ડેમ નજીક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહીશોને સલામત સ્થળે જવા માટે તાકીદ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝન સમય કરતા પહેલા અને જોરદાર થઈ છે. આ વર્ષે મેઘરાજા પણ કઈક જુદા જ મૂળમાં હોય તેવું દૃશ્યમાન થાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગત શનિવારે મોડી સાંજેથી શરૂ થયેલ વરસાદથી સમગ્ર ઝાલાવાડ પંથકને ભીંજવી નાખ્યું છે. મોટાભાગે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાયકા ડેમ, ધોળીધજા ડેમ, ફલકુ ડેમમાં નવા નીર આવ્યા હતા ઉપરવાસમાં વાદળને લીધે વઢવાણના ધોળીધજા ડેમ ઓવર ફલો થઈ ચક્યો છે જ્યારે મૂળીના નાયકા ડેમમાં પાણીની વધુ આવક હોવાથી 17 દરવાજા આઠ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા આ સાથે વરસાદના લીધે કોઈ આદત સર્જાય નહીં તે માટે સુરેન્દ્રનગર જિલ્લાનું તંત્ર પણ સજ્જ થયું છે અને જિલ્લાના તમામ ડેમ નજીક આવેલા ગામો અથવા વિસ્તારોને સલામતી રાખવા માટે તાકીદ કરી છે.
બીજી તરફ વરસાદના જનજીવન પર પણ ભારે અસર જોવા મળી હતી જેમાં મૂળી તાલુકાના નાયકા ડેમમાં પાણીની આવક વધુ પડતી થતા ડેમના દશ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. ત્યારે મૂળી તાલુકાના સરા ગામથી ધ્રાંગધ્રા તરફ જવાના માર્ગે પર આવતા કાળાપાણીની નદી ખાતેનો ક્રોઝવે ભાંગી પડતા અનેક રાહદારીઓ રસ્તામાં જ અટવાયા હતા. આ તરફ થાનગઢ પંથકમાં વરસાદની સાથે વીજળી પડવાના લીધે ગુગલિયાણા, નવાગામ અને સરોડી ગામે ભેંસના મોત નીપજ્યા હતા.
- Advertisement -
મૂળીનો નાયકા ડેમ ઓવરફ્લો
મુળી પંથકના ઉપરવાસમાં વરસાદ હોવાના લીધે નાયકા ડેમ ઓવરફ્લો થયો હતો જેના લીધે એક બાદ એક કુલ 17 દરવાજા આઠ ફૂટ સુધી ખોલીને પાણીની જાવક વધરવામાં આવી હતી.
વઢવાણના ધોળીધજા ડેમ ઓવરફલો થતા લોકોનું સ્થળાંતર કરાયું
- Advertisement -
વઢવાણના ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાની શક્યતાને લીધે આજુબાજુ વિસ્તારોમાં રહેતા રહીશોને તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યા હતા આશરે 50 જેટલા રહીશોને પ્રશાસન દ્વારા અન્ય સલામત સ્થળે સ્થળાંતર કર્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સ્થળો પર નાળા ભાંગી પડ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નદી અને તળાવોમાં પાણીની એકાએક આવક થતા જોરદાર વહેણથી થાનગઢના ખાખરાળી રોડ પર અને સરા ધ્રાંગધ્રા રોડ પરના ક્રોઝવે ભાંગી પડ્યા હતા જેથી અનેક રાહદારીઓ ફસાયા હતા જોકે તાત્કાલિક તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી હતી.