આજે નિવૃત થઈ રહેલા માધવી પુરી બુચનું સ્થાન લેશે : આર્થિક બાબતોના નિષ્ણાંત મનાય છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
- Advertisement -
સિકયોરિટી એન્ડ એકસચેંજ બોર્ડના વિવાદાસ્પદ વડા માધવી પુરી બુચ આજે નિવૃત થતા તેમના સ્થાને હવે કેન્દ્ર સરકારે 1987 બેચના આઈએએસ અધિકારી અને નાણા મંત્રાલયમાં સચીવ તરીકે કામ કરતા તૂહિનકાંડ પાંડેને નવા વડા તરીકે નિયુક્ત કરાયા છે તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે.
ઓડિસા કેડરના અધિકારી શ્રી પાંડે સરકારની નાણાકીય નીતિનો એક મહત્વનો ભાગ બની રહ્યા છે. તેઓએ એરઈન્ડીયાની ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પુરી કરી હતી. તેઓ નાણામંત્રી નિર્મલા સીતારામનની ટીમના એક મહત્વના અધિકારી પણ બની રહ્યા છે અને તેઓએ હજુ જાન્યુઆરીમાંજ મહેસુલ વિભાગનો મહત્વનો હવાલો સુપ્રત કરાયો હતો.
તેઓ શેરબજાર તથા આઈપીઓ પ્રક્રિયા સાથે પણ મહત્વપૂર્ણ રીતે જોડાયેલા છે. એલઆઈસીનો આઈપીઓ તેઓએ લીડ કર્યો હતો. તેઓએ બ્રિટનની બર્મિંગહામ યુનિ.માં બીઝનેસ એડમીનીસ્ટ્રેશનમાં પણ માસ્ટર ડીગ્રી મેળવી છે.