અજય શિયાળે સહાય ચુકવવા, પુર સંરક્ષણ દિવાલ બનાવવા સીએમને લેખિત રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના વિકટર ગામે લેબર ક્વાર્ટર વિસ્તારમાં તા. 16/06/2025નાં રોજ અતિભારે વરસાદનાં કારણે રહેણાંક મકાનમાં 4-5 ફૂટ સુધી પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ હતી. તેમજ લોકોને સ્થાળાંતર કરી અન્ય જગ્યાએ પણ જવાની ફરજ પડી હતી. આ વિસ્તારમાં વર્ષોથી અતિભારે વરસાદ અને દરિયાઇ ભરતી સમયે રહેણાંક મકાનમાં પાણી ઘુસી જાય છે. ત્યારે આ બાબતે યુવા આગેવાન અજય શિયાળ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે, રાજુલા તાલુકાના વિકટર ગામે લેબર ક્વાર્ટર વિસ્તારમાં વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જવાથી નુકસાન થયું હતું. અને નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરી ઘરવખરી નુકસાની સહાય નિયમો મુજબ ચુકવવામાં આવે તથા આ વિસ્તારમાં વરસાદી પાણી ન ભરાઈ તે માટે પુર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે અને વરસાદી પાણીનાં નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી મારી માંગ કરી હતી.