ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29
મોરબી પીજીવીસીએલ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સમયાંતરે વીજકાપ મુકીને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે જો કે સારી વાત છે પંરતુ મેન્ટેનન્સ ખરેખર થાય છે કે શું તેવા સવાલો પ્રજાના મનમાં ઉભા થઇ રહ્યા છે કારણકે મેન્ટેનન્સ થયાના ગણતરીના કલાકો કે ગણતરીના દિવસોમાં વીજળી ગુલ થવાની સમસ્યા થયા જ કરે છે જો કે નાગરિકોના હાલ બેહાલ કરીને અધિકારીઓ એસી ચેમ્બરમાં ઠંડી હવાની મજા માણી રહ્યા છે
મોરબી પીજીવીસીએલ દ્વારા બુધવારે 66 કેવી વજેપર સબ સ્ટેશનમાં GETCO દ્વારા કામગીરી કરવાની હોવાથી પીજીવીસીએલ શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી લાતી પ્લોટ ફીડર, 11 કેવી હોસ્પિટલ, 11 કેવી રાજનગર ફીડર, 11 કેવીનગર ફીડરમાં તા. 28 ને બુધવારે મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી સવારે 7 થી 11 કલાક સુધી બંધ રાખવામાં આવ્યા હતા જો કે મેન્ટેનન્સ થયા બાદ પણ ગણતરીની કલાકોમાં વીજળી ગુલ થઇ હતી. ગણતરીના કલાકોમાં લાઈટ જતી રહેવાથી અનેક સવાલો ઉભા થયા છે કે ખરેખર મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે કે ખાલી ખોટો દેખાડો પીજીવીસીએલ અને GETCO દ્વારા કરવામાં આવી રહ્યો છે જો મેન્ટેનન્સની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી હોય તો ગણતરીના કલાકોમાં તો લાઈટ ના જાય ગઈકાલે મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ પણ 3 થી 4 વખત વીજળી ગુલ થઇ હતી તો આજે ગુરુવારે પણ સવારથી વીજળી ગુલ થઇ છે
- Advertisement -
એસી ચેમ્બરમાં આરામ કરતા અધિકારીઓએ ચેમ્બરની બહાર નીકળી ખરેખર યોગ્ય રીતે મેન્ટેનન્સ થાય છે કે નહિ અને અવારનવાર વીજળી કેમ ગુલ થાય છે તે તપાસ કરવી જોઇને જો ચેમ્બરની બહાર નીકળશો તો જ સાચી માહિતી બહાર આવશે પ્રજા બફારામાં ત્રાહિમામ પોકારી ઉઠી છે.