ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
લોકસાહિત્યનો વડલો ગણાતા પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીએ હવે ડાયરો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. જામવાળા ગીર ખાતે પીઠડ માંના સાંનિઘ્યમાં સ્ટેજ પરથી તેમણે આ જાહેરાત કરી હતી. ભીખુદાનભાઇએ ઉંમરના કારણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યુ હતુ. પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીએ લોકસાહિત્ય થકી દેશ અને વિદેશમાં નેક પ્રોગ્રામ કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે. થોડા સમય પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉંમરના કારણે ભીખુદાનભાઇએ છેલ્લા ઘણા સમયથી પ્રોગ્રામ ખુબ ઓછા કરી નાખ્યા હતા. સબંધોના જયાં ફરજીયાત હોય ત્યાં પ્રોગ્રામ કરતા હતા. ગીરગઢડા નજીક આવેલા જામવાળા ખાતે પીઠડ માંના સાંનિઘ્યમાં તેમણે સ્ટેજ પરથી મે આજે જ નિર્ણય લીધો છે કે હવે હું જીવુ ત્યાં સુધી એક પણ પ્રોગ્રામ નહી કરૂ. અહીંયા નહીં પરંતુ કોઇપણ જાગ્યાએ હેવે હુ કયારેય પ્રોગ્રામ કરીશ નહી તેવી જાહેરાત કરી હતી. ભીખુદાનભાઇની ઉંમર 76 વર્ષથી વધુની થઇ ગઇ હોવાની હવે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યુ હતુ.
જામવાળાના પીઠડધામ ખાતે લોક સાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ પ્રોગ્રામ નહીં કરવાનો લીધો નિર્ણય
