By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    1 day ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    1 day ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    1 day ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 days ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તિરુપતિ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે હૈદરાબાદ પાછી ફરી
    23 minutes ago
    ઓપરેશન સિંધુ: યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું
    2 hours ago
    સંબંધો ‘પાટે’ ચડવા લાગ્યા! ભારત – કેનેડા ‘રાજદૂતો’ની ફરી નિયુક્તિ કરવા સહમત
    2 hours ago
    ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી
    21 hours ago
    કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    1 day ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    2 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    3 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    7 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    24 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    2 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    5 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    6 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પૂ. દયાનંદગિરીબાપુની પાલખી યાત્રા-સમાધીમાં ભાવિકોની ભીડ: ચરાડવા શોકમય બંધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પૂ. દયાનંદગિરીબાપુની પાલખી યાત્રા-સમાધીમાં ભાવિકોની ભીડ: ચરાડવા શોકમય બંધ
ગુજરાતરાજકોટ

પૂ. દયાનંદગિરીબાપુની પાલખી યાત્રા-સમાધીમાં ભાવિકોની ભીડ: ચરાડવા શોકમય બંધ

Khaskhabar Editor
Last updated: 2025/05/24 at 6:25 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
5 Min Read
SHARE

અનેક મહાવિદ્યાના જાણકાર, આયુર્વેદ, દવાઓનાં સાધક, યજ્ઞવિદ્યામાં પારંગત, મહાકાલી માતાજીના મંદિરનું નિર્માણ કરનારા મહાન સંતને અશ્રુભરી વિદાય અપાઇ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમના પૂ.દયાનંદગીરીબાપુ બ્રહ્મલીન થતા ઘેરો શોક છવાયો છે. ગઇકાલે ચરાડવામાં પાલખીયાત્રા અને સાંજે સમાધી અપાઇ હતી. આ તકે ‘અકિલા’ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પુર્વ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિત અસંખ્ય ભાવિકો ઉમટયા હતા અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. પૂ.દયાનંદગીરીજી મહારાજના શિષ્ય પૂ. અમરગીરી મહારાજનું સાનિધ્યમાં વિધિવિધાન કરાયા હતા.

પૂ. દયાનંદગિરી બાપુ અનેક મહાવિદ્યાના જાણકાર, આયુર્વેદ સાધક, યજ્ઞવિદ્યામાં પારંગત અને માતા મહાકાલીનું શાષાોક્ત રીતે મંદિર નિર્માણકર્તા હતા.
દુનિયાના દુખીયાઓના દુ:ખ દર્દ પોતાના માની પી જનારા, મુઠ્ઠીભર હાડ, માંસ અને ચામડાના દેહમાં હિલોળા મારતો કરુણા અને સંવેદનાનો ઘૂઘવતો મહાસાગર, જેના દેહથી જટાનો ભાર દોઢો, આ બેટે.. આ કહી ને પાસે બેસાડે અને આંખોથી અમી વરસાવે તેવા સરળ સંત એટલે પુજ્ય દયાનંદગિરી મહારાજે વિદાય લેતા ઘેરો શોક છે. માનવ માત્રની સાથોસાથ પૂ.દયાનંદગીરીબાપુને પશુ અને પ્રકળતિ પ્રત્યે પણ ખુબ પ્રેમ હતો. બાપુની ઈચ્છા હતી કે તેમનો દેહત્યાગ સૌરાષ્ટ્રની પાવન ધરા ઉપર જ થાય, અને એવું જ થયું છે.મોરબી-હળવદ હાઇવે પર આવેલા ચરાડવા ગામ પાસે શ્રધ્ધાના સ્થાનક એવા મહાકાળી આશ્રમના સ્થાપક પૂ. દયાનંદગિરિબાપુએ 133 વર્ષની વયે મહાપ્રયાણ કર્યું છે. આજે વહેલી સવારે 5.30 વાગ્યે તેઓએ દેહત્યાગ કર્યો હતો. પૂ.બાપુ અપાર લોકચાહના ધરાવતા હતા. અસંખ્ય લોકોના દુ:ખ-દર્દ દુર કર્યા હતા. તેમના માર્ગદર્શનથી અનેક સાધકો આધ્યાત્મીક માર્ગે વિચરી રહ્યા છે. પૂ. દયાનંદગિરિબાપુના પાર્થિવદેહને આજે સવારે ચરાડવાના શ્રી મહાકાળી માતાજીના આશ્રમે દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. જયાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટયા હતા. બપોરે 11 વાગ્યે પાલખી યાત્રા નીકળી હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતી. આ પાલખી યાત્રાનું ચરાડવા ગામમાં પરિભ્રમણ કરાયું હતું.બાદમાં સાંજે પ.30 વાગ્યે ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમે સમાધી આપવામાં આવી હતી.

પૂ. દયાનંદગીરીબાપુ 10 જેટલી મહાવિદ્યામાં પારંગત હતા. બાપુએ આયુર્વેદ થકી હજારો-લાખો દવાઓ શોધી હતી અને આ ઉપરાંત તેઓએ હજારો દર્દીની આ દવાથી સારવાર કરી હતી. જેમાં કેન્સર જેવા રોગનો પણ ઉપચાર કરવામાં આવતો હતો. દેહત્યાગ બાદ બાપુની પાલખી યાત્રા ગામમાં નીકળી ત્યારે બાપુની લોકચાહના અને તેઓ પ્રત્યેનો આદરભાવ દેખાઈ રહ્યો હતો. અઢારેય વરણના લોકો આ વેળાએ ઉમટયા હતા. ગામ સ્વયંભુ બંધ રાખવામાં આવ્યું હતું. હજારો ભાવિકો દૂર દૂરથી અંતિમ દર્શન માટે મહાકાળી આશ્રમ પહોંચ્યા હતા.
બાપુને સમાધિએ જ જગ્યાની નજીક અપાઈ છે કે જ્યાં બાપુએ પતરા નાખી અને ધૂણી ધખાવી હતી.

