સાસણ ગીર ખાતે રાજકોટ શહેર ભાજપના પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયાઃ ગીર ના સુપ્રસિધ્ધ સીટ્ટી નૃત્યની રમઝટ માણતા શહેર ભાજપના કાર્યકર્તાઓ : કમલેશ મિરાણી
ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ કે કાર્યર્તાઓની કાર્યક્ષમતામાં વધારો થાય અને ભાવિ નૈતૃત્વ વધુ સારી રીતે જવાબદારીઓનું વહન કરી શકે તે માટે તેમને સુસજજ અને તૈયાર તે વિચારને કેન્દ્રમાં રાખી જનસંઘના કાળથી કાર્ય પ્રશિક્ષણ તથા બુથ સશકિતકરશને મહત્વ આપવામા આવતુ હોય છે ત્યારે રાજકોટ મહાનગર માટે સાસણ ખાતે તા ૨૨,૨૩ અને તા.૨૪ ઓકટોબર ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હોય પ્રદેશ ભાજપમાંથી વિવિધ વિષયો ઉપર પ્રદેશના નેતાઓ તેમજ પ્રદેશ ભાજપના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે ત્યારે પ્રશિક્ષણ વર્ગ ના વિવિધ સત્રો સંપન્ન થયા બાદ સાંસ્કૃતીક કાર્યક્રમ તેમજ ગીરના પ્રખ્યાત સીદી નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેનો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજપના મંત્રી શ્રીજેશભાઈ મેરજા, અરવીંદભાઈ ઘાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિદ્ધ પુર મેયર ડો.પ્રદિપભાઈ ડવ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓએ લાભ લઈ કાર્યક્રમોની લીજ માવી હતી.
- Advertisement -
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપ સરકારમા દેશના સીમાડાઓ સુરક્ષીત બન્યા છે : પ્રશાંતભાઈ કોરાટ
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવેલ કે કાર્યકર્તાઓની કાર્યક્ષમતામાં વધારો થાય અને ભાવિ નેતૃત્વ વધુ સારી રીતે જવાબદારીઓનું વહન કરી શકે તે માટે તેમને સુસજજ અને તૈયાર તે વિચારને કેન્દ્રમાં રાખી જનસંઘના કાળથી કાર્યકર્તા પ્રશિક્ષા તથા બુથ સશક્તિકરણને મહત્વ આપવામા આવતુ હોય છે ત્યારે રાજકોટ મહાનગર માટે તા.૨૨,૨૩ અને તા.૨૪ ઓકટોબર ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હોય પ્રદેશ ભાજપમાંથી વિવિધ વિષયો ઉપર જેમ કે આજના ભારતની વૈચારીક મુખ્ય ધારા- આપણી વિચારધારા, વ્યક્તિત્વ વિકાસ, ભાજપાનો ઇતિહાસ અને વિકાસ, આપણો વિચાર પરિવાર, બદલાયલ પરિસ્થિતિમાં ભાજપાનું દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ, રાજ્ય સરકારની ઉપલબ્ધીઓ, ૨૦૧૪ પછી ભારતની રાજનીતીમાં આવેલ બદલાવ, આપણી કાર્યપધ્ધતી – સંગઠન સંરચના માં આપણી ભુમિકા, મીડીયાનો વ્યવહાર અને ઉપયોગ, ભારત વૈશ્વિક પરીદૃશ્ય, ખાત્મનિર્ભર ભારતનો સંકલ્પ, સોશીયલ મીડીયાનો ઉપયોગ, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ આપણા પ્રદેશના સંદર્ભમાં, સુરક્ષા સામર્થ્ય, ૭ વર્ષમાં કેન્દ્ર રાજય સરકારમાં અંત્યોદય પ્રયત્ન જેવા વિષયો ઉપર પ્રદેશમાં થી વકતાઓ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહયુ છે ત્યારે શહેર ભાજપના પ્રશિક્ષણ વર્ગનો સાસણ ખાતે ભાજપના કાર્યકર્તાઓ પંચનિષ્ઠાને ગ્રહણ કરશે.આ પશિયાણ વર્ગના સત્રમાં રાજકોટ શહેર સંગઠનના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ભાજપ બાક્ષીપંચ મોરચાના પ્રમુખ અને સત્રના વકત્તા ઉદય કાનગડ, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર,મેયર ડો. પ્રદીપ ડવ, અભ્યાસ વર્ગના પાલક અભયસિહ ચૌહાણ, અભ્યાસ વર્ગના ઈન્ચાર્જ નિતીન ભુત સહીતના ઉપસ્થિત રહયા હતા.
- Advertisement -
પ્રથમ દિવસે સત્ર-૨ ના સત્ર અપ્પા શહેરના મેઘર ડો. પ્રદિપ ડવ તથા સંત્ર સંચાલન નરેન્દ્રસિંહ ઠાકુરએ કરેલ. ત્યારે સત્રના વકતા અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા એ “સાત વર્ષમાં કેન્દ્ર / રાજય સરકાર માં અંત્યોદય પ્રયત્ન વિષય પર વક્તવ્ય આપતા જણાવેલ કે ગરીબ અને મધ્યમ વર્ગ પરીવારીને મફત અનાજ આપી સરકારે ખરા અર્થમાં અત્યોદયના મંત્રને સાર્થક કર્યો છે ત્યારે માન. નરેન્દ્રભાઈ મોદીએ સતાના સૂત્રો સંભાળ્યા પછી દેશે ખરા અર્થમાં કરવટ બદલી છે, સવલતો, સુવિધા અને સન્માન દેશના છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. ભાજપ સરકારે કોરોના કાળમાં પણ ગરીબો અને મધ્યમ વર્ગની ચિંતા કરી છે. વિકરાળ મહામારી વચ્ચે પણ દેશની રોજબરોજની જરૂરીયાતની સાથે દેશને વિકાસના પાટા ઉપર ગતિમાન રાખ્યો છે.
