By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
    2 hours ago
    બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
    3 hours ago
    યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
    24 hours ago
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    1 day ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમેરિકામાં H-1B વિઝા લોટરી સિસ્ટમ બંધ: હવે ‘નસીબ’ નહીં પણ ‘પગાર’ના આધારે મળશે એન્ટ્રી
    9 minutes ago
    PAKના નવા માલિકનું ‘જૂનાગઢ કનેક્શન’: મૂળ ગુજરાતના બાંટવાના વતની છે આરિફ હબીબ
    16 minutes ago
    20 વર્ષ પછી ઉદ્ધવ-રાજ ઠાકરેની પાર્ટીમાં ગઠબંધન
    18 minutes ago
    ઇસરોએ 6100 કિલોનો અમેરિકી સેટેલાઇટ લૉન્ચ કર્યો
    28 minutes ago
    રામમંદિરને અજાણ્યા ભક્તે આપી ₹30 કરોડની પ્રતિમા
    33 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો 5 બોલમાં ઝડપી 150 રનનો રેકોર્ડ તોડ્યો, 10 રનથી ડબલ ટન ચૂકી ગયો
    3 hours ago
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    1 day ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    2 days ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    2 days ago
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    6 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 weeks ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સીને મે જલન, આંખો મે તુફાન ક્યા તુમ કટ્ટર તો નહીં?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સીને મે જલન, આંખો મે તુફાન ક્યા તુમ કટ્ટર તો નહીં?
Author

સીને મે જલન, આંખો મે તુફાન ક્યા તુમ કટ્ટર તો નહીં?

Khaskhabar Editor
Last updated: 2025/04/19 at 4:24 PM
Khaskhabar Editor 8 months ago
Share
6 Min Read
SHARE

કાર્તિક મહેતા

ગુજરાતીમાં જરા વધુ પાવરફુલ હોય, જોરાવકો હોય , લોંઠકો હોય એવા માણસને માથાભારે માણસ કહેવાય છે. હિંસક શિકારી પશુઓની ખોપરી પણ શાકાહારી પશુઓ કરતા મોટી હોય છે. સિંહને એટલે તો ડાલામથ્થો કહેવાય છે કેમકે એવડું મોટું એનું માથું હોય છે. ન્યુરોલોજીના સંશોધકોએ એક પ્રયોગ દરમિયાન શોધી કાઢ્યું કે કટ્ટર અને અતિવાદી માનસિકતા ધરાવતા લોકોના મગજમાં એમીગ્ડાલા કહેવાતો ભાગ સામાન્ય કરતા ઘણો મોટો હોય છે. મગજનો આ ભાગ લોકોમાં ભય, ઉદ્વેગ, દ્વેષ, ઘૃણા જેવા ભાવોને નિયંત્રિત કરતો હોય છે. આ પ્રયોગ દરમિયાન લોકોના એક સમૂહને બે વિડીયો બતાવાવમાં આવ્યા. એક વિડીયો હતો કોફીના દાણા પીસાતા હોય એનો અને બીજો વિડીયો હતો ઘરવિહોણા ગરીબ લોકોની વ્યથાકથાનો. આ બેય વીડિયોમાં જે કોફોઇના દાણા વાળો વિડીયો હતો એને જોઈને તમામ લોકોના રિસ્પોન્સ લગભગ સરખા હતા. પણ જે વીડિયોમાં ઘરવિહોણા લોકોની ઉપર ડોક્યુમેન્ટરી હતી તે જોઈને સમૂહના અમુક લોકોના હૃદયની ગતિ વધી ગઈ , એમને થોડો પરસેવો વળ્યો. કેમકે એ લોકોને આ ગરીબ લોકોની વ્યથા અકળાવી ગઈ હતી પણ અમુક એવા લોકો હતા કે જેમને આ ગરીબ લોકોની વ્યથા અને પીડા જોઈને કશો ફેર પડ્યો નહી. એમનો રિસ્પોન્સ એવો જ હતો જેવો કોફીના દાણા પીસાવાનો વિડીયો જોતી વખતે હતો. સંશોધકોને અભ્યાસ કરતા માલુમ પડ્યું કે જે લોકોને ઘરવિહોણા ગરીબ લોકો માટે કોઈ અનુકંપા થઇ નહોતી તે બધા કટ્ટર અને રૂઢિવાદી વિચારધારા ધરાવતા માણસો (!!!) હતા. આ બધા એવા લોકો હતા જેમને મન જગતમાં આર્થિક ઊંચનીચ હોવી સામાન્ય હતું, એમને મન ગરીબોની પીડાની કોઈ વેલ્યુ નહોતી અને ગરીબોની પીડાને તેઓ નોર્મલ સમજતા હતા. કોઈ ક્રિએટિવ, સર્જક વૃત્તિ ધરાવતો માણસ ક્યારેય કટ્ટર નહિ જોવા મળે.કેમકે કટ્ટરતા માણસને કુંઠિત કરી નાખે છે. એટલે કટ્ટર વિચારધારા ધરાવતા લોકોમાં કલાકારો, સર્જકો, સાહસિકો અને વિજ્ઞાનીઓ ઓછા જોવા મળે છે. ડોક્ટર લિયોર ઝમીગોર્ડ નામની એક યુવાન ન્યુરોલોજીસ્ટ છે.

