એકલવાયા જીવનથી કંટાળી ગત રાત્રે યુનિવર્સીટી રોડ સ્થિત ઘરમાં ભરેલું પગલું
7 વર્ષ પૂર્વે નર્મદા નિગમમાં ફરજ પર હાજર થવાનું કહેતા ભગવાન હોવાનું જાહેર કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર બંસરી સોસાયટીમાં રહેતા અને પોતાની જાતને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી અવતાર ગણાવતા સિંચાઈ વિભાગના નિવૃત એન્જીનીયર રમેશચંદ્ર ફેફરએ ગત રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે અગાઉ અનેક વખત પોતાને ભગવાન માનતા રમેશચંદ્ર પોતાના નિવેદનથી વિવાદમાં સપડાયા હતા સાતેક વર્ષ પૂર્વે તે નર્મદા નિગમમાં ફરજ બજાવતા હતા ત્યારે રજા પર ઉતરી જતા ફરજ પર હાજર થવા નોટિસ પાઠવતા પોતે ભગવાન હોવાનું જાહેર કરી સરકારને સામે લેટર લખ્યો હતો જો કે પોતે એકલવાયા જીવનથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ યુનિવર્સિટી રોડ પર બંસરી સેસયટીમાં રહેતાં સિંચાઈ વિભાગના નિવૃત એન્જીનીયર રમેશચંદ્ર હરજીભાઈ ફેફર ઉ.60એ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો મૃતકના પત્નિ અને પુત્ર લંડન રહેછે પોતે અહિ એકલા રહેતાં હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં એકલવાયા જીવનથી કંટાળીને આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ઉલ્લેખનીય છે કે રમેશચંદ્ર ફેફર જળ સિંચાઈ વિભાગના નિવૃત ઈજનેર હતાં તે પોતાને ભગવાન કલ્કીનો અવતાર ગણાવતાં હતાં અને અવાર-નવાર મિડીયા સમક્ષ નિવેદનો કરતા હતાં. તેના અનેક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં તેમણે પોતાના ઘરની બહાર પણ પોતે કલકી અવતાર છે તેવું બોર્ડ લગાવ્યું હતું!
8 માસમાં 16 દિવસ નોકરી કરનાર રમેશચંદ્રને સરકારે હાજર થવા નોટિસ આપી હતી
સાતેક વર્ષ પૂર્વે આઠ મહિનામાં ફક્ત 16 દિવસ સુધી ઓફિસમાં હાજર રહ્યા હતા નર્મદા યોજનાના અધિક્ષક ઈજનેરે ઓફિસમાં ગેરહાજર રહેવા મામલે હાસ્યાપદ જવાબ આપ્યો હતો નોટિસનો જવાબ આપી પોતે કલ્કી અવતાર હોવાનો દાવો કર્યો હતો તેણે પોતાને કલ્કિનો અવતાર ગણાવ્યો હતો.
- Advertisement -



