રક્તદાન કેમ્પ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા, પુસ્તક વિમોચન સમારોહની ભવ્ય ઉજવણી
માનવસેવા એ જ મહાદેવસેવા સૂત્રને સાર્થક કરતા રક્તદાન કેમ્પમાં 208 બોટલ રક્ત એકત્ર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પાવન તપ:સ્થલી અને આધ્યાત્મિક ચેતનાથી પરિપૂર્ણ એવા સાવરકુંડલા મુકામે આવેલા સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં ગત તા.15-02-2026 ને રવિવારનાં રોજ મહાશિવરાત્રિ મહોત્સવ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ પૂજ્ય દાદા ગુરુદેવ સ્વામીશ્રી જગદીશ્વરાનંદજીનાં જીવન-ચરિત્રનો ગ્રંથ ’જીવન સુધા’ અને પૂજ્યપાદ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા લિખિત પુસ્તક-સદવિચાર દિવાકર-નાં વિમોચનનો ભવ્યાતિભવ્ય સમારોહ ખૂબ જ સફળતાપૂર્વક સમ્પન્ન થયો હતો.
મહાશિવરાત્રિની પાવન પ્રભાતમાં સવારે પ્રારંભ થયેલ શિવસ્ત્રોતપાઠ, પ્રાર્થના, ધૂન અને સંકીર્તનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પૂજ્યપાદ સ્વામીજી અને મહાનુભાવો દ્વારા શિવલિંગ અને શિવપ્રતિમાનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજ્યપાદ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજે શિવતત્વ રહસ્ય, શિવરાત્રિ વ્રતનો મહિમા, લિંગ રહસ્ય ,જીવ-શિવની એકતા અને માનવસેવાનાં વિષય પર ખૂબ જ સૂક્ષ્મતાથી માર્મિક પ્રવચન કરીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ત્યારબાદ પૂજ્યપાદ સ્વામીજી દ્વારા લિખિત પુસ્તકોનું વિમોચન સાવરકુંડલાનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ટીંબી હોસ્પિટલનાં પ્રમુખ હીરાભાઈ પી. ગાંગાણી તથા સાવરકુંડલા તથા સુરત આશ્રમ ટ્રસ્ટનાં પ્રમુખ રાજેશભાઈ આર. મણોદ્રાનાં વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ધર્મસભા કાર્યક્રમમાં 4000 જેટલા ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહી પૂજ્ય સ્વામીજીનું પ્રવચનનો તથા 8000 જેટલા લોકોએ મહાશિવરાત્રિનો સમૂહ ફલાહાર મહાપ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગે માનવ માત્રની નિ:શુલ્ક આરોગ્ય સેવાર્થે પૂજ્યપાદ સ્વામીજી દ્વારા ભાવનગર જીલ્લાનાં ટીંબી મુકામે પ્રસ્થાપિત- સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના દર્દીઓનાં લાભાર્થે સ્વૈચ્છિક મહારકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ પોતાનું અમૂલ્ય રક્તદાન કરી મહાશિવરાત્રિ પર્વે માનવસેવા એ જ ખરી મહાદેવસેવા સૂત્રને સાર્થક કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 208 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ.
ત્યાર બાદ સાંજે 5.00 થી 6.00 દરમિયાન પૂજ્ય સ્વામીજીએ ભાવિક શિવભક્ત શ્રોતાજનોને શિવમાનસપૂજા તથા શિવરાત્રિવ્રતનાં મહિમા વિશે સત્સંગ લાભાન્વિત કાર્ય હતા ત્યારબાદ રાત્રીનાં 8 કલાકથી મહાશિવરાત્રિ પર્વની સર્વશ્રેષ્ઠ શિવ આરાધના એવી – શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાનો પ્રારંભ થયો હતો. જેમાં પૂજ્ય સ્વામીજીએ પૂર્ણ અંતર્મુખ સ્થિતિમાં તથા શિવભક્તિભાવમાં સ્થિતિ થઈને ચાર પ્રહરની પાર્થિવ પૂજા કરાવીને ભગવાન સદાશિવની આરાધનામાં શિવભક્તોને ભક્તિ-તરબોળ બનાવ્યા હતા. સવારનાં 7 કલાક સુધી અવિરત થયેલ આ મહાપૂજામાં 600 શિવભકત-ભાઈઓએ પૂજ્ય સ્વામીજીની સાથે આ મહાપૂજા કરી હતી. આ સાથે પટેલવાડી, શિવાજીનગર, સાવરકુંડલા ખાતે આયોજિત કરવામાં આવેલ બહેનો માટેની પાર્થિવ શિવલિંગ મહાપૂજામાં 550 બહેનો-માતાઓએ પૂજ્ય સ્વામીજી દ્વારા કરવામાં આવતી આ પૂજાનાં લાઈવ પ્રસારણનાં માધ્યમથી પૂજા કરીને અલભ્ય લાભ લીધો હતો. મહાશિવરાત્રિ પર્વનાં આ સમગ્ર કાર્યક્રમોનું જીવંત પ્રસારણ આશ્રમની યુ-ટ્યુબ ચેનલ ગુરુ સાન્નિધ્ય (ૠઞછઞ જઅગગઈંઉઇંઢઅ) પર પ્રસારિત કરવામાં આવ્યું હતું.
જેમાં 6900 લોકોએ સવારની ધર્મસભાનો તેમજ 8500 લોકોએ રાત્રિની ચારપ્રહરની પાર્થિવ મહાપૂજાનો ઘરબેઠાં લાભ લીધો હતો આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે પૂજ્ય ગુરુદેવનાં આશીર્વાદ અને પૂજ્ય સ્વામીજીની પ્રેરણા તથા માર્ગદર્શન અનુસાર સાવરકુંડલાનાં ધર્મપ્રેમી સત્સંગીજનોએ ભારે જહેમત ઉઠાવીને તન-મન-ધનથી સામૂહિક સહકાર આપ્યો હતો જે બદલ આશ્રમ તેમનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરે છે.