- Advertisement -

જેણે કટ્ટર અને ઉદાર એમ બેય લોકોના મગજનો ન્યુરોલોજીકલ દ્રષ્ટિએ અભ્યાસ કર્યો છે. એ કહે છે કે માણસના મગજને સતત કોઈ આઇડીયોલોજી એટલે કે વિચારધારાની જરૂર પડે છે, મોટાભાગના લોકો આવી વિચારધારામાં માનવા લાગે છે કેમકે આવી રીતે કોઈ ચોક્કસ વિચારધારામાં માનવાથી એને પોતાના મગજને બહુ શ્રમ દેવો પડતો નથી. વિચારધારા એને શું પહેરવું, શું ખાવું, કોની સાથે રહેવું, કોની સાથે વ્યવહાર કરવો , વગેરે જેવા અનેક પ્રશ્નોના રેડીમેડ જવાબો આપી દે છે , એટલે એણે આ બાબતે મગજને કષ્ટ દેવું પડતું નથી,પરંતુ ક્યારે આ વિચારધારા એના મષ્તિષ્ક ઉપર સવાર થઇ જાય છે એની એને પોતાને ખબર રહેતી નથી. કોઈપણ વિચારધારામાં સ્પષ્ટ પણે નહિ માનતા લોકો એકદમ ઉદાર, ફ્લેક્સીબલ અને સર્જનશીલ સફળ લોકો હોય છે. એમના ઉપર વિશ્વાસ કરી શકાય એવા લોકો હોય છે. રોબર્ટ જે લિફટન નામનો એક જબરદસ્ત મનોચિકિત્સક છે (હમણાં શતાયુ પૂર્ણ કરશે) . એણે પણ કટ્ટરતા ઉપર, કટ્ટરવાદ ઉપર ઘણું સંશોધન કરેલું છે. કટ્ટર લોકોના મગજ અને શરીર બેય નોર્મલ લોકો કરતા અલગ રીતે કામ કરવા લાગે છે. કેમકે એમની વિચારશક્તિ કુંઠિત થઇ જાય છે. રોબર્ટ લિફ્ટને લગભગ 1980માં એક પુસ્તક લખેલી જેનું નામ હતું : કલ્ટ ફોર્મેશન. કલ્ટ એટલે સંપ્રદાય. દરેક ધર્મમાં સંપ્રદાયો છે. પરંતુ અમુક સંપ્રદાયો ખુબ વિચિત્ર અને ભયાનક પણ છે, વળી અમુક સંપ્રદાયો લોકોની ચોક્કસ કટ્ટર વિચારધારાને કારણે નિર્માણ પામેલા છે. કલ્ટને નામે લોકો સાવ કપોલ કલ્પિત વાતોને પણ સાચી માની લેતા હોય છે. થોડા વરસો પહેલા દિલ્હીમાં એક ધનવાન કુટુંબના દસ બાર લોકોએ એકસાથે આત્મહત્યા કરી હતી કેમકે તેઓ કોઈ ચોક્કસ વિચારધારામાં કટ્ટર રીતે માનતા હતા. લોકોના મગજ સામાન્ય રીતે કટ્ટર હોતા નથી. દરેક માણસમાં એક ઉદાર, સર્જનશીલ, બુદ્ધિમાન અને લાગણીશીલ જીવ વસેલો હોય છે. જેમણે ખુબ ઓરવાસ કર્યો હોય એમને આ વાતનો અનુભવ પણ થયો હોય છે કે જગતમાં નોર્મલ રીતે માણસો બહુ પોઝિટિવ હોય છે. તો લોકો કટ્ટર કેમ બને છે?

