મેમોરીયલ ટ્રસ્ટના કાર્યકર્તા, શિવ શક્તી સમુહલગ્ન સમીતી બેડીપરાના સલાહકાર મેમ્બર, રાજકોટ મેઘવાર સમાજ મંડળના કાર્યકર્તા તરીકે અલગ અલગ ક્ષેત્રમા સમાજને બહુમુલ્ય યોગદાન
આપ્યુ છે.
સમીતીના ઉપાધ્યક્ષ ડો. હિરેન વિસાણી બાળરોગના નિષ્ણાંત હોવા ઉપરાંત પ્રખર હિંદુત્વવાદી અને સાચા રાષ્ટ્ર ભક્ત વિશ્વ હિંદુ પરીષદમાં અલગ અલગ સમયે અનેક જવાબદારીઓનુ નિર્વહન કરી ચુકેલા હાલ વિહિપ પશ્ચિમ
જિલ્લામા કાર્યરત છે. તેમની અનેક સામાજીક આગેવાનો સાથે સંકલન ક્ષમતા અને જન્માષ્ટમી મહોત્સવમા મહત્વનુ યોગદાન હોઇ તેમને ઉપાધ્યક્ષનું દાયીત્વ આપવામા આવ્યુ છે.
સમીતીના સહ ઇનચાર્જ તરીકે મનોજભાઇ ડોડીયા જેઓ સંઘ અને વિશ્વ હિંદુ પરીષદના પાયાના કાર્યકર્તા તરીકે અનેક વર્ષોથી ધર્મ રક્ષા અને રાષ્ટ્ર સેવા માટે મહત્વનુ યોગદાન આપી રહ્યા છે. વિશ્વ હિંદુ પરીષદના અગ્રણી અને
મોભી એવા હરીભાઇ ડોડીયાના પુત્ર અને માવજીભાઇ ડોડીયાના ભત્રીજા મનોજભાઇ વિશ્વ હિંદુ પરીષદમા હાલ રાજકોટ વિભાગમા વિશેષ સંપર્કની જવાબદારી ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવના આયોજન અને સંકલનમા વર્ષોથી
સિંહ ફાળો હોય છે.
કૌશીકભાઇ સરધારા જેઓ વિશ્વ હિંદુ પરીષદમા સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર સહ પ્રમુખ હોવા ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવને સફળ બનાવવા માટે અનેક નવીન પ્રયાસો કરી રહ્યા છે. વિનયભાઇ કારીયા જેઓ વિશ્વ હિંદુ પરીષદમા
જીલ્લા મંત્રીનું દાયિત્વ નિભાવતા હોવા ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવમાં પ્રેસ મિડીયા, મંડળો, સંસ્થાઓ, ધાર્મીક અને સામાજીક સંગઠનો સાથે સુચારુ સંકલન કરીને મહોત્સવને યથાર્થ બનાવવામા મહત્વનું યોગદાન આપી રહ્યા
છે.
સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી) એ તમામ ધર્મપ્રેમી નાગરીકો, સંતો મહંતો, સાંસ્થાઓ, મંડળો અને યુવાનોને પરીવાર સાથે મહોત્સવના તમામ કાર્યક્રમોમા મોટી સંખ્યામા જોડાઇને મહોત્સવને ઐતીહાસીક સફળતા
અપાવવા આહવાન કર્યુ હતુ. આ ઉપરાંત ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ એ કહ્યુ હતુ કે ભગવાન શ્રીકૃષ્ણના આદર્શોને જન જન સુધી પહોચાડવાના હેતુથી આ વર્ષની ઉજવણીને વધુ ભવ્ય અને લોક ભાગીદારીસભર બનાવવામા
આવશે.
ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો
કાર્યક્રમની વિગત તારીખ સમય
સર્વે મંડળોની બેઠક ૧૯ ઓગસ્ટ રાત્રે ૯ વાગ્યે, નાગર બોર્ડીંગ ખાતે
ટ્રાંસ્પોર્ટરોની બેઠક ૨૦ ઓગસ્ટ સાંજે ૭ વાગ્યે, નાગર બોર્ડીંગ ખાતે
તાવા પ્રસાદ, શીલ્ડ વિતરણ ૨૨ ઓગસ્ટ સાંજે 7 વાગ્યે
ગોપી કિશન સ્પર્ધા ૨૭ ઓગસ્ટ
ભવ્ય રાષ્ટ્ર ભક્તીનો ડાયરો ૩૧ ઓગસ્ટ
ધર્મ સભા-યાત્રા પ્રસ્થાન ૪ સપ્ટેમ્બર સવારે 8 વાગ્યે, મવડી ચોકથી




