આજે રાજકોટમાં અને ગુરુવારે ગાંધીનગરમાં વિજયભાઇ રૂપાણીની પ્રાર્થના સભા
રાજકોટ શહેર ભાજપ દ્વારા સ્વ.વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રેસકોર્સમાં પ્રાર્થના સભા રાખવામા આવી છે. જે શરૂ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકો આવતા હોય ભાજપ દ્વારા મોટો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં અંજલિબેન રૂપાણીને સાંત્વના પાઠવવા માટે મુંજકા આર્ષ વિદ્યા મંદિરના પરમાત્માનંદજી સહિતના ધર્મગુરૂઓ પહોંચ્યા હતા જ્યારે ભાજપના આગેવાનો- કાર્યકર્તાઓ પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા. જ્યારે તા. 19ના ગુરુવારે ગાંધીનગરમાં સેક્ટર-17માં હેલીપેડ ગ્રાઉન્ડ, એક્ઝીબીશન સેન્ટર હોલ-1 ખાતે સવારે 9થી 12 પ્રાર્થના સભા યોજાશે. જ્યારે તા. 20ના શુક્રવારે સાંજે 4થી 6 ગાંધીનગરમાં કોબા કમલમ ખાતે પૂર્વ મુખ્યમંત્રી તેમજ તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થના સભા યોજાઈ છે.
- Advertisement -