MP-UP અને રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ
અમરનાથ યાત્રા ફરી શરૂ
- Advertisement -
ગુજરાતમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. અત્યાર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ૪૦,૫૦૦ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વરસાદ સંબંધિત અકસ્માતોમાં ૫ લોકોના મોત થયા છે. અમદાવાદમાં આજે તમામ શાળા, કોલેજ અને આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે. આસામમાં પૂરને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને ૬૧ થયો છે. રાજ્યના ૧૨ જિલ્લાઓમાં પૂરથી ૭.૦૫ લાખથી વધુ લોકો પ્રભાવિત છે. મધ્યપ્રદેશમાં ચોમાસાના વરસાદની મજબૂત સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આજે રાજ્યના ૩૫ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૧૫ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને શનિવારે રાજ્યના ૩૦ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ તરફ, રાજસ્થાનમાં પણ વરસાદનો દોર ચાલુ છે. હવામાન વિભાગે શનિવારે રાજ્યના વિવિધ ભાગો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. ખરાબ હવામાનને કારણે ૬ દિવસ સુધી સ્થગિત રહ્યા બાદ અમરનાથ યાત્રા શનિવારે ફરી શરુ થઈ છે.
રાજસ્થાનમાં ધોધમાર વરસાદ ચાલુ છે. શનિવાર (૨૫ જુલાઈ)ના રોજ હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ-ચલો એલર્ટ જાહેર કર્યું છે. બિહારમાં ચોમાસું એક્ટિવ છે. પટના સહિત ઘણા જિલ્લાઓમાં છૂટોછવાયો સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે ૧૬ જિલ્લામાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશના ૩૫ જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ છે. જ્યારે, ૨૦ જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે. રાજ્યમાં ચોમાસાના વરસાદની મજબૂત સિસ્ટમ એક્ટિવ છે. આ કારણે છેલ્લા ૪ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.




