જિલ્લા વિકાસ અધિકારીએ અરજદારોના પ્રશ્ર્નોનું સમય મર્યાદામાં અને નિયમો અનુસાર નિરાકરણ લાવવા આપી સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાણાવાવ
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ” સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કરના અધ્યક્ષ સ્થાને રાણાવાવ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી રાણાવાવ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ નાગરિકોના પ્રશ્નોને સાંભળ્યા હતા અને તેમનું નિયમો અનુસાર સમય મર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી. વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને લોક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટેની સુદ્રઢ વ્યવસ્થા ગ્રામ્ય સ્તરનાં પ્રશ્નોનુ ગ્રામ્ય ‘સ્વાગત’માં નિરાકરણ કરવા દિશાનિર્દેશ આપ્યા હતા. અને રાણાવાવ તાલુકાનાં વિકાસના કાર્યો અંગે માહિતી મેળવી અને રાણાવાવ તાલુકાના ગ્રામ્ય સ્તરનો વિકાસ થાય તે દિશામાં કાર્યો કરવાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.