- Advertisement -

બાપુ 1988થી આ આશ્રમમાં સેવાની સુવાસ ફેલાવી રહ્યા હતા. એક ભક્તના કહેવા અનુસાર બાપુ પોતે જ એવુ માનતા કે એમનો દેહત્યાગ સૌરાષ્ટ્રની ધરતીમાં થાય કેમકે તેમના ગુરુ એ જણાવ્યું હતું કે આ ભૂમિ સંતો અને સુરાઓની છે.આ ઉપરાંત બાપુ અંદ્ધશ્રદ્ધામાં પણ કયારેય માનતા ન હતા. બાપુ એ જીવન પરસ્ત ગૌસેવા – અબોલ જીવોની સેવા અને માનવ સેવાની ધૂણી ધખાવી હતી. પોતે આયુર્વેદ ઉપચાર ના જાણકાર હોય અનેક દર્દી નારાયણને કેન્સર જેવા જટિલ રોગોમાં સારવાર આપી સ્વસ્થ બનાવ્યા હતા. તેઓ અહીં દર વર્ષે મોટા પાયે ધાર્મિક ઉત્સવની ઉજવણી કરતા હતા. જેમાં નવરાત્રી, શ્રીમદ્ ભગવત કથા, શ્રી દેવી ભાગવત, શ્રી શિવ મહાપુરાણ સહિત કથા દ્વારા ધાર્મિક ઉત્સવનું આયોજન પૂજ્ય બાપુની નિશ્રામાં થતું હતું.

આ આશ્રમમાં 50 ઉપરાંત ગૌવંશ હોય પણ એક પણ રૂપિયાનું દૂધ, દહીં, છાસ, ઘીનું વેચાણ કર્યું નથી. શ્વાન – ઘોડા સહિત નાના મોટા 900 થી વધુ અબોલ જીવોની સેવા આ આશ્રમમાં નિ:સ્વાર્થ ભાવે થઈ રહી છે. એક પણ રૂપિયાનો ફાળો પણ હજી સુધી માંગવામાં આવ્યો નથી. આમ બાપુએ પોતાના જીવન દરમિયાન ધર્મ અને સેવાની જે ધૂણી ધખાવી લોકોના દિલમાં અમરત્વ પ્રાપ્ત કર્યું છે. સૌરાષ્ટ્રના અનેક મહાનુભાવોએ બાપુ સાથેના સંસ્મરણો વાગોળી શ્રદ્ધાંજલિ પાઠવી.

પૂ. દયાનંદગીરી બાપુની ઓચિંતી વિદાયથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવકગણો શોકમગ્ન થયા છે. તેવામાં બાપુના નિકટ એવા અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, ધારાસભ્ય કાંતિલાલ અમળતિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બ્રિજેશભાઈ મેરજાએ બાપુ સાથેના જુના સંસ્મરણો વાગોળી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

You Might Also Like

અમદાવાદ દુર્ઘટનાના એક અઠવાડિયા પછી, સરકારે એરપોર્ટ નજીક અવરોધો તોડી પાડવા માટે નવા નિયમો જાહેર કર્યા

શહેરમાં આજે 2 મહિલા અને 7 પુરુષો સહિત 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા

શેરબજારમાં વધુ નફાની લાલચ આપી યુવક સાથે રૂ.16.67 લાખની છેતરપિંડી

92.60 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

અન્ડર 14-17 ભાઈઓ-બહેનોની ઓપન રાજકોટ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાશે

TAGGED: ગુજરાત
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય જિન જીજીને મળ્યો વિશ્ર્વના શ્રેષ્ઠ જિનનો એવોર્ડ
Next Article શેરબજાર અપડેટ: સેન્સેક્સ વધ્યો તો નિફ્ટી પહોંચ્યું 25000ને પાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

તિરુપતિ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે હૈદરાબાદ પાછી ફરી

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
અમદાવાદ દુર્ઘટનાના એક અઠવાડિયા પછી, સરકારે એરપોર્ટ નજીક અવરોધો તોડી પાડવા માટે નવા નિયમો જાહેર કર્યા
ઓપરેશન સિંધુ: યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું
શહેરમાં આજે 2 મહિલા અને 7 પુરુષો સહિત 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા
લીમડી: એક મહિના પૂર્વે ઝડપાયેલી સ્વિફ્ટ કારમાંથી ગૌમાંસ મામલે ગુનો નોંધાયો
સંબંધો ‘પાટે’ ચડવા લાગ્યા! ભારત – કેનેડા ‘રાજદૂતો’ની ફરી નિયુક્તિ કરવા સહમત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

અમદાવાદ દુર્ઘટનાના એક અઠવાડિયા પછી, સરકારે એરપોર્ટ નજીક અવરોધો તોડી પાડવા માટે નવા નિયમો જાહેર કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાતરાજકોટ

શહેરમાં આજે 2 મહિલા અને 7 પુરુષો સહિત 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

શેરબજારમાં વધુ નફાની લાલચ આપી યુવક સાથે રૂ.16.67 લાખની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?