આ તકે સત્ર ૩ ના અધ્યક્ષ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ પ્રાશંગિક પ્રવચન કરેલ તથા સંચાલન જીતુભાઈ કોઠારીએ કરેલ ત્યારે પ્રદેશ ભાજપ અગ્રણી તથા વકતા ગૌતમભાઈ ગેડીયા એ કેન્દ્ર સરકારની વિકાસની યોજનાઓ આપણા પ્રદેશના સંદર્ભમાં વિષય ઉપર વક્તવ્ય આપતા જણાવેલ કે જન-ધન યોજનાથી શરૂ કરી છેલ્લા સાત વર્ષમાં અનેક યોજનાઓ ઘર ઘર સુધી પહોચાડી પાર્ટીનો કાર્યકર્તા વાહક બન્યો છે. એ જ ભાજપની સિધ્ધીઓ છે. ત્યારે વિવિધ યોજનાઓ જેમ કે વીમા અને પેન્શન યોજના, મુદ્દા અને સ્ટાર્ટઅપ યોજનાઓ, સરકારી ઈ માર્કેટ પ્લસ, ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર, આત્મનિર્ભર ભારતના વિઝન માટે પ્રોત્સાહન, અને અનેકવિધ લોકક્લ્યાણકારી યોજનાઓ થકી આત્મનિર્ભર ભારત થકી આફત ને અવસરમાં બદલવાનુ ભગિરથ કાર્ય માન. નરેન્દ્રભાઈ મોદી કરી રહયા છે.
આ તકે સત્ર-૪ ના અધ્યક્ષ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા એ પ્રાશંગિક પ્રવચન કરેલ તથા સત્રનું સંચાલન શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાએ કરેલ. આ તકે સત્રના વકતા અને પ્રદેશ ભાજપ અગ્રણી હસમુખભાઈ પટેલએ આપણો વિચાર પરીવાર’ વિષય પર વક્તવ્ય આપતા જણાવેલ કે ભાજપનો કાર્યકર્તા રાષ્ટ્રવાદની વિચારાધારાને અભ્યાસ વર્ગના માધ્યમથી લોકો સુધી પહોચાડવાનુ ભગિરથ કાર્ય પાર્ટી કરી રહી છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાએ હંમેશા જનસેવાની કામગીરી કરતો આવ્યો છે. કાર્યકર્તાઓના તપ, ત્યાગ થકી ભાજપા દરરોજ નવા આયામ ઉભા કરી શક્યું છે. અને જનસંઘથી શરૂ થયેલ આ યાત્રા ૨ થી ૩૦૩ સાંસદોની બની આ પાર્ટી એકાત્મ માનવવાદ થી શરૂ થઈ અંત્યોદય થકી સૌનો સાથ, સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સાથે ૧૮ કરોડ સદસ્યો થી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે.
આ તકે સત્ર-૫ ના અધ્યક્ષ રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી એ પ્રાશંગિક પ્રવચન કરેલ, તેમજ સત્રનું સંચાલન દિપકભાઈ પનારાએ સંભાળેલ. તેમજ સત્રના વકતા અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટએ બદલાયેલ પરિસ્થિતિમા ભાજપાનુ દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ’ વિષય ઉપર વકતવ્ય આપતા ગ઼ાવેલ કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપ સરકારમા દેશના સીમાડાઓ સુરક્ષીત બન્યા છે આઝાદી કાળથી કાશ્મીરને દેશથી અલગ કરતી ૩૭૦ મી અને ૩૫–એ ની કલમ નાબૂદ કરી ઐતિહાસિક સિધ્ધી પ્રાપ્ત કરી છે. રામમંદિર નિર્માણનું શ્રેષ્ઠ કાર્ય ભાજપા સરકારના નેતૃત્વમાં સાકાર થઈ રહયુ છે. દેશને ખરા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારત’ બનાવવાના સ્વપ્નને આ રાષ્ટ્રભકિતના કાર્યો થકી સાકાર થઈ રહયા છે. તેનુ આપણને સૌને ગૌરવ છે.
આ પ્રશિક્ષણ વર્ગ અભ્યાસ વર્ગની વ્યવસ્થા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર સંભાળી રહયા છે. પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ તરીકે નિતીન ભુત, તથા વિવિધ જવાબદારી વિક્રમ પુજારા, અશોક લુણાગરીયા,મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, સંભાળી રહયા છે, પ્રબંધક ની વ્યવસ્થા અનિલભાઈ પારેખ સંભાળી રહયા છે, સત્રના પ્રારંભે સાંધિક ગીત હરેશભાઈ જોષીએ કરાવેલ. સહઈન્ચાર્જ તરીકે મહેશ પરમાર, પરાગ મહેતા તેમજ મીડીયાની જવાબદારી રાજન ઠકકર તેમજ અન્ય વ્યવસ્થા રમેશભાઈ જોટાંગીયા, રાજ ધામેલીયા, રામભાઈ ચાવડા સંભાળી રહયા છે.