પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરતી ઘટના
માતાના સોનાના દાગીના મળી આવતા દીકરીએ પોલીસ તંત્રનો આભાર માન્યો
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
- Advertisement -
તાજેતરમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં મરણ જનારના ડીએનએ સેમ્પલ મેચ થતા, પરિવારજનોને સોંપવાની કાર્યવાહી ચાલુ છે. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ, મ્યુનિ. કોર્પો., વહીવટી તંત્ર, સહિતનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે.
વડોદરા શહેરના શિવશક્તિ સોસાયટી, વાસણા રોડ ખાતે રહેતા વીણાબેન વલ્લભભાઈ અઘેડા ઉવ. 75 અને વલ્લભભાઈ અઘેડા ઉવ. 76 પણ એર ઈન્ડિયાની ફલાઇટમાં સફર કરતા, અકસ્માતમાં મરણ ગયેલ હોય, તેઓ પૈકી પહેલા વીણાબેન અધેડાના ડીએનએ મેચ થતા, તેઓના દીકરી ખુશનુમાબાનું તનવીરહુસેન મલિકને ડેડ બોડી સોંપવામાં આવેલ હતી. શરત ચૂકથી વીણા બેનના શરીર ઉપરથી કબ્જે કરવામાં આવેલ મુદામાલ પરત સોંપવાનો રહી ગયેલ હતો. જે અંગેની જાણ ડીસીપી પ્રદીપસિંહ જાડેજા તથા તપાસ કરનાર નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. પી.વી. ગોહિલ, પીએસઆઈ ભરતસિંહ રાઠોડ તથા સ્ટાફ દ્વારા ટેલિફોનીક સંપર્ક કરી, ડેડબોડી લઈને જતા તેઓના સગા સંબંધીને કરી, તેઓના પિતા વલ્લભભાઈ અઘેડાના ડીએનએ મેચ થાય અને ડેડબોડી લેવા માટે આવે ત્યારે શોધીને આપી દેવા જાણ પણ કરવામાં આવેલ હતી. તેઓ રસ્તામાં હતા, દરમિયાન વલ્લભભાઈ અઘેડાના ડીએનએ ટેસ્ટ પોઝિટિવ આવતા, જાણ કરવામાં આવેલ.
બંનેની અંતિમ ક્રિયા સાથે થઈ જાય, એ હેતુથી તેઓ પરત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ અને વીણાબેન અધેડાના શરીર ઉપરથી કબજે કરવામાં આવેલ સોનાની બંગડી, બ્રેસલેટ, ચેઇન, સહિત આશરે ચાર પાંચ તોલા વજનના સોનાના દાગીના અમદાવાદ શહેર પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ અઢળક મુદામાલની વચ્ચેથી જહેમત ઉઠાવી, શોધી કાઢી પરત સોંપવામાં આવેલ હતો. મરણ જનાર વીણાબેન અધેડાના પરિવારજનો દ્વારા કપરી પરિસ્થિતિમાં પણ પોલીસની ઈમાનદારી ભરી કામગીરીના ભરપૂર વખાણ કરી, અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. મરણ જનાર વીણાબેનના પુત્રી ખુશનુમાબાનું તનવીરહુસેન મલિક તથા પરિવારજનો પોતાની માતાની યાદી સમાન સોનાના દાગીના મળતા, ભાવવિભોર થયેલ અને અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો.
- Advertisement -
આમ, અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, જેસીપી સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ, ડીસીપી ઝોન 06 રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સેવા સાથે સુરક્ષાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.