ફુટબોલ વિશ્વકપમાં પોર્ટુગલ અને ડીઆર કાંગો વચ્ચે મેચ 1-1થી ડ્રો
‘તેવી શરૂઆત ન રહી જેવી અમે ઈચ્છતા હતા. પરંતુ હજુ બધુ ખતમ થયું નથી : રોનાલ્ડો
- Advertisement -
ફુટબોલ વિશ્વકપમાં પોર્ટુગલ અને ડીઆર કાંગો વચ્ચે મેચ 1-1થી ડ્રો રહી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ખરાબ પ્રદર્શન પર થિયરી હેનરીએ કડક પ્રતિક્રિયા આપી. તે ટીમ માટે વિશ્વકપ કે યુરો કપની સતત 10 મેચમાં ગોલ કરી શક્યો નથી.
ફુટબોલ વિશ્વકપ 2026મા પોર્ટુગલના મહાન ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે શરૂઆત શરમજનક રહી. તેની ટીમને ગ્રુપ Kની મેચમાં કાંગોએ 1-1ની બરોબરી પર રોકી લીધી હતી. હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં બોલ પર પડક હોવા છતાં પોર્ટુગલને કાંગોના શાનદાર ડિફેન્સ અને જબરદસ્ત રણનીતિની સામે ડ્રોથી સંતોષ કરવો પડ્યો. રોનાલ્ડો આ મેચમાં ગોલ તો છોડો, એક પણ શોટ ટાર્ગેટ પર ન રાખી શક્યો. આ કારણે તેની જોરદાર આલોચના થઈ રહી છે. ત્યાં સુધી કે તેને ટીમમાં એક પેસેન્જર કહેવામાં આવી રહ્યો છે. આ મેચમાં રોનાલ્ડોએ માત્ર 25 ટચ લીધા, 3 શોટ માર્યા (જેમાંથી કોઈ ટાર્ગેટ પર નહોતો). આ તેના વિશ્વકપ કરિયરમાં કોઈપણ મેચની શરૂઆતમાં લેવામાં આવેલા બીજા સૌથી ઓછા ટચ છે. મેચ બાદ દિગ્ગજ ખેલાડી રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર નિરાશા વ્યક્ત કરી, પરંતુ તેણે આગામી મેચ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો પણ ઉલ્લેખ કર્યો. તેણે પોસ્ટ કરી ‘તેવી શરૂઆત ન રહી જેવી અમે ઈચ્છતા હતા. પરંતુ હજુ બધુ ખતમ થયું નથી. માથુ ઊંચુ રાખો અને આગામી મેચ પર ધ્યાન આપો.’
સતત 10 મેચમાં ગોલ નહીં
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છેલ્લી 10 મોટી આંતરરાષ્ટ્રીય મેચ (2022 વર્લ્ડકપ, 2024 યુરો અને હવે 2026 વિશ્વકપ) માં પોર્ટુગલ માટે ગોલ કરી શક્યો નથી. પરંતુ 41 વર્ષ અને 132 દિવસની ઉંમરમાં મેદાન પર ઉતરી તે વિશ્વકપ મેચ રમનાર સૌથી મોટી ઉંમરનો આઉટફીલ્ડ ખેલાડી બની ગયો છે. આ સિવાય તે છ વિશ્વકપ રમનાર બીજો ખેલાડી બની ગયો છે. આ મામલામાં તેણે મેસ્સીની બરોબરી કરી છે. રોનાલ્ડોએ આ સિદ્ધિ હાસિલ કરી, પરંતુ તે મેસ્સી જેવું પ્રદર્શન ન કરી શક્યો. મેસ્સીએ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ત્રણ ગોલ કર્યાં હતા.
થિયરી હેનરીએ પણ રોનાલ્ડોની ટીકા કરી
ફ્રાન્સના પૂર્વ દિગ્ગજ સ્ટ્રાઇકર થિયરી હેનરીએ પણ રોનાલ્ડોના પ્રદર્શનનું વિશ્લેષણ કર્યું. ફોક્સ સ્પોર્ટ્સ સાથે વાત કરતા હેનરીએ કહ્યું- ઘરે બેઠેલા લોકો એક વાત સમજે. ટીમે ગોલ કરવાની જરૂર છે, ન તમારે. હેનરીનું માનવું છે કે રોનાલ્ડોની ખુદ ગોલ કરવાની ઈચ્છા પોર્ટુગલ માટે નુકસાનકારક સાબિત થઈ અને તેણે ટીમનો તાલમેલ બગાડી દીધો.
- Advertisement -
બ્રાઝિલના ફેન્સને મોટો ઝટકો : નેયમાર ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર
ફિફા વર્લ્ડ કપ 2026ની ધમાકેદાર શરૂઆત વચ્ચે બ્રાઝિલના ફૂટબોલ ચાહકો માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેયમાર જુનિયરની ઈજાને લઈને મોટું અપડેટ આવ્યું છે. લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ્સ અને તપાસ બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નેયમાર 2026 ફિફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે. ઈજાના કારણે જ નેયમાર બ્રાઝિલની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પણ રમી શક્યો નહોતો. વાસ્તવમાં, નેયમારને મે 2026માં ગ્રેડ-2 કાફ સ્ટ્રેનની ઈજા થઈ હતી. આ ગંભીર ઈજાના કારણે તે હાલમાં બ્રાઝિલ ટીમના નિયમિત ટ્રેઇનિંગ સેશનમાં પણ સામેલ થઈ શક્યો નથી. તેને જમણા પગની આ ઈજામાંથી સાજા થવામાં અપેક્ષા કરતાં ઘણો વધુ સમય લાગી રહ્યો છે, જેના કારણે તેની ફિટનેસને લઈને હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે. સમગ્ર વિશ્વના ફૂટબોલ ચાહકો નેયમારની જાદુઈ વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે તે બ્રાઝિલની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ માટે ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. નેયમારે અત્યાર સુધી ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં કુલ 8 ગોલ કર્યા છે. તેણે આ અદભૂત સિદ્ધિ 2014, 2018 અને 2022ના વર્લ્ડ કપમાં હાંસલ કરી હતી.
સરપ્રીત સિંહે પણ રચ્યો ઇતિહાસ
આ વર્લ્ડ કપ દરમિયાન અન્ય એક રોચક ઘટના પણ સામે આવી છે. ફિફા વર્લ્ડ કપ 2026ના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ તરફથી રમતા ભારતીય મૂળના ફૂટબોલર સરપ્રીત સિંહે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે વિશ્વ કપની શરૂઆતની પ્લેઇંગ XIમાં મેદાન પર ઉતરનારો વિશ્વનો સર્વપ્રથમ ભારતીય મૂળનો ખેલાડી બની ગયો છે. હાલમાં બ્રાઝિલની ટીમ આશાવાદી છે કે નેયમાર ગ્રૂપ સ્ટેજ ભલે ન રમી શકે, પરંતુ નોકઆઉટ સુધીમાં તે સંપૂર્ણ ફિટ થઈને મેદાન પર ધમાકેદાર પુનરાગમન કરશે.




