ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બનેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવે છે. દર વર્ષે અંદાજિત 7.00 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવે છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.
સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્થાને અંતે તા.30/03/2025ના રોજ સાંજના સમયે 02(બે) બાળ વાઘનો જન્મ થયેલ છે. માતા કાવેરી દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંઓનું ઈઈઝટ દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
આમ સફેદ વાઘણ કાવેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ 04 બચ્ચાંઓનો જન્મ આપી કાળજીપુર્વક ઉછેર કરવામાં આવેલ છે. રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં કુલ 17 (સતર) સફેદ બાળ વાઘનો જન્મ થયો છે.
વર્ષ 2014-15 દરમિયાન વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ (છતીસગઢ)ને સિંહ જોડી 01 આપવામાં આવેલ. જેનાં બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાધ નર દિવાકર, સફેદ વાધણ યશોધરા તથા સફેદ વાધણ ગાયત્રી આ5વામાં આવી છે.
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ-02નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 10 થયેલ છે. જેમાં નર-03, માદા-05 તથા બચ્ચા-02નો સમાવેશ થાય છે.
હાલ ઝૂ માં જુદી જુદી 65 પ્રજાતિઓનાં કુલ-592 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ નિદર્શન કરી શકે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.