By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    20 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    20 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    21 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    20 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    21 hours ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    21 hours ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    2 days ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    21 hours ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    7 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    21 hours ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતના પૂર્વ પીએમ અને આર્થિક સુધારાના ઘડવૈયા ડૉ. મનમોહનસિંહનું નિધન: દિલ્હીની એઈમ્સમાં લીધા હતા અંતિમ શ્વાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતના પૂર્વ પીએમ અને આર્થિક સુધારાના ઘડવૈયા ડૉ. મનમોહનસિંહનું નિધન: દિલ્હીની એઈમ્સમાં લીધા હતા અંતિમ શ્વાસ
રાષ્ટ્રીય

ભારતના પૂર્વ પીએમ અને આર્થિક સુધારાના ઘડવૈયા ડૉ. મનમોહનસિંહનું નિધન: દિલ્હીની એઈમ્સમાં લીધા હતા અંતિમ શ્વાસ

Khaskhabar Editor
Last updated: 2024/12/27 at 11:27 AM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

92 વર્ષના પીઠ કોંગ્રેસી નેતાએ દિલ્હીની એઈમ્સમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા

ખડગે-રાહુલ ગાંધી દિલ્હી પહોંચ્યા, કોંગ્રેસના આજના તમામ કાર્યક્રમો રદ : સોનિયા ગાંધી-પીએમ મોદી સહિતના નેતા, ઉદ્યોગપતિઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

- Advertisement -

 વર્ષ 2006માં બીજી વખત બાયપાસ સર્જરી કરાવ્યા પછી મનમોહનસિંહનું સ્વાસ્થ્ય સતત નબળું રહ્યું હતું. 

ભારતને આર્થિક પતનમાંથી બહાર લાવનારા અને આર્થિક સુધારાના ઘડવૈયા ડૉ. મનમોહનસિંહનું ગુરુવારે રાતે દિલ્હીમાં ૯૨ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. કોંગ્રેસે શુક્રવારના તેના બધા જ કાર્યક્રમો રદ કર્યા છે. બે વખત વડાપ્રધાન   બનનારા મનમોહન સિંહના નિધનના સમાચારથી દેશભરમાં શોક વ્યાપી ગયો છે. કોંગ્રેસ પ્રમુખ  ખડગે અને રાહુલ ગાંધી બેલગાવીથી દિલ્હી દોડી આવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બધા જ વરિષ્ઠ નેતાઓએ દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી અને શોકસંદેશ પાઠવ્યો હતો.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ લાંબા સમયથી બીમાર હતા. ગુરુવારે મોડી સાંજે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને દિલ્હી એઈમ્સમાં દાખલ કરાયા હતા. તેમનો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ પશ્ચિમી પંજાબ હાલ પાકિસ્તાનમાં થયો હતો. આ સમયે પરિવારના સભ્યો ઉપરાંત કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી તેમની સાથે હાજર હતા. જોકે, પૂર્વ વડાપ્રધાનના નિધનના સમાચારથી કોંગ્રેસ કારોબારી માટે બેલગાવી પહોંચેલા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે મોડી રાતે દિલ્હી પરત ફર્યા હતા. વધુમાં કોંગ્રેસે શુક્રવારના તેના તમામ કાર્યકરો રદ કરી દીધા છે. દિલ્હી એઈમ્સે જણાવ્યું હતું કે, અત્યંત દુખ સાથે અમે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ૯૨ વર્ષની વયે નિધન થયાની માહિતી આપી રહ્યા છીએ. મનમોહનસિંહ વય સંબંધિત બીમારીથી પીડિત હતા. આજે સાંજે ઘરે અચાનક તેઓ બેભાન થઈ ગયા હતા. ઘર પર જ તેમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરાયો હતો. તેમને રાતે ૮.૦૬ કલાકે દિલ્હી એઈમ્સની મેડિકલ ઈમર્જન્સી વિભાગમાં લવાયા હતા. તમામ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહીં અને રાતે ૯.૫૧ કલાકે તેમનું નિધન થઈ ગયું.

મનમોહનસિંહના નિધનના સમાચાર સાંભળી ભાજપ પ્રમુખ જેપી નડ્ડા એઈમ્સ દોડી ગયા હતા. આ સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશભરના ટોચના નેતાઓએ દેશના વિકાસમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના યોગદાનને યાદ કરતાં શ્રદ્ધાંજલિ આપી હતી.

- Advertisement -

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ આપતા એક્સ પર પોસ્ટમાં લખ્યું કે, મનમોહનસિંહજીએ બુદ્ધિમતા અને પ્રમાણિક્તાથી દેશનું નેતૃત્વ કર્યું. તેમની વિનમ્રતા અને અર્થતંત્ર અંગે ઊંડી સમજે સમગ્ર દેશને પ્રેરિત કર્યો. શ્રીમતિ કૌર અને તેમના પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના. મેં એક માર્ગદર્શક ગુમાવી દીધા. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું, ભારતે આજે તેના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંના એક ડૉ. મનમોહનસિંહને ગુમાવ્યા છે. પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી મનમોહનસિંહે નાણામંત્રી સહિત સરકારના વિવિધ પદો પર સેવા આપી અને વર્ષો સુધી આપણા અર્થતંત્ર પર અસર કરે તેવા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. દેશના લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે વડાપ્રધાન તરીકે તેમના પ્રયાસો પ્રશંસનીય હતા.

મનમોહનસિંહે વર્ષ ૨૦૦૬માં બીજી વખત બાયપાસ સર્જરી કરાવી હતી. ત્યાર પછીથી તેઓ સતત બીમાર રહેતા હતા. તેઓ વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી બે વખત વડાપ્રધાન રહ્યા હતા. ભારતના ટોચના અર્થશાસ્ત્રીઓમાં તેમનું સ્થાન હતું. તેમણે ચંડીગઢમાં પંજાબ યુનિવર્સિટી અને ગ્રેટ બ્રિટનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી હતી. મનમોહનસિંહને હંમેશા તેમના સરળ અને શાંત સ્વભાવ માટે યાદ રખાશે. ડૉ. મનમોહનસિંહે નાણામંત્રી તરીકે વર્ષ ૧૯૯૧માં ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢતા આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી હતી, જેમાં ઉદ્યોગો પર સરકારી નિયંત્રણમાં ઘટાડો, પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ને વધારવું અને માળખાગત સુધારા લાગુ કરવાનો સમાવેશ થાય છે. તેમના આ આર્થિક સુધારાઓએ ભારતનું અર્થતંત્ર વૈશ્વિક બજારો માટે ખોલી નાંખ્યું હતું.

You Might Also Like

ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ

માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી

ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા

હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ

બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે

TAGGED: AIIMS Hospital, delhi, Dr. Manmohan Singh, Former Prime Minister of India
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાણાવાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
Next Article કેવી રહી હતી ડૉ. મનમોહન સિંહની અર્થશાસ્ત્રીથી લઇને દેશના વડાપ્રધાન સુધીની સફર! ચાલો જાણીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
PCB રાજકોટની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર ચાર દિવસમાં ૨૪ ગેરકાયદે હથિયાર સાથે ૧૧ આરોપી ઝબ્બે
ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા ફિરોઝ સહિતના 5 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર
રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ગુજરાતરાષ્ટ્રીય

ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?