ગાયક દિલજીત દોસાંઝ દિગ્દર્શક-અભિનેતા ઋષભ શેટ્ટીની ‘કાંતારા: ચેપ્ટર 1’ માટે એક ગીત ગાવા માટે તૈયાર છે. દિલજીત અને હોમ્બલે ફિલ્મ્સ વચ્ચેનો સહયોગ આગામી ફિલ્મની સાંસ્કૃતિક વિવિધતા અને સમગ્ર ભારતમાં આકર્ષણમાં વધારો કરે છે.
ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા વન’માં દિલજીત દોસાંઝનું ગીત ઉમેરવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. ફિલ્મની ઉત્તર ભારતના દર્શકોમાં રિચ વધારવા માટે આ પગલું લેવાયું છે. દિલજીત દોસાંઝ આજકાલમાં ફિલ્મ માટે નવું ગીત રેકોર્ડ કરશે એમ કહેવાય છે.
- Advertisement -
જોકે, ‘કાંતારા’ ફિલ્મના ચાહકોને આ નિર્ણય ગમ્યો નથી. મૂળ ‘કાંતારા’ ફક્ત કન્નડ દર્શકો માટે જ બનાવાઈ હતી પરંતુ બાદમાં તે હિંદીમાં ડબ થયા પછી લોકપ્રિય બની હતી. ચાહકોને મતે મૂળ ફિલ્મ ઓલરેડી બ્રાન્ડ વેલ્યુુ ધરાવે છે અને તેમાં ઉત્તર ભારતના દર્શકોને આકર્ષવાના કોઈ નવા અખતરા કરવાની જરુર નથી.
બીજી તરફ ફિલ્મના ડિજિટલ રાઈટ્સ 125 કરોડમાં વેચાયા હોવાનો દાવો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ‘કાંતારા ચેપ્ટર વન’ મૂળ ‘કાંતારા’ ફિલ્મની પ્રીકવલ હશે. તેમાં મૂળ ફિલ્મના પહેલાંના સમયની વાર્તા કહેવાશે. ફિલ્મમાં ઋષભ શેટ્ટી સાથે સપ્તમી ગૌડા ઉપરાંત ઋકમણિ વસંતની નવી એન્ટ્રી થઈ છે.
તાજેતરમાં, અભિનેત્રી રુક્મિણી વસંતે શેટ્ટી સાથે ફિલ્મમાં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેણીએ કહ્યું, “તેમની પાસે અતિ ભવ્ય દ્રષ્ટિ છે. તેઓએ તાજેતરમાં ‘કાંતારા’ના નિર્માણનો 15 મિનિટનો વિડિઓ રજૂ કર્યો. તેઓએ ‘કાંતારા’ પર કેટલી હદ સુધી કામ કર્યું હતું અને તે કેટલું વિશાળ પાયે બનાવવામાં આવ્યું છે. તે સાંસ્કૃતિક વાતાવરણમાં પણ મૂળ ધરાવે છે અને હાજર છે જેણે પહેલી ફિલ્મને વધુ સફળ બનાવી હતી. તમે આવી ભવ્ય દ્રષ્ટિ ધરાવી શકો છો અને હજુ પણ તેના સારને પકડી શકો છો અને તે શાનદાર છે.”