એ પ્રશ્ન થાય. કેમ લોકો ધર્મને નામે અનેક લોકોની હત્યા કરી શકે છે? કેમ કોઈ કલ્ટમાં માનતા લોકો સાવ મનઘડંત વાતોમાં માનીને દુરાચારોનો ભોગ બનતા હોય છે?? લોકોને કટ્ટર કોણ બનાવે છે? રોબર્ટ લિફટન પોતાની પુસ્તકમાં આ સવાલનો બહુ વિશદ જવાબ આપે છે. લિફટન માંડીને વાત કરે છે કે કોઈ પણ માણસ કે એના સમૂહને કટ્ટર બનાવવાનું કામ યોજનાબદ્ધ રીતે કરવામાં આવે છે. સહુથી પહેલા એક પ્રભાવશાળી અને બોલવામાં ચબરાક વ્યક્તિને મસીહા કે સંત કે ઉદ્ધારક તરીકે રજુ કરવામાં આવે છે. બીજા પગલામાં આવા વ્યક્તિનો ભરપૂર પ્રચાર કરીને લોકોને આકર્ષવામાં આવે છે. એમાંથી એવા લોકો પણ તૈયાર કરવામાં આવે છે જે આ મસીહા વ્યક્તિ માટે હિંસક પણ થઇ શકે અને પોતાનો જીવ પણ ન્યોછાવર કરી શકે. છેવટે એક ચેઇન રિએક્શન થાય છે જેને કારણે અનેક લોકો આ મસીહા પ્રત્યે આકર્ષાય છે. મસીહા એના અનુયાયીઓનું સામાજિક કે શારીરિક કે આર્થિક શોષણ કરે છે. મસીહાના હિસાબો ગુપ્ત હોય છે. એને મળતી આવકો અને એની જાવકો કોઈને ખબર પડે નહિ એનું ધ્યાન રખાય છે. ધીમે ધીમે આ મસીહા એટલું મોટું કદ મેળવી લે છે કે એને કાયદો પણ હાથ અડાડતા વિચાર કરે. આવી રીતે અનેક કલ્ટ અને અનેક કટ્ટર વિચારધારાઓ નિર્માણ પામે છે. બધા સામાજિક સંગઠન ખરાબ નથી હોતા પણ જેઓ છે એમની કામ કરવાની શૈલી આવી હોય છે અને એમનો ધ્યેય સમાજને સતત વધુને વધુ કટ્ટરતા તરફ ધકેલવાનો હોય છે. કટ્ટરતા એક રોગ છે. જે ઘણીવાર ચેપી પણ હોય છે. કટ્ટર માણસને સુધારવા કરતા એનાથી અંતર કરવું વધુ સલામત અને ડહાપણભર્યું હોય છે.

You Might Also Like

અરવલ્લી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં શું છે?

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

માનવ મસ્તિષ્ક કવોન્ટમ એનર્જી સેન્ટર

ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે

TAGGED: story
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એલિયન્સના પાક્કા પુરાવા! 120 પ્રકાશવર્ષ દૂરના ગ્રહ પર જીવનના સંકેત
Next Article જંગલના ડેમો-ચેકડેમોને સૂજલામ્ સૂફલામ્ યોજનામાં સમાવેશ કરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ક્રિસમસને પગલે ખ્રિસ્તી સમુદાયમાં ઉત્સાહ, ચર્ચનો રોશની અને ફૂલોથી શણગાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
સાન્તાક્લોઝના ડ્રેસ, ટોપી, દાઢીનું વેચાણ બાળકોની ખુશી સાથે ગરીબોને મળી રોજગારી
અમેરિકામાં H-1B વિઝા લોટરી સિસ્ટમ બંધ: હવે ‘નસીબ’ નહીં પણ ‘પગાર’ના આધારે મળશે એન્ટ્રી
એપલના નામે નકલી એસેસરિઝ વેંચનાર વેપારીઓને ત્યાં ધોંસ
PAKના નવા માલિકનું ‘જૂનાગઢ કનેક્શન’: મૂળ ગુજરાતના બાંટવાના વતની છે આરિફ હબીબ
20 વર્ષ પછી ઉદ્ધવ-રાજ ઠાકરેની પાર્ટીમાં ગઠબંધન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અરવલ્લી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં શું છે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Hemadri Acharya Dave

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?