સ્કૂલ સંચાલક સામે કાર્યવાહીને બદલે જનતાને ઉલ્ટા ચશ્મા પહેરાવાની પ્રક્રિયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
રાજ્યમાં ચાલતી મજૂરી વગર એટલે કે નકલી સ્કૂલો પર શિક્ષણ વિભાગ આકરા પાણીએ છે પરંતુ રાજ્યનું શિક્ષણ વિભાગ ગામે એટલા આદેશો અને પરિપત્રો બહાર પડે છતાં જિલ્લા અને તાલુકા શિક્ષણ વિભાગ તો પોતાની જ મનમાની કરી રહ્યા હોવાનું નજરે પડે છે. આ પ્રકારે જિલ્લા શિક્ષણ વિભાગનું ઉત્તમ ઉદાહરણ ધ્રાંગધ્રા ખાતે પણ સામે આવ્યું છે જેમાં ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી નજીક આવેલી નવનિર્માણ સ્કૂલને શિક્ષણ વિભાગની પરવાનગી નહિ હજવ છતાં પણ સ્કૂલમાં અભ્યાસ ક્રમ શરૂ કરી દેવાયો હતો. આશરે 45 જેટલા બાળકોનો અભ્યાસ ક્રમ સ્કૂલની મંજૂરી વગર શરૂ કરી દેવાયો અને શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં રહ્યું હતું.
- Advertisement -
જ્યારે ‘ખાસ – ખબર’ દ્વારા મંજૂરી વગરની સ્કૂલ ધમધમતી હોવા અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા બાદ જીલ્લા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું અને તપાસ હાથ ધરવા આદેશ આપ્યો હતો. જે તપાસ ધ્રાંગધ્રા તાલુકાના શિક્ષણ અધિકારી (ટી.પી.ઇ.ઓ) જગજીવનભાઇ ભલગામડીયાને સોંપી હતી જેથી તેઓ દ્વારા સ્કૂલ ખાતે તપાસ હાથ ધરી મજૂરી વગરની સ્કૂલમાં કોઈ પ્રાથમિક ધોરણ શરૂ નહિ હોવાનો અહેવાલ સુપ્રત કર્યો હતો. બાદમાં વધુ અહેવાલને ધ્યાને લઇ પુન: તપાસ ધ્રાંગધ્રાના બી.આર.સી જીજ્ઞેશ પટેલને સોંપાઈ હતી જેમાં તેઓ દ્વારા પણ તપાસ હાથ ધરી મંજૂરી વગર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 13 જેટલા વિદ્યાર્થીઓ પાચ વર્ષથી વધુ ઉંમરના હોય જેઓને બાલવાટિકા અભ્યાસ કરવો જોઈએ જેના બદલે સ્કૂલ દ્વારા નર્સરીમાં બેસાડતા હોય તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરતો અહેવાલ સુપ્રત કરાયો હતો પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બંને અહેવાલને મળીયે ચડાવી મંજૂરી વગરની સ્કૂલ સામે કોઈ કાર્યવાહી કરાઇ નહિ.
જ્યારે ગત 9 ઓક્ટોમ્બર 2025માં રાજ્યના શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર જાહેર થયો જેમાં પણ આર.ટી.ઇ એક્ટ 2009 સેક્શન 18(5) નીચે કોઈપણ નવનિર્માણ સ્કૂલ પૂર્વ મંજૂરી વગર શરૂ કરે તો તે ડબ્દને પાત્ર હોવાનો ઉલ્લેખ કરાયો છે પરંતુ ભગવાન જાણે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીને મંજૂરી વગર જ સ્કૂલ શરૂ રાખવા દેવા માટે આટલો રસ કેમ હોય ? આજદિન સુધી આ પરિપત્રને પણ નજર અંદાજ કર્યો છે. ત્યારે મજૂરી નહિ હોવા છતાં બાળકોના ભાવિ સાથે રમત કરતા સ્કૂલ સંચાલકો દ્વારા દરેક બાળકોનું ભવિષ્ય અંધકારમય ધકેલે છે અને આ બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલવા પાછડ શિક્ષણ વિભાગ પણ એટલું જ જવાબદાર રહેશે કારણ કે જોઈ જાણીને મજૂરી વગરની સ્કૂલ સામે ઢીંચણીયે થયેલ જિલ્લા શિક્ષણ વિભાગ આજદિન સુધી કાર્યવાહી નહિ કરતા અંતે પોતે પણ પાપમાં હોય તેવી સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે.