મહિલા સુરક્ષાની સાથે પુરુષોની ગરિમાનું પણ રક્ષણ: ખોટા આક્ષેપો અને માનસિક ત્રાસ સામે પતિ લઈ શકે છે કાયદાનો આશરો
ભારતીય કાયદા વ્યવસ્થામાં લગ્ન એ માત્ર એક સામાજિક વિધિ નથી, પરંતુ એક કાનૂની બંધન છે. વર્તમાન સમયમાં સ્ત્રી સશક્તિકરણ અને મહિલા સુરક્ષાના કાયદાઓ વિશે વ્યાપક સામાજિક જાગૃતિ જોવા મળે છે, જે આવકાર્ય છે; પરંતુ કાયદાના શાસનમાં ’પતિ’ તરીકે પુરુષને પણ સમાન ગરિમા અને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે, જેની જાણકારીના અભાવે અનેક પુરુષો કાનૂની મૂંઝવણ અનુભવતા હોય છે. ભારતીય બંધારણના સમાનતાના સિદ્ધાંત મુજબ, કાયદો લિંગના આધારે ભેદભાવ રાખતો નથી. જ્યારે વૈવાહિક વિવાદો સર્જાય છે, ત્યારે માનસિક ક્રૂરતા, ખોટા આક્ષેપો કે મિલકત સંબંધિત તકરારો સામે પતિને પણ સશક્ત કાનૂની રક્ષણ મળેલું છે.
પતિનાં કાનૂની અધિકારો
(1) દામ્પત્ય હક્કોનું પુન:સ્થાપનનો હક્ક : હિન્દુ મેરેજ એક્ટની કલમ 9 મુજબ, જો પત્ની કોઈ પણ વાજબી કારણ વગર પતિનો ત્યાગ કરીને અલગ રહેવા જાય, તો પતિ કોર્ટમાં ’દામ્પત્ય હક્કોના પુન:સ્થાપન’ માટે અરજી કરી શકે છે. જો કોર્ટને લાગે કે પત્ની પાસે અલગ રહેવાનું કોઈ વાજબી કારણ નથી, તો કોર્ટ તેને પતિ સાથે રહેવા પાછા ફરવાનો આદેશ આપી શકે છે.
(2) ભરણપોષણ મેળવવાનો હક્ક : ઘણા લોકોને એ જાણીને આશ્ચર્ય થાય છે કે માત્ર પત્ની જ નહીં, પણ પતિ પણ ભરણપોષણ માંગી શકે છે. હિન્દુ મેરેજ એક્ટની કલમ 24 અને 25 હેઠળ જો પતિ શારીરિક કે માનસિક રીતે અક્ષમ હોય અથવા તેની પાસે આવકનું કોઈ સાધન ન હોય, અને પત્ની કમાતી હોય, તો પતિ પોતાની પત્ની પાસે ભરણપોષણ માંગી શકે છે.
(3) છૂટાછેડા લેવાનો હક્ક : હિન્દુ મેરેજ એક્ટની કલમ 13 હેઠળ પતિ-પત્નીને સમાન છૂટાછેડાનો હક્ક છે. જો પત્ની દ્વારા પતિ પર માનસિક કે શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હોય, જો પત્ની લગ્ન બહાર અન્ય વ્યક્તિ સાથે સંબંધ ધરાવતી હોય, જો પત્ની સતત 2 વર્ષ કે તેથી વધુ સમયથી પતિને છોડીને અલગ રહેતી હોય કે અસાધ્ય માનસિક રોગથી પીડાતી હોય વગેરે સંજોગોમાં પતિ કાયદેસર રીતે છૂટાછેડા મેળવી શકે છે.
(4) સંતાનોની કસ્ટડીનો હક્ક : લગ્ન વિચ્છેદના કિસ્સામાં, પિતાને પણ બાળકનો કબજો મેળવવાનો સમાન હક્ક છે. ’ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ’ હેઠળ જો પિતા સાબિત કરી શકે કે તે માતા કરતા વધુ સારી રીતે બાળકનો ઉછેર, શિક્ષણ અને ભવિષ્ય સુધારી શકે તેમ છે, તો તેને કસ્ટડી મળી શકે છે. જો કસ્ટડી ન મળે, તો પણ ’વિઝિટેશન રાઈટ્સ’ (બાળકને મળવાનો હક્ક) પતિ પાસે અબાધિત રહે છે.
(5) ખોટા કેસો સામે રક્ષણનો હક્ક : આજના સમયમાં દહેજ ઉત્પીડન કે ઘરેલું હિંસાના ખોટા કેસોનું પ્રમાણ વધ્યું છે. આવા સમયે જો કેસ ખોટો હોય, તો પતિ હાઈકોર્ટમાં ઋઈંછ રદ (ચીફતવ) કરવા માટે અરજી કરી શકે છે. જો પત્ની દ્વારા પતિની પ્રતિષ્ઠા ખરડવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવે, તો પતિ પત્ની વિરુદ્ધ માનહાનિનો કેસ કરી શકે છે.
(6) મિલકત સંબંધિત હક્કો : પતિની સ્વ-અર્જિત મિલકત પર તેનો સંપૂર્ણ માલિકી હક્ક છે. પત્નીને તેમાં માત્ર ’રહેઠાણનો અધિકાર’ મળે છે, માલિકી નહીં. પતિ મિલકત વેચવા, ગીરો મૂકવા કે ભેટ આપવા માટે સ્વતંત્ર છે. તે વસિયતનામું દ્વારા પત્નીને બદલે સંતાનો કે અન્ય કોઈને પણ મિલકત વારસામાં આપી શકે છે.
પતિની તરફેણમાં ચુકાદાઓ
(1) છફમવયતવુફળ જવફળિફ ટ/ત. ઊીંતીળ જવફળિફ 1990-ઉખઈ-1-290નાં કેસમાં પત્ની દ્વારા જાતીય સંભોગનાં ઇન્કારને ક્રુરતા ગણી શકાય જેથી નામદાર કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(2) છફષક્ષશ ટ/ત. જવફક્ષશિંહફહ, 1992-ઉખઈ-1-409નાં કેસમાં પત્ની આત્મહત્યાની વારંવાર ધમકી આપે તેને ક્રુરતા ગણી શકાય જેથી પતિ કાયદેસર રીતે છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(3) ઙફફિળષયયિં ટ/ત. છફક્ષષશિં જશક્ષલવ 1995-ઉખઈ-1-329નાં કેસમાં પત્ની ખોટા આક્ષેપ કરે અને સાબિત ન થાય તો ક્રુરતા ગણી શકાય જેથી નામદાર કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(4) જીક્ષશફિં જશક્ષલવ ટ/ત. છફષ ઇફવફમીિ જશક્ષલવ અ.ઈં.છ. 1999 અહહ. 69નાં કેસમાં અન્ય પુરુષ સાથે પત્ની ભાગી જાય તો તેને ક્રુરતા ગણી શકાય જેથી નામદાર કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(5) છફસયતવ જવફળિફ ટ/ત. જીબિવશ જવફળિફ અઈંછ 2002 છઅઉં. 138નાં કેસમાં દહેજની માંગણી અને વ્યભિચારનો પત્નીએ ખોટો કેસ કર્યો હતો તો તે કૃરતા છે તેથી કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(6) અશાફિસફતવ ઉફિિંંફિફિું ઙફફિંમય ટ/ત. ઞતવફ ઉંફશાફિસફતવ ઙફફિંમય 2005(1) ઉ.ખ.ઈ. 601નાં કેસમાં પત્નીનાં પતિ સાથેનાં લાંબા સમયનાં ગેરવર્તન કે ઝઘડાને ક્રુરતા ગણી શકાય જેથી કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(7) ૠજ્ઞમફળબફશિ ઉયદશ ટ/ત. ઉયદશ ઙફિતફમ અઈંછ 2011 ઉઊક 101નાં કેસમાં પત્ની સંયુક્ત કુટુંબમાં પતિનાં માતા-પિતા સાથે રહેવાં તૈયાર ન હોય તે ક્રુરતા છે જેથી પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(8) ઊંફહાફક્ષફ જશિદફતફિંદફ ટ/ત. જીયિક્ષમફિ ગફવિં જશિદફતફિંદફ અઈંછ 1985 અકક 243નાં કેસમાં પત્નીએ પતિનાં મિત્રો માટે ચા બનાવવાની ના પાડીને મિત્રો વચ્ચે પતિનું અપમાન કર્યું તે ક્રુરતા છે જેથી પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(9) ગયળફશ ઊીંળફિ ૠવજ્ઞતવ ટ/ત. ખશફિં ૠવજ્ઞતવ અઈંછ 1986 ઈઅક 150નાં કેસમાં પતિનાં ચારિત્ર્ય અંગે પત્ની ખોટી શંકા કરે તો ક્રુરતા ગણી શકાય જેથી નામદાર કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(10) જીતવશહ ઊીંળફિ ટયળિફ ટ/ત. જળિ.ં ઞતવફ અઈંછ 1987 ઉઊક. 86નાં કેસમાં પત્ની ગર્ભવસ્થામાં પતિની સંમતી વિના ઈરાદાપૂર્વક ગર્ભ પડાવી નાખે તે ક્રુરતા છે જેથી પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(11) કજ્ઞસયતવૂફશિ ટ/ત. ઉિ. જશિક્ષશદફતફ છફજ્ઞ અઈંછ 2000 અ. ઙ. 451નાં કેસમાં પત્નીએ બાળકને રોડ પર ફેકી દેવાનો કરેલ પ્રયાસ અને પતિને ચપ્પલથી મારેલ તે ક્રુરતા છે જેથી પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(12) ઇવફલૂફક્ષશિં ટ/ત. કફડ્ઢળફક્ષમફત ઙફક્ષષૂફક્ષશ અઈંછ 2000 ખ.ઙ. 190નાં કેસમાં પત્ની કુટુંબના સભ્યોને ગાળો આપે અને ઘરકામ ન કરે તો ક્રુરતા ગણી શકાય જેથી કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(13) છીસળફક્ષશ ઉયદશ ટ/ત. ઇફમશિ ગફફિુફક્ષ 2002(2) ઉખઈ 552નાં કેસમાં પત્નીએ જમવાનું બનાવવાનો ઇન્કાર કરી સગાંઓની હાજરીમાં પતિનું અપમાન કરેલ જેથી પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
પતિ તરીકેના તમારા કાનૂની હક્કોને જાણવા એ માત્ર કાયદાકીય સમજ નથી, પરંતુ આત્મસન્માન અને સામાજિક સંતુલન જાળવવાની દિશામાં એક મજબૂત ડગલું છે. લગ્ન એ પરસ્પર વિશ્વાસ અને આદરનું બંધન છે, પરંતુ જ્યારે આ પવિત્ર સંબંધમાં કડવાશ કે અન્યાય પ્રવેશ કરે, ત્યારે કાયદો જ તમારું સૌથી મોટું શસ્ત્ર અને સુરક્ષા કવચ બને છે. જ્યારે તમે તમારા હક્કો પ્રત્યે સજાગ બનો છો ત્યારે ગરિમાપૂર્ણ જીવનનો માર્ગ મોકળો થાય છે.



